2000 રૂપિયાની નોટોને લઈ RBIનો મોટો ખુલાસો, હજુ પણ બજારમાં છે આટલી નોટો

દેશભરમાં ફરી એકવાર 2000 રૂપિયાની નોટો સમાચારમાં છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ નવો ડેટા જાહેર કર્યો છે જે દર્શાવે છે કે નોટબંધીના લગભગ દોઢ વર્ષ પછી પણ, ₹5,817 કરોડની 2000 રૂપિયાની નોટો હજુ સુધી ચલણમાં પાછી આવી નથી. આ ખુલાસો એવા સમયે થયો છે જ્યારે મોટાભાગના લોકોએ માની લીધું હતું કે આ નોટો સંપૂર્ણપણે ચલણમાંથી બહાર થઈ ગઈ છે. શનિવારે જારી કરાયેલા એક નિવેદનમાં, RBI એ જણાવ્યું હતું કે જ્યારે 19 મે, 2023 ના રોજ 2,000 રૂપિયાની નોટો પાછી ખેંચવાની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે તેમનું કુલ મૂલ્ય ₹3.56 લાખ કરોડ હતું. જે હવે ઘટીને માત્ર ₹5,817 કરોડ થઈ ગયું છે. આનો અર્થ એ થયો કે, RBI અનુસાર, 2,000 રૂપિયાની નોટોમાંથી 98.37% બેંકિંગ સિસ્ટમમાં પાછી…