Pahalgam Attack: ધર્મ પૂછ્યો અને મારી ગોળી.. આતંકી હુમલામાં ગુજરાતના ત્રણ નાગરિકોએ ગુમાવ્યો જીવ, જુઓ લિસ્ટ
કાશ્મીરના પહેલગામ શહેર નજીક ‘મીની સ્વિટ્ઝર્લૅન્ડ’ તરીકે ઓળખાતા પર્યટન સ્થળ બૈસરન ખીણમાં મંગળવારે થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. મૃતકોમાં મોટાભાગના પ્રવાસીઓ હતા. 2019 માં પુલવામા હુમલા પછી ખીણમાં આ સૌથી મોટો હુમલો છે. આ હુમલામાં ગુજરાતના ત્રણ લોકોના મોત થયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાનો સાઉદી અરેબિયા પ્રવાસ અધવચ્ચે છોડીને પરત ફર્યા છે. તેમણે એરપોર્ટ પર જ પહેલગામ હુમલા અંગે એક બેઠક યોજી હતી. પીએમ મોદી આજે સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિ એટલે કે સીસીએસની બેઠક પણ યોજશે. દરમિયાન, આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોની સંપૂર્ણ યાદી જાહેર કરવામાં આવી છે. પહેલગામ આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા છે જ્યારે 13 લોકો ઘાયલ થયા છે. આમાં વિવિધ રાજ્યોના લોકોનો સમાવેશ થાય છે. સૌથી વધુ…







