કેજરીવાલે કહ્યું જીતીશું તો મંદિરના પૂજારીઓ અને ગુરુદ્વારાના ગ્રંથિઓને પ્રતિમાસ 18 હજાર માનદ વેતન આપીશું

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે એક મોટી જાહેરાત કરી છે. તેમણે દિલ્હીના મંદિરોમાં કામ કરતા પૂજારીઓ અને ગુરુદ્વારાઓમાં કામ કરતા ગ્રંથીઓને દર મહિને 18,000 રૂપિયાનું માનદ વેતન આપવાની જાહેરાત કરી છે.તેમણે કહ્યું કે આ યોજના માટે નોંધણી 31 ડિસેમ્બરથી શરૂ થશે. મંગળવારે હું પોતે કનોટ પ્લેસના હનુમાન મંદિરથી તેની શરૂઆત કરીશ. પછી, અમારા બધા ઉમેદવારો પોતપોતાના વિધાનસભા મતવિસ્તારમાં નોંધણી કરાવશે.જો આમ આદમી પાર્ટી જીતશે તો દિલ્હીના મંદિરોના પૂજારીઓ અને ગુરુદ્વારા સાહિબના ગ્રંથીઓને દર મહિને ₹18,000નું માનદ વેતન આપવામાં આવશે.આ યોજના સમાજમાં તેમના આધ્યાત્મિક યોગદાન અને આપણા સાંસ્કૃતિક વારસાને જાળવવાના તેમના પ્રયાસોને શ્રદ્ધાંજલિ છે. -> ભાજપના નેતાઓને આ અપીલ કરી હતી :- AAPના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલે ભાજપના નેતાઓને અપીલ કરી છે કે તેઓ મુખ્યમંત્રી મહિલા…