સિંગોપોરનો પાસપોર્ટ સૌથી મજબૂત પાસપોર્ટ, અફઘાનિસ્તાનનો સૌથી નબળો, જાણો ભારતનો કયો નંબર

સિંગાપોરનો પાસપોર્ટ હવે વિશ્વનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ બની ગયો છે, જે 193 દેશોમાં વિઝા-મુક્ત પ્રવેશની મંજૂરી આપે છે. ભારતીય પાસપોર્ટનું રેન્કિંગ 80મા સ્થાને છે. અફઘાનિસ્તાનનો પાસપોર્ટ સૌથી નબળો માનવામાં આવે છે, જે ફક્ત 25 દેશોમાં વિઝા-મુક્ત પ્રવેશની મંજૂરી આપે છે. આ રિપોર્ટ હેનલી એન્ડ પાર્ટનર્સ પાસપોર્ટ ઇન્ડેક્સ હેઠળ બહાર પાડવામાં આવ્યો છે, જે વિશ્વના ૧૯૯ પાસપોર્ટની રેન્કિંગ તે દેશોની સંખ્યાના આધારે નક્કી કરે છે, જે દેશો તેને વિઝામુક્ત પ્રવેશ આપે છે.હેનલી એન્ડ પાર્ટનર્સે આ ડેટા ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન (IATA) પાસેથી લીધો છે. -> સિંગાપોરે કમાલ કરી :- આ યાદીમાં, સિંગાપોરે જાપાન અને દક્ષિણ કોરિયાને પાછળ છોડી દીધું છે, જે 190 દેશોમાં વિઝા-મુક્ત પ્રવેશ પ્રદાન કરે છે. કોવિડ લોકડાઉન બાદ જાપાને ચીનમાં વિઝા-મુક્ત પ્રવેશ પણ સુરક્ષિત…

આખરે પાકિસ્તાનના એક પત્રકારે સ્વીકાર્યુ કે ભારતે સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી

આઝાદી બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો ક્યારેય સામાન્ય રહ્યા નથી. આ જ કારણ છે કે ભાગલા પછીથી બંને દેશો વચ્ચે 4 યુદ્ધો થયા છે, પરંતુ દરેક વખતે પાકિસ્તાનને ભારતના હાથે હારનો સામનો કરવો પડ્યો છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં પણ ભારતે પાકિસ્તાનને તેના નાપાક ઈરાદાઓને કારણે પાઠ ભણાવ્યો છે. પુલવામા આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાનમાં ઘૂસીને સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. જો કે, પાકિસ્તાને અત્યાર સુધી એ વાત સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો કે ભારતે ક્યારેય કોઈ સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. હવે પાકિસ્તાનના એક પત્રકારે સ્વીકાર્યું છે કે ભારતે સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. પાકિસ્તાની પત્રકાર નાઝીમ સેઠીએ એક ઈન્ટરવ્યુ દરમિયાન સ્વીકાર્યું હતું કે ભારતે પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. આ ઈન્ટરવ્યુનો એક નાનો ભાગ X (અગાઉ ટ્વિટર)…

યુદ્ધની વાત કરતા પાકિસ્તાનને અફઘાનિસ્તાને યાદ અપાવી ભારત સામેની 1971ની હાર 

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે લાંબા સમયથી સરહદ વિવાદ એક મુખ્ય મુદ્દો છે, જે તાજેતરના સમયમાં વધુ ઊંડો બની રહ્યો છે. પાકિસ્તાને તાજેતરમાં અફઘાનિસ્તાનની અંદર આતંકવાદી લક્ષ્યો પર હવાઈ હુમલા કર્યા હતા, જેમાં ઘણા તાલિબાન લડવૈયાઓ માર્યા ગયા હતા. આ પછી અફઘાનિસ્તાને જવાબી કાર્યવાહીનો દાવો કર્યો હતો. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે તાલિબાનને લઈને કડક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે તાલિબાનને કચડી નાખ્યા વિના પાકિસ્તાન આગળ વધી શકે તેમ નથી. દરમિયાન પાકિસ્તાનમાં અફઘાનિસ્તાનના એક ભાગ વખાન પર કબજો કરવાની વાત ચાલી રહી છે, જેના પર તાલિબાન ગુસ્સે છે. -> યુદ્ધને લઈને પાકિસ્તાનનો ઈતિહાસ ઘણો ખરાબ છે :- તાલિબાન નાયબ વિદેશ મંત્રી શેર મોહમ્મદ અબ્બાસે ભારતનો ઉલ્લેખ કરીને પાકિસ્તાન પર જોરદાર નિશાન સાધ્યું. ટ્વીટર પર પોસ્ટ કરતાં તેમણે…

મકાનની બારી એવી ન રાખો કે બહારથી ઘરની મહિલાઓ દેખાઇ શકે, તાલીબાન સરકારનો આદેશ

તાલિબાને અફઘાનિસ્તાનમાં મહિલાઓ વિરૂદ્ધ નવું ફરમાન બહાર પાડ્યું છે. તાલિબાનના નવા કાયદા અનુસાર અફઘાનિસ્તાનમાં જે નવા મકાનો બનાવવામાં આવી રહ્યા છે તેમાં એવી બારી ન હોવી જોઈએ. કે જેમાંથી પડોશી કે પછી બહારની કોઇ વ્યક્તિ ઘરની અંદર રહેલી મહિલાને જોઇ શકે.. તાલિબાન સરકારના સર્વોચ્ચ નેતાએ આ અંગે આદેશ જારી કર્યો છે. મહિલાઓની એક ઝલક મળવાથી અશ્લીલ હરકતો થઈ શકે છે તેવું તેમાં જણાવાયું છે. તાલિબાન સરકારના પ્રવક્તા ઝબીહુલ્લા મુજાહિદે X પર આ સંબંધમાં એક પોસ્ટ જારી કરી છે. જેમાં કહેવામાં આવ્યું હતું કે નવા મકાનોમાં એવી બારી હોવી જોઈએ નહીં કે જેનાથી રસોડું, પડોશીનો કૂવો કે મહિલાઓ દ્વારા ઉપયોગમાં લેવાતી કોઈપણ જગ્યા નજરે પડે. મુજાહિદે વધુમાં કહ્યું કે, ‘મહિલાઓને રસોડામાં કામ કરતી જોઈ, વરંડામાં આવતી-જતી કે…

પાકિસ્તાની સૈન્ય ચોકીઓ પર તાલિબાનનો હુમલો, 19 પાકિસ્તાની સૈનિકોને માર્યાનો દાવો

પાકિસ્તાની સેના અને તાલિબાન વચ્ચેની સરહદ ડ્યુરન્ડ લાઇન પર યુદ્ધ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. TTP આતંકવાદીઓ દ્વારા 16 પાકિસ્તાની સૈનિકોની હત્યા કર્યા પછી, પાકિસ્તાની વાયુસેનાએ અફઘાનિસ્તાનના પક્તિકા અને ખોસ્ત પ્રાંતમાં હવાઈ હુમલા કર્યા. પાકિસ્તાનના આ હુમલામાં લગભગ 50 લોકોએ જીવ ગુમાવ્યા હતો. પાકિસ્તાને દાવો કર્યો હતો કે તેણે TTP આતંકવાદીઓ પર હુમલો કર્યો હતો. આ હુમલાથી ગુસ્સે થઈને, તાલિબાને ડ્યુરન્ડ લાઇન પર પાકિસ્તાની સૈન્ય ચોકીઓ પર હુમલો કર્યો અને 19 પાકિસ્તાની સૈનિકોને માર્યા હોવાનો દાવો કર્યો. આ સિવાય તેણે 2 પાકિસ્તાની પોસ્ટ કબજે કરવાનો પણ દાવો કર્યો છે.તમને જણાવી દઈએ કે અફઘાનિસ્તાન અંગ્રેજો દ્વારા દોરવામાં આવેલી ડ્યુરન્ડ લાઇનને સ્વીકારતું નથી. આ કારણે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે શરૂઆતથી જ સ્થિતિ તણાવપૂર્ણ છે. હવે બંને દેશોએ એકબીજા…

વધારે તાકાતવર કોણ ? પાકિસ્તાન કે અફઘાનિસ્તાન, જાણો કોની પાસે કેટલી લશ્કરી તાકાત ?

પાકિસ્તાની સેનાએ મંગળવારે તેના પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં હવાઈ હુમલા કર્યા હતા. તમને જણાવી દઈએ કે 24 ડિસેમ્બરની રાત્રે થયેલા આ હુમલાઓમાં મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછા 15 લોકોના મોત થયા હતા. હવે સવાલ એ છે કે જો તાલિબાન અને પાકિસ્તાની સેના આમને-સામને આવે તો કોણ જીતશે? આજે અમે તમને તેના વિશે જણાવીશું. -> અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઈ હુમલો :- તમને જણાવી દઈએ કે પાકિસ્તાની વાયુસેનાના લડાકુ વિમાનોએ મંગળવારે રાત્રે પક્તિકા પ્રાંતના બર્મલ જિલ્લાના લામન સહિત સાત ગામોને નિશાન બનાવ્યા છે. પાકિસ્તાની અધિકારીઓએ આ હુમલામાં તાલિબાનના એક ટ્રેનિંગ કેમ્પને નષ્ટ કરવાનો અને ઘણા આતંકવાદીઓને માર્યા હોવાનો દાવો કર્યો છે. ખામા પ્રેસના અહેવાલ મુજબ 24 ડિસેમ્બરની રાત્રે થયેલા આ હુમલાઓમાં મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછા 15…