MLA હાર્દિક પટેલનું પાટીદાર સમાજને લઈ મહત્વનું નિવેદન; ફરી ચર્ચાઓ થઈ શરૂ

પાટીદાર અનામત આંદોલનનો ચહેરો હાર્દિક પટેલ હાલ ભાજપના નેતા કે અને વિરમગામ બેઠકના ધારાસભ્ય છે અને તે છેલ્લા ઘણા સમયથી પોતાના નિવેદનને લઈ ચર્ચામાં રહે છે. આ દરમિયાન ફરી એક વખત હાર્દિક પટેલના નિવેદનથી ચર્ચાઓ તેજ થઈ છે. હાર્દિક પટેલએ આગામી 10 વર્ષ બાદ ગામડાઓની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે અને અસ્તિત્વ ટકાવવા સમાજને જાગૃત થવાની હાર્દિક પટેલે અપીલ પણ કરી છે. દેત્રોજ પંથકમાં આયોજિત ચુવાળ કડવા પાટીદાર પ્રગતિ મંડળના કાર્યક્રમમાં ભાજપના નેતા અને વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં તેમણે મહત્વનું નિવેદન આપતા કહ્યું હતું કે, ગામડાઓમાં આપણી સંખ્યા સતત ઓછી થતી જાય છે. જો આપણે જાગૃત નહીં થઈએ તો આવનારા સમયમાં ગામડાઓમાં આપણું અસ્તિત્વ જોખમમાં મુકાઈ શકે છે.” તેમણે ઉમેર્યું કે…