જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટ્યું, સર્જાયો ભારે વિનાશ…. 3ના મોત

રવિવારે સવારે જમ્મુ-કાશ્મીરના રામબનના ધર્મકુંડમાં અચાનક પૂર આવ્યું હતું, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. આ અચાનક આવેલા પૂરમાં ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે એક વ્યક્તિ ગુમ થયો છે અને ઘણા ઘરોને નુકસાન થયું છે. ઉપરાંત, ઘણા લોકો તેમના ઘરોમાં ફસાયેલા છે, તેમને બચાવવા માટે બચાવ કામગીરી ચાલી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે ભારે વરસાદને કારણે નાળામાં પાણી વધી ગયું અને અચાનક પૂર આવ્યું. આ પાણી ચેનાબ પુલ પાસે ધર્મકુંડ ગામમાં પ્રવેશ્યું. ગામમાં પાણી ઘૂસી જવાથી સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. અનેક ઘરોને નુકસાન પ્રાપ્ત માહિતી અનુસાર, ગામમાં ઘૂસેલા પૂરના પાણીથી 100 ઘર સંપૂર્ણપણે નાશ પામ્યા છે, જ્યારે 25 થી 30 ઘરોને આંશિક નુકસાન થયું છે.મળતી માહિતી મુજબ, વિસ્તારમાં પાણી…

પંચાંગ : 18 એપ્રિલ 2025: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ

પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ તત્વો આધારે, પંચાંગ વ્યક્તિને શુભ અને અશુભ સમય, તિથિ, નક્ષત્ર અને યોગ વિશે માહિતી આપે છે, જે હિંદુ ધર્મમાં વિધિ અને તહેવારો નિર્ધારિત કરવામાં મદદરૂપ છે. પંચાંગ તિથી પંચમી (પાંચમ) 05:10 PM નક્ષત્ર જ્યેષ્ઠા 08:21 AM કરણ : તૈતુલ 05:10 PM ગરજ 05:10 PM પક્ષ કૃષ્ણ યોગ પરિઘ +01:01 AM દિવસ શુક્રવાર સૂર્ય અને ચંદ્ર ગણતરીઓ સૂર્યોદય 05:53 AM ચંદ્રોદય 11:51 PM ચંદ્ર રાશિ વૃશ્ચિક સૂર્યાસ્ત 06:48 PM ચંદ્રાસ્ત 09:00 AM ઋતું વસંત હિન્દૂ માસ અને વર્ષ શકે સંવત 1947 વિશ્વાવસુ કલિ સંવત 5127 દિન અવધિ…

મેહુલ ચોકસીને ભારત લાવવા માટે CBI અને EDએ શરૂ કરી તૈયારીઓ, 6 અધિકારીઓ જશે બેલ્જિયમ

બેલ્જિયમમાં ભાગેડુ ઉદ્યોગપતિ મેહુલ ચોકસીની ધરપકડ બાદ ભારતીય એજન્સીઓ સક્રિય થઈ ગઈ છે. કોર્ટમાં મેહુલ ચોકસીની સુનાવણી પહેલા ED અને CBI બેલ્જિયમ જવા માટે તૈયાર છે. રિપોર્ટ અનુસાર, CBI અને ED એ બેલ્જિયમ જતા અધિકારીઓની યાદી તૈયાર કરી છે. આ અધિકારીઓ ટૂંક સમયમાં જઈ શકે છે. CBI અને EDના કહેવા પર મેહુલ ચોકસીની બેલ્જિયમમાં ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, તે સ્વિટ્ઝર્લૅન્ડ ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પ્રત્યાર્પણની વિનંતી બાદ 12 એપ્રિલે ચોક્સીની ધરપકડ કરવામાં આવી હતી. માહિતી અનુસાર, CBI અને EDના ત્રણ-ત્રણ અધિકારીઓને બેલ્જિયમ મોકલવામાં આવશે. તેમની પસંદગી પછી પેપર્સ તૈયાર કરવામાં આવશે. એવી શક્યતા છે કે ચોક્સી પોતાના પ્રત્યાર્પણને રોકવા માટે ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક પણ કરશે. તબીબી આધાર પર માંગ્યા જામીન સોમવારે…

તહવ્વુર રાણાએ NIA પાસેથી શું માંગ્યું? થઈ રહી છે દરરોજ 10 કલાક પૂછપરછ

મુંબઈ આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર હુસૈન રાણાની રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ના અધિકારીઓ દ્વારા હુમલા પાછળના મોટા કાવતરાનો પર્દાફાશ કરવા માટે દરરોજ આઠથી દસ કલાક પૂછપરછ કરવામાં આવી રહી છે. રાણાને ગયા અઠવાડિયે અમેરિકાથી ભારત પ્રત્યાર્પણ કરવામાં આવ્યો હતો. સોમવારે સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે NIA અધિકારીઓ રાણાની તબીબી તપાસ સુનિશ્ચિત કરી રહ્યા છે અને તેમને તેમના વકીલને મળવાની પણ મંજૂરી આપવામાં આવી રહી છે. શુક્રવારે સવારે દિલ્હીની એક કોર્ટે તેને અમેરિકાથી પ્રત્યાર્પણ કર્યા બાદ 18 દિવસની કસ્ટડી માટે તપાસ એજન્સીને સોંપ્યો હતો. આ પણ વાંચો: શેખ હસીનાએ મુહમ્મદ યુનુસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો, જાણો શું કહ્યું 8-10 કલાક થઈ રહી છે પૂછપરછ સૂત્રોએ જણાવ્યું હતું કે 2008માં લશ્કર-એ-તૈયબા દ્વારા કરવામાં આવેલા કાયરતાપૂર્ણ હુમલા પાછળના મોટા…

અરવલ્લી જિલ્લાના લેઉવા પાટીદાર સમાજની દીકરીએ મેળવ્યો ગોલ્ડ મેડલ, જાણો વિગત

અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના નાનાવાડા ગામની લેઉવા પાટીદાર સમાજની દીકરી અને સાસરી અંધારીવાડી જે ફરેડી પ્રા. શાળાની શિક્ષિકા નિલાક્ષીબેન રમેશભાઈ પટેલે ડૉ. બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ એમ.એ ના કોર્સમાં પ્રથમ નંબર આવતા આચાર્ય દેવવ્રત રાજ્યપાલના હસ્તે ગોલ્ડ મેડલ મેળવતા લેઉવા પાટીદાર સમાજનું નામ રોશન કર્યું હતું. નાનકડા ગામમાં ગોલ્ડ મેડલ મળતાની સાથે જ સમગ્ર ગામમાં કફૂસહીનો માહોલ છવાયો હતો. આ સાથે જ અરવલ્લી જિલ્લાના લેઉવા પટેલ સમાજનું ગૌરવ વધારતા જ સમાજના આગેવાનો અને ગ્રામજનો દ્વારા શુભકામના પાઠવવામા આવી હતી. આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, પ્રફુલભાઈ પાનસેરીયા, UGC ના ચેરમેન એમ. જગદીશ કુમાર તેમજ યુનિવર્સિટીના હોદ્દેદારો, પ્રોફેસર, સહિતના ઉપસ્થિત રહ્યા હતા તેમજ અગાઉ પણ બી.એડ માં પણ પ્રથમ નંબર મેળવીને ગોલ્ડ મેડલ મેળવતા પરિવારમાં…

અરવલ્લી જિલ્લાના બાયડમાં છેલ્લા 15 માસમાં કુલ 1081 ફરિયાદ નોંધાઈ

​અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં છેલ્લા 15 મહિનામાં કુલ 1,081 ફરિયાદો નોંધાઈ છે. આ આંકડો સ્થાનિક પોલીસ અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવ્યો છે, જે વિસ્તારની કાયદો અને વ્યવસ્થા પરિપ્રેક્ષ્યમાં મહત્વપૂર્ણ માહિતી આપે છે.​ બાયડ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2024માં જાન્યુઆરી માસમાં 69, ફેબ્રુઆરી માસમાં 56, માર્ચ માસમાં 80,એપ્રિલ માસમાં 63, મે માસમાં 65, જુન માસમાં 62, જુલાઈ માસમાં 64, ઓગસ્ટ માસમાં 67,સપ્ટેમ્બર માસમાં 49 , ઓક્ટોમ્બર માસમાં 46, નવેમ્બર માસમાં 56, ડીસેમ્બર માસમાં 99, વર્ષ 2025ના જાન્યુઆરી માસમાં 87, ફેબ્રુઆરી માસમાં 80, માર્ચ માસમાં 91 કુલ્લે છેલ્લા 15 માસમાં 1081 જેટલી ફરિયાદ નોંધવામાં આવી. B – india ની અપીલ : 2025નાં વર્ષમાં બાયડ પોલીસ સ્ટેશનના કર્મચારી/અધિકારીઓ દ્વારા અને ઉચ્ચ કક્ષાના અધિકારીઓ તથા ગૃહ ખાતા દ્વારા બાયડ…

અંક જ્યોતિષ/14 એપ્રિલ 2025; આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…

IPL 2025: રાજસ્થાનની જીતથી બેંગ્લોરને થયો ફાયદો … પોઈન્ટ ટેબલમાં જાણો તમામ ટીમની સ્થિતિ

IPL 2025 ની 18મી મેચમાં, રાજસ્થાન રોયલ્સે પંજાબ કિંગ્સ (PBKS) ને 50 રનથી હરાવ્યું. મુલ્લાનપુરના મહારાજા યાદવિન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે 5 એપ્રિલ ના રોજ રમાયેલી મેચમાં, પંજાબને જીતવા માટે 206 રનનો ટાર્ગેટ હતો, પરંતુ તેઓ 9 વિકેટે 155 રન જ બનાવી શક્યા. આ સિઝનમાં રાજસ્થાન રોયલ્સની બીજી જીત હતી. આ સાથે જ, સતત બે મેચોથી ચાલી રહેલી પંજાબ કિંગ્સની જીતનો સિલસિલો પણ સમાપ્ત થઈ ગયો. રાજસ્થાન રોયલ્સની જીતથી પોઈન્ટ ટેબલમાં ઉથલપાથલ મચી ગઈ છે. આ મેચ બાદ પંજાબ કિંગ્સ ચોથા સ્થાને સરકી ગયું છે. જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) બીજા સ્થાને આવી ગયું છે. ગુજરાત ટાઇટન્સ (GT) ટીમ 4 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. પંજાબ, બેંગલુરુ અને ગુજરાત ત્રણેયના ચાર-ચાર પોઇન્ટ સમાન છે. પરંતુ…

Canadaમાં વધુ એક ભારતીયની હત્યા, ‘યુ ઇન્ડિયન’ કહી કર્યો હુમલો

Canadaના ઓટાવા શહેરના રોકલેન્ડમાં એક ભારતીય નાગરિકની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી, એમ ભારતીય હાઈ કમિશને શનિવારે જણાવ્યું હતું. હાઈ કમિશને કહ્યું કે આ કેસમાં સ્થાનિક પોલીસે એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી છે અને આ મામલાની તપાસ ચાલી રહી છે. ભારતીય હાઈ કમિશને ટ્વિટર પર લખ્યું: “ઓટાવાના રોકલેન્ડ નજીક છરાબાજીની ઘટનામાં એક ભારતીય નાગરિકના મૃત્યુથી અમને દુઃખ થયું છે. પોલીસે જણાવ્યું હતું કે એક શંકાસ્પદ વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. અમે શક્ય તેટલી બધી સહાય પૂરી પાડવા માટે સ્થાનિક સમુદાય સંગઠન દ્વારા શોકગ્રસ્ત પરિવારના સંપર્કમાં છીએ.” કયા બની ઘટના ?કેનેડિયન મીડિયા અનુસાર, ક્લેરેન્સ-રોકલેન્ડમાં એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે બીજા વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓએ મૃત્યુનું કારણ જાહેર કર્યું નથી. પોલીસ આ મામલાની…

સુરતમાં હીરા ઉદ્યોગ માટે સારા સમાચાર, 12 પ્રકારના હીરાના ભાવમાં કરાયો વધારો

સુરતમાં હીરા ઉદ્યોગ પરથી મંદીનું ગ્રહણ દૂર થશે. ઘણા સમયથી મંદીનો સામનો કરી રહેલ હિરા ઉદ્યોગ જાન્યુઆરી મહિનાથી માર્કેટ રિકવરી મોડમાં દેખાઈ રહ્યો છે. 12 પ્રકારના હીરાના ભાવમાં વધારો કરતા ઉદ્યોગકારો અને રત્ન કલાકારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. –: હીરાના ભાવમાં કરાયો વધારો :- હીરા ઉદ્યોગ છેલ્લા બે-અઢી વર્ષથી મંદીના માહોલમાં સપડાયો હતો. પરંતુ હાલમાં રેપાપોર્ટેના કેટલીક ચોક્કસ સાઈઝના હીરાના ભાવમાં વધારો કરતાં હીરા ઉદ્યોગને મંદીમાંથી બહાર નીકળવાનો માર્ગ મોકળો થયો છે. રેપાપોર્ટે રાઉન્ડ આકારના હીરાના ભાવમાં વધારો કરતા હીરા ઉદ્યોગને મોટી રાહત મળી છે. રેપાપોર્ટે 12 પ્રકારના હીરાના ભાવમાં વધારો કરતા હીરા ઉદ્યોગમાં ખુશીની લહેર જોવા મળી. રેપાપોર્ટે નિશ્ચિત પ્રકારના હીરામાં સાડા ત્રણથી સાડા દસ ટકા જેટલો વધારો કર્યો છે. ઉદ્યોગકારોને આ ઉપરાંત બીજી…