રાજ્યમાં વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે. ત્યારે સુરતમાં વધુ એક ઘટના સામે આવી છે. સુરતના અમરોલીમાં વ્યાજખોરોનાં ત્રાસથી એક વ્યક્તિએ આપઘાત કર્યો હતો. દીકરાએ ધંધામાં દેવું કર્યું હતું અને દેવું કરીને ભાગી ગયો હતો. દીકરાએ કરેલા દેણાની વ્યાજખોરો પિતા પાસે ઉધરાણી કરતા હતા. ત્યારે વ્યાજખોરોના ત્રાસના કારણે 57 વર્ષીય પ્રાગજી વસોયાએ ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું હતુ. તેમનો નાનો દીકરો રવિ હોટ ફિક્સ મશીનનો ધંધો કરતો હતો.
આ પણ વાંચો :- Surat : સુરતમાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત્, યુવાને કંટાળીને ઝેર ગટગટાવ્યું
મળતી માહિતી મુજબ, ધંધામાં દેવું કરીને ભાગી જતા ભાગીદારો પિતાને ધમકાવતા હતા. વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી કંટાળી આધેડે આપઘાત કર્યો હતો. જેમાં આપઘાત કરતા પહેલા લખેલી સ્યુસાઇડ નોટમાં પૈસા ન હોવાનું કહ્યું હતું.
આ પણ વાંચો :- Ahmedabad : હોળીનાં તહેવારને લઈને સ્પેશિયલ ટ્રેનો દોડશે, ઓનલાઈન ટિકિટ કરી શકાશે બૂક
આ સમગ્ર ઘટનાને લઇ અમરોલી પોલીસે કેસની તપાસ શરૂ કરી છે. બીજી તરફ વ્યાજખોરોને લઇ લોકોમાં રોષ ફેલાયો છે .સરકાર દ્વારા વિવિધ વાયદાઓ કરવામાં આવે છે પરંતુ કોઇ પ્રકારના પગલાં લેવામાં આવતા નથી. જેના કારણે આર્થિક મુશ્કેલી અને લેણદારોના ત્રાસથી લોકો આત્મહત્યાનો રસ્તો સ્વિકારે છે.
Follow us On Social Media
🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I







