મકાનની બારી એવી ન રાખો કે બહારથી ઘરની મહિલાઓ દેખાઇ શકે, તાલીબાન સરકારનો આદેશ

તાલિબાને અફઘાનિસ્તાનમાં મહિલાઓ વિરૂદ્ધ નવું ફરમાન બહાર પાડ્યું છે. તાલિબાનના નવા કાયદા અનુસાર અફઘાનિસ્તાનમાં જે નવા મકાનો બનાવવામાં આવી રહ્યા છે તેમાં એવી બારી ન હોવી જોઈએ. કે જેમાંથી પડોશી કે પછી બહારની કોઇ વ્યક્તિ ઘરની અંદર રહેલી મહિલાને જોઇ શકે.. તાલિબાન સરકારના સર્વોચ્ચ નેતાએ આ અંગે આદેશ જારી કર્યો છે. મહિલાઓની એક ઝલક મળવાથી અશ્લીલ હરકતો થઈ શકે છે તેવું તેમાં જણાવાયું છે.

તાલિબાન સરકારના પ્રવક્તા ઝબીહુલ્લા મુજાહિદે X પર આ સંબંધમાં એક પોસ્ટ જારી કરી છે. જેમાં કહેવામાં આવ્યું હતું કે નવા મકાનોમાં એવી બારી હોવી જોઈએ નહીં કે જેનાથી રસોડું, પડોશીનો કૂવો કે મહિલાઓ દ્વારા ઉપયોગમાં લેવાતી કોઈપણ જગ્યા નજરે પડે. મુજાહિદે વધુમાં કહ્યું કે, ‘મહિલાઓને રસોડામાં કામ કરતી જોઈ, વરંડામાં આવતી-જતી કે કૂવામાંથી પાણી લેતી જોઈને અશ્લીલ હરકતો થઈ શકે છે.’

-> મ્યુનિસિપલ અધિકારીઓ અને સંબંધિત વિભાગો મોનીટરીંગ કરશે :- તાલિબાન સરકારના જણાવ્યા અનુસાર, મ્યુનિસિપલ અધિકારીઓ અને અન્ય સંબંધિત વિભાગો પણ નવા મકાનો પર નજર રાખશે. તેઓએ ધ્યાન રાખવું પડશે કે આ ઘરોમાં બારી પડોશીઓના ઘર તરફ ન ખુલવી જોઈએ.

-> પહેલેથી જ ખુલ્લી બારીઓ માટે વ્યવસ્થા કરો :- તાલિબાન સરકારે કહ્યું કે જો કોઈ ઘરની કોઈ બારી પહેલાથી જ પડોશીના ઘર તરફ ખુલ્લી હોય તો લોકોએ આ માટે વ્યવસ્થા કરવી પડશે. ઘરના માલિકે કાં તો તેના ઘરની બારી તરફ દિવાલ બનાવવી પડશે અથવા તો કોઈ ખાસ વ્યવસ્થા કરવી પડશે જેથી કરીને કોઈ પાડોશી કે બહારની વ્યક્તિ તે બારી કે બારીમાંથી ઘરની અંદર ન જોઈ શકે.

-> સત્તામાં આવ્યા બાદ તાલિબાન મહિલાઓના અધિકારો પર નિયંત્રણો લાદી રહ્યા છે :- નોંધનીય છે કે ઓગસ્ટ 2021થી અફઘાનિસ્તાનમાં સત્તામાં રહેલા તાલિબાન મહિલાઓના અધિકારો પર નિયંત્રણો લાદી રહ્યા છે. યુનાઈટેડ નેશન્સે પણ મહિલાઓ પ્રત્યે તાલિબાનની નીતિઓ સામે વાંધો વ્યક્ત કર્યો છે. તાલિબાને મહિલાઓને કામ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ સિવાય છોકરીઓ અને મહિલાઓને પ્રાથમિક શિક્ષણ, ઉદ્યાન કે જાહેર સ્થળો પર જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

Related Posts

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત Chiloda ખાતે ગંગા સ્વરૂપા બહેનોને કીટ વિતરણ, Welfare Drive 2026

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત Chiloda ખાતે ગંગા સ્વરૂપા બહેનોને કીટ વિતરણ, હર્ષ સંઘવી બાઈક રેલીમાં જોડાયા ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ અને તેમની 25 વર્ષની અવિરત જનસેવા યાત્રાના ઉપલક્ષ્યમાં આયોજિત ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત Chiloda ખાતે ગંગા સ્વરૂપા બહેનોને અનાજની કીટ વિતરણનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. વડનગરથી વારાણસી સુધી યોજાઈ રહેલી બાઈક રેલીના ભાગરૂપે આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ગંગા સ્વરૂપા માતાઓ-બહેનોનું વંદન કરી તેમનું સન્માન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન ગંગા સ્વરૂપા બહેનોએ ઓવારણા લઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સેવાકાર્યોને વધાવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં લાભાર્થી બહેનો, ગ્રામજનો, સ્થાનિક અગ્રણીઓ અને વિવિધ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. -> ગંગા સ્વરૂપા બહેનો માટે અનાજની કીટનું વિતરણ : Chiloda ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગંગા…

માત્ર ચાર કલાકમાં Ahmedabadમાં 2.77 ઈંચ વરસાદ, દોશીવાડા પોળમાં મકાન ધરાશાયી, Red Alert Critical

Ahmedabad : અમદાવાદીઓ બહાર ન નીકળતા, વરસાદે શહેરને ધમરોળ્યું: વૃદ્ધો-બાળકોને ઘરમાં રહેવા અપીલ; દોશીવાડા પોળમાં મકાન ધરાશાયી, આગામી કલાકોમાં પણ વરસાદની શક્યતા Ahmedabad: Ahmedabad શહેરમાં શુક્રવાર, 18 સપ્ટેમ્બરની વહેલી સવારથી જ વરસાદે જોર પકડ્યું છે. ગાજવીજ અને ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન પર અસર પડી છે. રસ્તાઓ પર પાણી ભરાવાની સાથે વાહનવ્યવહાર પણ ખોરવાયો છે. શહેરમાં સતત વરસાદી માહોલને જોતા નાગરિકોમાં ચિંતા વધી છે. ખાસ કરીને જૂના શહેરના વિસ્તારોમાં જર્જરિત મકાનોને લઈને જોખમ વધી ગયું છે. આ ભારે વરસાદ વચ્ચે દોશીવાડા પોળમાં એક મકાન ધરાશાયી થયાની માહિતી સામે આવી છે. જૂના શહેરમાં અનેક વર્ષો જૂના મકાનો અને હવેલીઓ આવેલી હોવાથી સતત વરસાદ દરમિયાન આવા મકાનોની સલામતીનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *