NCISM:જૂનાગઢ નોબલ આયુર્વેદિક કોલેજમાં ₹10 લાખની લાંચનો આરોપ Bribery Scandal
NCISM:જૂનાગઢ નોબલ આયુર્વેદિક કોલેજમાં ₹10 લાખની લાંચનો આરોપ: CBIએ ટ્રસ્ટી સહિત બે સામે નોંધ્યો કેસ NCISM:જૂનાગઢની નોબલ આયુર્વેદિક કોલેજ સાથે જોડાયેલો ₹10 લાખની કથિત લાંચનો મામલો સામે આવતા શિક્ષણક્ષેત્રમાં ચકચાર મચી છે. કેન્દ્રીય તપાસ એજન્સી CBIએ કોલેજના ટ્રસ્ટી પ્રતિક મોરી અને ફેકલ્ટી સભ્ય ડૉ. અભય નલાવડે સામે કેસ નોંધ્યો છે. આરોપ છે કે નેશનલ કમિશન ફોર ઇન્ડિયન સિસ્ટમ ઑફ મેડિસિન (NCISM)ની હિયરિંગ કમિટી દ્વારા કરવામાં આવી રહેલા 13 શિક્ષકોના વેરિફિકેશનમાં સાનુકૂળ રિપોર્ટ મેળવવા માટે ₹10 લાખની લાંચની ઓફર કરવામાં આવી હતી. ->13 શિક્ષકોના વેરિફિકેશનથી શરૂ થયો મામલો : CBIની FIR મુજબ, નોબલ આયુર્વેદિક કોલેજના 13 શિક્ષકોની હાજરી અને તેમની વાસ્તવિક સ્થિતિ અંગે NCISM દ્વારા વેરિફિકેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી માટે લખનઉની પ્રબુદ્ધ આયુર્વેદિક મેડિકલ…







