અફઘાનિસ્તાનનું મોટું એલાન: ભારત માટે ખુલ્યા નવા રોકાણ અને વેપારના અવસરો, જાણો વિગત
અફઘાનિસ્તાન સરકારે ભારત સાથે વ્યાપાર અને રોકાણના સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા માટે મહત્વપૂર્ણ પગલાં લીધાં છે. ઉદ્યોગ અને વેપાર મંત્રી અલહાજ નૂરુદ્દીન અઝીઝીએ તેમની છ દિવસીય ભારત મુલાકાત દરમિયાન ભારતીય કંપનીઓ માટે લાંબા ગાળાના રોકાણના અવસરો અંગે જાહેરાત કરી. ખાસ કરીને ગોલ્ડ માઇનિંગ અને અન્ય કુદરતી સંપત્તિ ક્ષેત્રોમાં આ ખુલ્લા અવસરો ભારતીય રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. મુખ્ય જાહેરાતો અને લાભો – ગોલ્ડ માઇનિંગ અને અન્ય સેક્ટર્સમાં ભારતીય કંપનીઓને 5 વર્ષ સુધી રાહત. – અફઘાનિસ્તાનમાં જમીન આપવા તૈયાર હોવાના કારણે ઓપરેશનલ બેઝ સરળતાથી ઊભો કરી શકાય. – મશીનરી અને સાધનો અફઘાનિસ્તાનમાં આયાત પર ફક્ત 1% ટૅરિફ શુલ્ક. – ગોલ્ડ પ્રોસેસિંગ સ્થાનિક સ્તરે થાય જેથી સ્થાનિક રોજગારી વધે. ભારત-અફઘાનિસ્તાન વેપાર અને સહકાર – પાકિસ્તાન સાથેના તણાવ…








