Gujaratમાં મચ્છરજન્ય રોગો સામે મોટી સફળતા: મેલેરિયામાં 45% અને ડેન્ગ્યુમાં 39%નો ઘટાડો

 Gujaratમાં મચ્છરજન્ય રોગો સામે મોટી સફળતા: મેલેરિયામાં 45% અને ડેન્ગ્યુમાં 39%નો ઘટાડો Gujaratમાં મચ્છરજન્ય રોગો સામે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી વ્યાપક કામગીરીના સારા પરિણામો સામે આવ્યા છે. આરોગ્ય વિભાગના વર્ષ 2026ના સપ્તાહ-33 સુધીના આંકડા મુજબ, ગત વર્ષની સમાન અવધિની સરખામણીમાં મેલેરિયાના કેસોમાં 45 ટકા, ડેન્ગ્યુમાં 39.1 ટકા અને ચિકનગુનિયામાં 48.1 ટકાનો ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં રોગોની સમયસર ઓળખ, સારવાર અને મચ્છર નિયંત્રણ માટે સર્વેલન્સથી લઈને ફોગિંગ અને બ્રીડિંગ સ્થળોના નાશ સુધીની કામગીરી કરવામાં આવી રહી છે. મેલેરિયાના કેસોમાં 45 ટકાનો ઘટાડો Gujarat આરોગ્ય વિભાગના આંકડા મુજબ વર્ષ 2025ના સપ્તાહ-33 સુધીમાં રાજ્યમાં 1 કરોડ 9 લાખથી વધુ રક્ત નમૂનાઓની તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન મેલેરિયાના 1,407 કેસ નોંધાયા હતા.વર્ષ 2026માં સમાન સમયગાળા દરમિયાન…