ગુજરાત સરકારનો વહીવટી નિર્ણય: IAS ડૉ. રતનકંવર ગઢવીચરણને આરોગ્ય કમિશનર (શહેરી)નો વધારાનો હવાલો

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના આરોગ્ય વિભાગમાં મહત્વપૂર્ણ વહીવટી ફેરફાર કરવામાં આવ્યો છે. સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા બહાર પાડવામાં આવેલા અધિકૃત જાહેરનામા મુજબ 2009 બેચના IAS અધિકારી ડૉ. રતનકંવર એચ. ગઢવીચરણને આરોગ્ય કમિશનર (શહેરી) તરીકેનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. હાલની જવાબદારી સાથે વધારાનો હવાલો ડૉ. રતનકંવર ગઢવીચરણ હાલમાં આરોગ્ય કમિશનર (ગ્રામીણ) તેમજ રાષ્ટ્રીય આરોગ્ય મિશન (NHM)ના મિશન ડિરેક્ટર તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા છે. સરકારના નવા આદેશ અનુસાર, હવે તેઓ આરોગ્ય કમિશનર (શહેરી)ની જવાબદારી પણ સંભાળશે. આ વ્યવસ્થા ત્યાં સુધી અમલમાં રહેશે, જ્યાં સુધી 2003 બેચના IAS અધિકારી ડૉ. સંધ્યા ભુલ્લર ગાંધીનગર ખાતે આરોગ્ય કમિશનર (શહેરી) તરીકેની પોતાની ફરજો વિધિવત રીતે સંભાળી ન લે. રાજ્યપાલના નામે આદેશ જાહેર આ વહીવટી આદેશ ગુજરાતના રાજ્યપાલના નામે સામાન્ય…

ગુજરાતમાં 5 જમીન દફ્તર અધિક્ષકોની બઢતી, નાયબ નિયામક તરીકે નિયુક્તિ

ગુજરાત રાજ્યના સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામકની કચેરી હેઠળ કામ કરતા 5 જેટલા જમીન દફ્તર અધિક્ષકોને હંગામી ધોરણે નાયબ નિયામક, જમીન દફતર તરીકે બઢતી આપી નિયુક્તિ આપવામાં આવી છે. જમીન દફતર અધિક્ષક, વર્ગ-૧ (પગાર ધોરણ રૂ. 56,100–1,77,500, પે મેટ્રિક્સ લેવલ-10) સંવર્ગમાં ફરજ બજાવતા અધિકારીઓને હવે નાયબ નિયામક, જમીન દફતર, વર્ગ-૧ (પગાર ધોરણ રૂ. 78,800–2,09,200, પે મેટ્રિક્સ લેવલ-12) સંવર્ગમાં હંગામી રીતે બઢતી આપવામાં આવી છે. આ નિયુક્તિ હેઠળ, અધિકારીઓને તેમની કચેરીમાં જમીન દફ્તર અધિક્ષક, વર્ગ-૧ સંવર્ગની જગ્યાએ કામગીરી સંભાળવાનો અધિકાર આપવામાં આવ્યો છે. આ પગલાં રાજ્યના જમીન વિભાગના કાર્યક્ષમતા અને પ્રશાસનિક સુવ્યવસ્થા વધારવાના હેતુથી લેવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા અધિકારીઓની નિયુક્તિ અને બઢતીની પૂર્ણ યાદી જાહેર કરવામાં આવી છે, જેથી જાહેરમાં સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ રહે.…