Rajkot : રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલનો વિવાદ, 7 ટાંકાનું બિલ દોઢ લાખ રૂપિયા

રાજકોટ શહેરની નામાંકિત હોસ્પિટલ વોકહાર્ટ ફરીથી વિવાદમાં આવી છે.હોસ્પિટલે માત્ર 7 ટાંકાનું બિલ દોઢ લાખ રૂપિયા આપવામાં આવ્યું હતું. જેના કારણે હોસ્પિટલમાં વિવાદ સર્જાયો છે. બાળકનાં પરિવારજનો વોકહાર્ટ હોસ્પિટલ સામે ગંભીર આક્ષેપો લગાવ્યા છે. મળતી માહિતી મુજબ, હેનીલ પટેલ નામના બાળકને અકસ્માતના કારણે હાથમાં ઇજા પહોંચી હતી. આ 9 વર્ષના બાળકને હાથમાં ટાંકા લઇ 24 કલાક એડમિટ રાખવામાં આવ્યું હતું.

આ પણ વાંચો :- Vadodara : વડોદરાના ખાનગી સ્કૂલને ફટકાર્યો દંડ, RTE એક્ટનો અમલ ન થતો હોવાથી કરાઈ કાર્યવાહી

બાળકને મેડિકલ સારવાર આપીને 24 કલાક બાદ બાળકને રજા અપાઈ હતી. અને વોકહાર્ટ હોસ્પિટલે 7 ટાંકાનું બિલ રૂપિયા 1 લાખ 60 હજાર રૂપિયા આપ્યું હતું. ત્યાર બાદ બાળકનાં પરિવારજનોએ વોકહાર્ટ હોસ્પિટલ સામે ગંભીર આક્ષેપો લાગ્યા હતાં. પરિવારજનોનાં જણાવ્યા અનુસાર, બાળકના હાથ પર એક પણ ઓપરેશન કર્યું નથી માત્ર ટાંકા જ લીધેલા છે. હોસ્પિટલમાં પહેલા રૂપિયા 10 હજાર રોકડા પણ ભરાવ્યાં હતા. તો બીજી તરફ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા ખુલાસો પણ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :- Kutch : સરકારી જમીન કૌભાંડ કેસમાં પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્મા પર કાર્યવાહી, કોર્ટે 2 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર

હોસ્પિટલના સેન્ટ્રલ હેડ ડોક્ટર દુષ્યંત પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે, “દર્દીને વોકહાર્ટ હોસ્પિટલમાં ઇમરજન્સીમાં દાખલ કરવા લાવવામાં આવ્યો હતો. હાથમાં મોટો ચેંકો હતો અને ડસ્ટ પણ હોવાને કારણે ઇમરજન્સી સર્જરી કરવી પડી હતી. સારવાર આપી બીજા દિવસે જ રજા આપવામાં આવી હતી.”રજા આપ્યા બાદ ડોકટરોને પણ બતાવવા માટે આવ્યા હતા. ઇન્સ્યોરન્સ કંપનીના ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં આવ્યા ત્યારે પણ વાલીઓએ સહમતી આપી હતી.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

શાપર ગામમાં માનવ સેવા માટે નવી એમ્બ્યુલન્સનું લોકાર્પણ: ગ્રામજનોને મળશે ૨૪ કલાક ઝડપી આરોગ્ય સેવા

શાપર: માનવ સેવા એ જ પ્રભુ સેવાના મંત્રને સાર્થક કરતા રાજકોટના શાપર ગામમાં આરોગ્ય ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સુવિધાનો ઉમેરો થયો છે. ગ્રામજનોને આકસ્મિક સમયે ત્વરિત સારવાર મળી રહે તે હેતુથી…

કંડલા પોર્ટ પર મોટી દુર્ઘટના, ઝેરી ગેસની અસરથી 3 શ્રમિકોના મોત

કંડલા પોર્ટ ખાતે ગંભીર દુર્ઘટનાની ઘટના સામે આવી છે. કંડલા પોર્ટની જેટી નંબર 13 પર ઉભેલા જહાજમાં ઝેરી ગેસની અસરથી ત્રણ શ્રમિકોના મોત થયા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *