gandhinagar : ગુજરાતનાં 11 જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રીને પાર, અનેક શહેરોમાં હજી પણ વધશે ગરમી

ગુજરાતનાં 11 જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રીને પાર થયો છે. જો કે, આજથી ગરમીથી આશિંક રાહત મળશે તેવી વાત સામે આવી છે તો તાપમાનમાં 2-4 ડિગ્રી જેટલો ઘટાડો થશે. સાથે સાથે મોટા ભાગના જિલ્લાઓમાં તાપમાનમાં ઘટાડો નોંધાશે તો કેટલાક જિલ્લામાં તાપમાન ઊંચુ રહેવાની સંભાવના છે અમદાવાદ-ગાંધીનગરમાં તાપમાન ઊંચુ રહેશે તો બીજી તરફ પોરબંદર, કચ્છમાં તાપમાન ઊંચુ રહેશે અને ઉત્તર પૂર્વના પવનોને લીધે ગરમીની અસર રહેશે.

આ પણ વાંચો :- Rajkot : રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલનો વિવાદ, 7 ટાંકાનું બિલ દોઢ લાખ રૂપિયા

આ શહેરોમાં હજી પણ વધશે ગરમી :- આગામી 3-4 દિવસ તાપમાન 40થી 42 ડિગ્રી રહેવાની આગાહી કરવામાં આવી છે. તેમજ સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાતમાં ગરમી વધવાની સંભાવના પ્રબળ છે. એન્ટી સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા વાતાવરણમાં પલટો આવશે. હવે ગુજરાતાના અનેક શહેરોમાં ગરમી 40 થી 42 ડિગ્રી પહોંચશે.

ક્યાં કેટલું તાપમાન? :- 11 જિલ્લામાં તાપમાન 40 ડિગ્રી પાર નોંધાયું છે,સૌથી વધુ તાપમાન રાજકોટમાં 42.1 ડિગ્રી નોંધાયું છે,અમરેલી, સુરેન્દ્રનગર, કંડલામાં 41 ડિગ્રી તાપમાન,અમદાવાદ 40.7 ડિગ્રી, ગાંધીનગર 40.6 ડિગ્રી,ડિસા અને ભુજ 40.2 ડિગ્રી તાપમાન,પોરબંદર અને કેશોદમાં 40.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.આજે રાજ્યના 5 જિલ્લાઓમાં ગરમીનું યલો અલર્ટ,અમદાવાદ,ગાંધીનગરમાં ગરમીનું યલો અલર્ટ,કચ્છ, પોરબંદર, સુરેન્દ્રનગરમાં યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે,આજથી તાપમાનમાં નોંધાશે આંશિક ઘટાડો.

આ પણ વાંચો :- gandhinagar : હોળી-ધૂળેટીનાં તહેવારને લઈ તંત્રની ખાસ તૈયારી, 838 એમ્બ્યુલન્સ કાર્યરત રહેશે

ગરમીનું પ્રમાણ વધ્યું :- દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં સર્જાયેલ સાયક્લોનિક સરક્યુલેશનની અસર હેઠળ રાજસ્થાન અને ગુજરાતમાં કાળઝાળ ગરમી અનુભવાઈ રહી છે. રાજસ્થાનની દક્ષિણ પશ્ચિમે સર્જાયેલ સાયક્લોનિક સરક્યુલેશનની સાથેસાથે સમુદ્રની સપાટીથી પાંચ કિલોમીટરની ઉંચાઈએ સર્જાયેલ ટ્રર્ફને કારણે પણ ગુજરાતમાં ગરમીનો પારો ઉચકાયો છે.ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને અન્ય મંત્રીઓના PA-PS નિમણૂકની કરાઈ જાહેરાત, જુઓ યાદી

ગુજરાત સરકારના મંત્રીમંડળના વિસ્તરણ બાદ તમામ મંત્રીઓ માટે ખાતાની ફાળવણી બાદ હવે અંગત સચિવ (PA), અધિક અંગત સચિવ અને મદદનીશ સ્ટાફની નિમણૂક પણ કરી લેવામાં આવી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી…

ગુજરાત બોર્ડે જાહેર કરી નવી પરીક્ષા તારીખો, ધૂળેટીના દિવસે યોજાનાર પેપરમાં મોટો ફેરફાર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાની નવી તારીખોની જાહેરાત કરવામાં આવી છે. ધૂળેટીના દિવસે પરીક્ષા રાખવામાં આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓએ વિરોધ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *