સુરતમાં વ્યાજખોરોનો ત્રાસ સતત વધી રહ્યો છે. સુરતના વેડ રોડ વિસ્તારમાં રહેતા બે સગા ભાઈઓ વ્યાજખોરોના ત્રાસને કારણે આર્થિક સંકટમાં ફસાઈ ગયા હતાં. 9 લાખ સામે 25 લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોરો તેમની પર દબાણ બનાવતા એક ભાઈએ ઝેરી દવા ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં પોલીસ ફરિયાદ નોંધાઇ અને એક વ્યાજખોરની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ચાર આરોપીઓ હજુ ફરાર છે.
આ પણ વાંચો :- SURAT : આવતીકાલે વડાપ્રધાન મોદી ફરી ગુજરાતનાં પ્રવાસે, નીલગીરી ગ્રાઉન્ડમાં જાહેરસભા સંબોધશે
મળતી માહિતી મુજબ, યુવકે 7%ના વ્યાજ દરે 10 લાખ લીધા હતા. સમય જતાં તેઓ વ્યાજ ભરવામાં અસમર્થ બનતા બીજા ચાર વ્યાજખોરો પાસેથી વધુ નાણાં લેવા મજબૂર થયા અને કુલ 5 વ્યાજખોરો પાસેથી 54 લાખ ઉધાર લીધા. ત્રાસ એટલો વધી ગયો કે દવા ગટગટાવી હતી.
વેડ રોડના બે ભાઈઓએ 54 લાખ વ્યાજે લીધા હતા. યુવાને ભટારના કનુ બારીયા સહિત પાંચ સામે આક્ષેપ કર્યો હતો કે પઠાણી ઉઘરાણી અમારી સાથે કરવામાં આવી રહી છે. અવાર-નવાર આ વ્યાજખોરો અમને ડરાવતા અને ધમકાવતા હતા. વ્યાજખોરોને 9 લાખ સામે 25 લાખ ચૂકવ્યા હતા છતા વ્યાજખોરોએ મકાનનો દસ્તાવેજ લખાવી લીધો છે.
આ પણ વાંચો :- Ahmedabad : અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલના ડિરેક્ટર કાર્તિક પટેલની મુશ્કેલીમાં વધારો, વધુ એક કેસમાં કરાઈ ધરપકડ
હવે અમારે રહેવા માટે આશરો પણ નથી. યુવકે ઝેર ગટગટાવ્યું હોવાનો પરિવારજનોનો આક્ષેપ છે. હાલ યુવાનને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે જ્યારે તેની હાલત ગંભીર છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
Follow us On Social Media
🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I






