ઇન્ડિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન (IWLF) દ્વારા ગાંધીનગરમાં એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ-૨૦૨૬ યોજાશે

ઇન્ડિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન (IWLF) દ્વારા ગાંધીનગરમાં એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ-૨૦૨૬ યોજાશે ** ૩૧ દેશોના આશરે ૨૦૦ રમતવીરો, ૨૦૦ જેટલા કોચ, સપોર્ટ સ્ટાફ, પ્રતિનિધિઓની ઉપસ્થિતિ ** ઇન્ડિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન (IWLF) દ્વારા ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે તા. ૧૧થી ૧૭ મે, ૨૦૨૬ દરમિયાન એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ-૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં ૩૧ દેશોના આશરે ૨૦૦ રમતવીરો, ૨૦૦ જેટલા કોચ, સપોર્ટ સ્ટાફ, પ્રતિનિધિઓ અને મેનેજરો; ૫૦ જેટલા આંતરરાષ્ટ્રીય ટેકનિકલ અધિકારીઓ, ઇન્ટરનેશનલ વેઇટલિફ્ટિંગ ફેડરેશન (IWF) અને એશિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન (AWF) ના પ્રમુખ અને જનરલ સેક્રેટરી સહિત ૫૦ વિશિષ્ટ અતિથિઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહેશે. એશિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન એક્ઝિક્યુટિવ બોર્ડ અને વાર્ષિક કોંગ્રેસની બેઠકો પણ ૧૨ મે, ૨૦૨૬ના રોજ અમદાવાદના ખાતે યોજાશે. ભારતીય રમતગમત માટે આ એક પ્રતિષ્ઠિત પ્રસંગ છે કારણ…

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પશ્ચિમ બંગાળના નવનિયુક્ત મુખ્યમંત્રી શ્રી સુવેન્દુ અધિકારીના શપથ વિધિ સમારોહમાં સહભાગી થયા હતા.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પશ્ચિમ બંગાળના નવનિયુક્ત મુખ્યમંત્રી શ્રી સુવેન્દુ અધિકારીના શપથ વિધિ સમારોહમાં સહભાગી થયા હતા. તેમણે નવનિયુક્ત મુખ્યમંત્રીશ્રીને પુષ્પગુચ્છ અર્પણ કરીને હાર્દિક શુભકામનાઓ અને અભિનંદન પાઠવ્યા હતા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વ અને દિશાદર્શનમાં ભાજપા શાસિત બધા જ રાજ્યો વિકાસ, ગુડ ગવર્નન્સ અને જન કલ્યાણના નવા આયામો પ્રસ્થાપિત કરી રહ્યા છે ત્યારે હવે પશ્ચિમ બંગાળ પણ આ વિકાસયાત્રામાં સહભાગી થયું છે તેનો મુખ્યમંત્રીશ્રીએ હર્ષ વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ પશ્ચિમ બંગાળ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને નવ નિયુક્ત મુખ્યમંત્રી શ્રી સુવેન્દુ અધિકારીના નેતૃત્વમાં હવે “સોનાર બાંગ્લા” નો સંકલ્પ સાકાર કરશે તેવી શ્રદ્ધા વ્યક્ત કરી હતી. તેમણે પશ્ચિમ બંગાળ વિકાસ, શાંતિ, સુશાસન અને સમૃદ્ધિના માર્ગ પર નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરે તેવી હૃદયપૂર્વકની શુભકામનાઓ પણ…

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ સાગરદર્શન ખાતે વડાપ્રધાનશ્રીના કાર્યક્રમોની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ સાગરદર્શન ખાતે વડાપ્રધાનશ્રીના કાર્યક્રમોની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી —————– વડાપ્રધાનશ્રીના રોડ-શૉ સહિત રૂટનું પગપાળા નિરીક્ષણ કરતાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી —————– વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આગામી તા. ૧૧મી મેના રોજ ‘સોમનાથ અમૃત પર્વ’ નિમિત્તે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના આંગણે પધારનાર છે. ત્યારે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ વડાપ્રધાનશ્રીના રોડ-શૉ સહિત રૂટનું પગપાળા નિરીક્ષણ કરી સાગરદર્શન ખાતે વડાપ્રધાનશ્રીના કાર્યક્રમોની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી હતી. સાગરદર્શન ખાતે વડાપ્રધાનશ્રીના કાર્યક્રમોની પૂર્વ તૈયારીઓની સમીક્ષા બેઠક યોજી નાયબ મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીના આગમન-પ્રસ્થાન માર્ગો, સભાસ્થળ અને રૉડ શૉના કાર્યક્રમ સ્થળે કરવામાં આવેલી સુવિધાઓ, પાર્કિંગ તેમજ ટ્રાફિક નિયંત્રણ, આરોગ્ય સેવાઓ સહિતની વ્યવસ્થાઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રીશ્રીએ વિવિધ વિભાગોના અધિકારીઓની જવાબદારીઓ સહિત એકબીજા વિભાગના સંકલન સાથે…

છૂટા પૈસાની ઝંઝટ ખતમ! GSRTC બસોમાં 30 ટકા આવક હવે ડિજિટલ પેમેન્ટથી થાય છે.

છૂટા પૈસાની ઝંઝટ ખતમ! GSRTC બસોમાં 30 ટકા આવક હવે ડિજિટલ પેમેન્ટથી થાય છે. રાજ્યમાં 8,000થી વધુ બસોમાં ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને યુપીઆઇ થકી ઓનનાલઇન બૂકીંગ, મોબાઇલ એપ અને કરંટ બૂકીંગ દ્વારા ડિજિટલ પેમેન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. આ પહેલ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનાં નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારના ડિજિટલ ગવર્નન્સના વ્યાપક પ્રયાસોને સાર્થક સાબિત કરે છે . નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ પણ અંતરિયાળ વિસ્તારોમાં બસની સુવિધા વધારવા અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. મુસાફરોને વધુ સુવિધા મળે અને દૈનિક મુસાફરોની સંખ્યા વધે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે ગાંધીનગર: May 6; 2026: ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા ડિજિટલ પેમેન્ટ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે અને મુસાફરો માટે પેમેન્ટ…

ગ્યાસપુરમાં ‘કેમિકલ યુનિટો’ પર બુલડોઝર: નોટિસોના થોથા વચ્ચે આખરે ખાખી અને એસ્ટેટનો સપાટો!

ગ્યાસપુરમાં ‘કેમિકલ યુનિટો’ પર બુલડોઝર: નોટિસોના થોથા વચ્ચે આખરે ખાખી અને એસ્ટેટનો સપાટો! *પંકજ મકવાણા – અમદાવાદ:* ‘શિકારી ખુદ યહાં શિકાર હો ગયા!’ ગ્યાસપુરના ઔદ્યોગિક પટ્ટામાં છેલ્લા કેટલાય સમયથી પર્યાવરણના નિયમોના ધજાગરા ઉડાવતા ૧૯ જેટલા ઈન્ડસ્ટ્રિયલ વોશિંગ યુનિટો પર આખરે મ્યુનિસિપલ કોર્પોરેશનનું બુલડોઝર ફરી વળ્યું છે. ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (GPCB) ની ફટકાર અને તંત્રની લાંબી ઊંઘ બાદ આખરે ૪૫,૩૫૦ ચોરસ ફૂટના ગેરકાયદે સામ્રાજ્યને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું છે. *ખુરશીના સંબંધો અને કેમિકલની ગંધ!* શહેરની ચર્ચા મુજબ, આ માત્ર સામાન્ય ડિમોલિશન નથી. વિશ્વસનીય સૂત્રોનું માનીએ તો, આ તોડી પાડવામાં આવેલા યુનિટો પૈકી કેટલાક ‘ખાસ’ છે. રાજકીય ગલિયારાઓમાં એવી જોરદાર ચર્ચા છે કે આ ૧૯ યુનિટોમાંથી ચારેક યુનિટો સત્તાધારી પક્ષના જ એક કોર્પોરેટરના સંબંધીઓના હતા. કદાચ એટલે…

દિલ્હીના વિવેક વિહારમાં વહેલી સવારે ભીષણ આગ: ફાયર ફાઈટરોની સતર્કતાથી મોટી હોનારત ટળી.

દિલ્હીના વિવેક વિહારમાં વહેલી સવારે ભીષણ આગ.વિવેક વિહારમાં 3:48 વાગ્યે આગથી દોડધામ.દિલ્હી ફાયર સર્વિસીસની તાત્કાલિક કામગીરીથી આગ કાબૂમાં.વિવેક વિહાર વિસ્તારમાં આગ બાદ સર્ચ ઓપરેશન ચાલુ.દિલ્હીમાં આગની ઘટનાથી વિસ્તારમાં અફરાતફરી.દિલ્હીના રહેણાંક વિસ્તારમાં આગથી ચિંતા

ઈરાન-અમેરિકા તણાવ ઉગ્ર: “દાદાગીરી નહીં ચાલે” — સુપ્રીમ લીડરની કડક ચેતવણી

મધ્યપૂર્વમાં તણાવ ફરી ઉગ્ર બન્યો છે, જ્યાં Iran અને United States વચ્ચે શબ્દયુદ્ધ તેજ બન્યું છે. અમેરિકી પ્રમુખ Donald Trump દ્વારા પરમાણુ સમજૂતી મુદ્દે આપવામાં આવેલી કડક ધમકીઓ બાદ ઈરાન તરફથી પણ તીખો જવાબ આવ્યો છે. “સર્વનાશ અમે કરી દેશું” — ઈરાનનો પ્રહાર ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનીએ અમેરિકાને ચેતવણી આપતા કહ્યું કે તેમની દાદાગીરી સ્વીકારવામાં નહીં આવે. તેમણે કડક શબ્દોમાં જણાવ્યું કે જો પરિસ્થિતિ બગડશે તો ઈરાન પણ પ્રતિકાર માટે તૈયાર છે. નિવેદનમાં એમ પણ ઉમેરાયું કે અમેરિકી યુદ્ધ નૌકાઓને સમુદ્રમાં ડૂબાડી દેવાની ક્ષમતા ઈરાન પાસે છે. ટ્રમ્પની ધમકીથી તણાવ વધ્યો ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ કહ્યું હતું કે જો પરમાણુ સમજૂતી નહીં થાય તો “સર્વનાશ” સર્જી શકાય છે. આ નિવેદનને ઈરાને ગંભીરતાથી લઈને જવાબી કડક વલણ…

પંચાંગ /01 મે 2026: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ

પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ તત્વો આધારે, પંચાંગ વ્યક્તિને શુભ અને અશુભ સમય, તિથિ, નક્ષત્ર અને યોગ વિશે માહિતી આપે છે, જે હિંદુ ધર્મમાં વિધિ અને તહેવારો નિર્ધારિત કરવામાં મદદરૂપ છે. પંચાંગ તિથી પૂર્ણિમા (પૂનમ) 10:55 PM નક્ષત્ર સ્વાતિ +04:35 AM કરણ : વિષ્ટિ ભદ્ર 10:03 AM ભાવ 10:03 AM પક્ષ શુક્લ યોગ સિદ્ધિ 09:12 PM દિવસ શુક્રવાર સૂર્ય અને ચંદ્ર ગણતરીઓ સૂર્યોદય 05:40 AM ચંદ્રોદય 06:47 PM ચંદ્ર રાશિ તુલા સૂર્યાસ્ત 06:56 PM ચંદ્રાસ્ત +05:36 AM ઋતું ગ્રીષ્મ હિન્દૂ માસ અને વર્ષ શકે સંવત 1948 પરાભવ કલિ સંવત 5128 દિન…

રાશિફળ/30 એપ્રિલ 2026: આ રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે શુભ, આ અંક રહેશે શુભ

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ અન્યોની ટીકા કરવાની તમારી ટેવને કારણે તમારે ટીકાનો સામનો કરવો પડે એવી શક્યતા છે. તમારી રમૂજવૃત્તિને ઊંચી તથા તમારા બચાવને નીચો રાખશો તો તમે કટુ ટિપ્પણીઓથી બચવા માટે સારી સ્થિતિમાં રહેશો. વિવિધ સ્થળેથી આર્થિક લાભ મળી રહેશે. આજે પૈસા અંગે પરિવાર ના સભ્યો માં બોલાચાલી થઈ શકે છે. પૈસા ની બાબત માં તમારે પરિવાર ના બધા સભ્યો ને સ્પષ્ટ રહેવા ની સલાહ…

અંક જ્યોતિષ/30 એપ્રિલ 2026: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…