Nadiad : નડિયાદમાં પરિણીતાનો આપઘાત, સંતાન નહીં થતાં પતિના ત્રાસથી હેરાન થઈ ગળે ફાંસો ખાધો
નડિયાદમાં પરિણીતાનો આપઘાત કરી લેતા ચકચાર મચ્યો છે. લગ્નના સાત જ વર્ષમાં માત્ર 23 વર્ષની પરિણીતાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે. પરિણીતાને સંતાન થતા ન થતાં પતિ અવારનવાર ઝઘડા કરતો હતો. એટલુ જ નહીં સાસુ સસરા પણ ત્રાસ આપતા હતા. જેથી ત્રાસથી કંટાળી પરિણીતા પિયર આવી હતી. પણ પિયરપક્ષે દિકરીનું ઘર ન તૂટે તે વિચારે સમજાવીને પરત મોકલી હતી. આખરે ત્રાસ સહન ન થતાં પરિણીતાએ આજે સવારે ફાંસો ખાઈ લીધો હતો. આ પણ વાંચો :- Ahmedabad : અમદાવાદનાં સાબરમતી આશ્રમથી આવતીકાલથી દાંડી સાયકલ યાત્રા થશે શરૂ, 1600 જેટલા યુવાનો લેશે ભાગ મહેમદાવાદના જરાવત ગામે રહેતા હિંમતસિંહ રતાજી ઝાલાએ આ મામલે ફરિયાદ આપતા જણાવ્યું હતું કે, તેમની નાની દિકરી દક્ષા (ઉં.વ.23)ના લગ્ન સાતેક વર્ષ પહેલાં…







