અફઘાનિસ્તાનનું મોટું એલાન: ભારત માટે ખુલ્યા નવા રોકાણ અને વેપારના અવસરો, જાણો વિગત

અફઘાનિસ્તાન સરકારે ભારત સાથે વ્યાપાર અને રોકાણના સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા માટે મહત્વપૂર્ણ પગલાં લીધાં છે. ઉદ્યોગ અને વેપાર મંત્રી અલહાજ નૂરુદ્દીન અઝીઝીએ તેમની છ દિવસીય ભારત મુલાકાત દરમિયાન ભારતીય કંપનીઓ માટે લાંબા ગાળાના રોકાણના અવસરો અંગે જાહેરાત કરી. ખાસ કરીને ગોલ્ડ માઇનિંગ અને અન્ય કુદરતી સંપત્તિ ક્ષેત્રોમાં આ ખુલ્લા અવસરો ભારતીય રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. મુખ્ય જાહેરાતો અને લાભો – ગોલ્ડ માઇનિંગ અને અન્ય સેક્ટર્સમાં ભારતીય કંપનીઓને 5 વર્ષ સુધી રાહત. – અફઘાનિસ્તાનમાં જમીન આપવા તૈયાર હોવાના કારણે ઓપરેશનલ બેઝ સરળતાથી ઊભો કરી શકાય. – મશીનરી અને સાધનો અફઘાનિસ્તાનમાં આયાત પર ફક્ત 1% ટૅરિફ શુલ્ક. – ગોલ્ડ પ્રોસેસિંગ સ્થાનિક સ્તરે થાય જેથી સ્થાનિક રોજગારી વધે. ભારત-અફઘાનિસ્તાન વેપાર અને સહકાર – પાકિસ્તાન સાથેના તણાવ…

ચોંકાવનારો દાવો: અફઘાન લશ્કરી વિશ્લેષકોએ પાકિસ્તાનમાં ISIS-ખોરાસનના તાલીમ કેન્દ્રો કાર્યરત હોવાનો આરોપ કર્યો

અફઘાનિસ્તાનના લશ્કરી વિશ્લેષકોએ એક સનસનાટીપૂર્ણ દાવો કર્યો છે કે આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ–ખોરાસન (ISIS-K)ના તાલીમ કેન્દ્રો આજેય પાકિસ્તાનની ધરતી પર કાર્યરત છે. અફઘાન મીડિયાના અહેવાલો મુજબ, પાકિસ્તાન વારંવાર આવા આક્ષેપોને નકારી રહ્યું છે, છતાં અફઘાન નિષ્ણાતોનું કહેવું છે કે ISIS-K ત્યાં સુરક્ષિત આશ્રયસ્થાન અને મજબૂત નેટવર્ક જાળવી રાખે છે. પેશાવરમાં ISIS-Kના વરિષ્ઠ નેતાનું મૃત્યુ તાજેતરમાં પાકિસ્તાનના પેશાવરમાં બનેલી એક ઘટનાએ આ દાવાઓને વધુ મજબૂત બનાવ્યા છે. સુરક્ષા સૂત્રોના જણાવ્યા મુજબ, નુસરત ઉર્ફે અબુ ઝાર, જે ISIS-Kનો વરિષ્ઠ કમાન્ડર માનવામાં આવે છે, તેનું તાજેતરમાં પેશાવરમાં મૃત્યુ થયું હતું. રિપોર્ટ્સ અનુસાર, અબુ ઝારએ ૨૦૨૨ અને ૨૦૨૩ દરમિયાન કાબુલમાં થયેલા અનેક આતંકી હુમલાઓનું આયોજન કર્યું હતું. તે પાકિસ્તાનમાં ISIS-Kના તાલીમ કેન્દ્રો અને નેટવર્કનું નેતૃત્વ કરતો હતો. પકડાયેલા આતંકવાદીની કબૂલાત…