Rajkot : જ્ઞાનપ્રકાશ સ્વામીનાં વિવાદથી રાજકારણ ગરમાયું, સાંસદે કહ્યું- જલારામ બાપાનું અપમાન કરવાનો કાઈને અધિકાર નથી

જ્ઞાનપ્રકાશ સ્વામીનો વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે. હવે રાજકારણીઓ પણ સોસિયલ મિડિયા પોસ્ટ દ્વારા પોતોનો રોષ વ્યક્ત કરી રહ્યા છે. રાજયસભાના સાંસદ પરિમલ નથવાણીએ સોશિયલ મીડિયાના માધ્યમથી જલારામ બાપા પર ટિપ્પણી કરનારા જ્ઞાનપ્રકાશ સ્વામીએ વીરપુર જઈ જલારામ બાપાના મંદિરે મસ્તક નમાવી પોતાની ભૂલનો સ્વીકાર કરવો તેવું સૂચન કર્યું છે.

આ પણ વાંચો :- Halvad : હળવદમાં વધુ એક સ્વામીનો બફાટ, ચારણબાઈ પર કર્યુ વિવાદિત નિવેદન

વધુમાં તેમણે એમ પણ કહ્યું કે, સંત શિરોમણી શ્રી જલારામ બાપાને માત્ર લોહાણા સમાજ જ નહી પરંતુ સમગ્ર હિન્દુ સમાજ ભગવાન સ્વરૂપ માને છે. તેમનું અપમાન કરવાનો કોઈને અધિકાર નથી. પોતાના સંપ્રદાય કે કોઈ વ્યક્તિને ઊંચા દેખાડવા માટે સમાજને ભ્રમિત કરે તેવા નિવેદનો કરીને જલારામ બાપાને નીચા દેખાડવાનો પ્રયાસ નિંદનીય છે. લાખો લોકોની આસ્થાને ઠેસ પહોંચાડનારે તાત્કાલિક ધોરણે વીરપુર જલારામ બાપાના મંદિરમાં જઈને પોતાની ભૂલ સ્વીકારીને માફી માંગવી જોઈએ અને પશ્ચાતાપ કરી લોકોનો રોષ ઠારવો જોઈએ.

સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામી દ્વારા જલારામ બાપા પર કરવામાં આવેલ વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને હોબાળો મચ્યો હતો. જેના બાદ વીરપુરમાં જલારામ ચોક ખાતે સ્વામીની ટિપ્પણીને લઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સાંસદ પરિમલ નથવાણીએ પણ સ્વામીની ટિપ્પણીને વખોડતાં પોતાની ભૂલનું પ્રાયશ્ચિત કરવાનું સૂચન કર્યું હતું. સાંસદ પરિમલ નથવાણીએ સોશિયલ મીડિયામાં આજે એક પોસ્ટ મૂકી. આ પોસ્ટમાં તેમણે લખ્યું છે કે, જલારામ બાપાને નીચા દેખાડવાનો પ્રયાસ નિંદનીય છે.

આ પણ વાંચો :- Rajkot : રાજકોટમાં જ્ઞાનપ્રકાશ સ્વામીનો વિવાદ વકર્યો, રઘુવંશી સમાજે ઉચ્ચારી ઉગ્ર આંદોલનની ચીમકી

પરિમલ નથવાણી ઝારખંડમાંથી બે વખત સાંસદ રહી ચૂકયા છે. સાંસદ પરિમલ નથવાણીએ અનેક વખત આ પ્રકારના મોટા વિવાદમાં પોતાનું સ્પષ્ટ મંતવ્ય રજૂ કરતા રહ્યા છે. તે પછી રાજકોટમાં રજપૂત સમાજ અને રૂપાલા વચ્ચેના વિવાદ હોય,કે વેરાવળમાં ડોકટર અતુલ ચગના આપઘાતનો મુદ્દો હોય અથવા તો પછી છેલ્લા ઘણા સમયથી સિંહોના થતા મૃત્યુ અટકાવાનો મામલો હોય કે પછી રમગગમત ક્ષેત્રમાં ક્રિકેટ બાદ ફૂટબોલની રમતમાં પણ ગુજરાત આગળ વધે તેવા મુદ્દાને લઈને હંમેશા સાંસદે પોતાના વિચારો સ્પષ્ટ રીતે રૂજૂ કર્યા છે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

રાજ્ય સરકારનો માસ્ટર પ્લાન, આ યોજના થકી હવાની ગુણવત્તા સુધારશે અને હરિત આવરણને કરશે વિસ્તૃત

ગાંધીનગર, 12 ફેબ્રુઆરી, 2026: ભારતના શહેરોને ‘વૉટર સિક્યોર’ (જળ સુરક્ષિત) અને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ 1 ઓક્ટોબર, 2021ના રોજ અટલ મિશન ફોર રિજુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન…

આવતીકાલે ‘વર્લ્ડ રેડિયો ડે’ , જાણો આ વર્ષે કઈ થીમ પર થશે ઉજવણી ?

વર્લ્ડ રેડિયો ડે’: સ્ક્રીન વિના સંવાદ એટલે ‘રેડિયો’ ચાલુ વર્ષે ‘રેડિયો અને આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ’ની થીમ સાથે ઉજવાશે ‘રેડિયો ડે’ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રેડિયોના માધ્યમથી ‘મન કી બાત’ કાર્યક્રમ થકી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *