ગુજરાત વિધાનસભા ખાતે સેવા અને સમર્પણના પ્રતિક પૂજ્ય કસ્તૂરબા ગાંધીજીની ૧૫૭મી જન્મ જયંતિ નિમિત્તે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી દ્વારા પુષ્પાંજલિ અર્પણ
સેવા, ત્યાગ અને સમર્પણના મૂલ્યોનું પ્રતિક બનેલા પૂજ્ય કસ્તૂરબા ગાંધીજી ની ૧૫૭મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે તેમના તૈલચિત્રને વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે, પૂજ્ય કસ્તૂરબા ગાંધીજીએ માત્ર મહાત્મા ગાંધીજીના જીવનસાથી તરીકે જ નહીં, પરંતુ રાષ્ટ્રસેવામાં સહયોગી બનીને નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. મહાત્મા ગાંધીજી દેશસેવામાં સમર્પિત હતા ત્યારે કસ્તૂરબા ગાંધીજી તેમની સાથે પડછાયા સમા રહી અવિરત સહયોગ આપ્યો હતો. અધ્યક્ષશ્રીએ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, સ્વાતંત્ર્ય સંગ્રામના વિર શહીદોએ દેશ માટે પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું છે, ત્યારે આજના યુવાનોની ફરજ છે કે તેઓ દેશના વિકાસ માટે સમર્પિત બની કાર્ય કરે અને રાષ્ટ્રને પ્રગતિના માર્ગે આગળ ધપાવે. આ પ્રસંગે દિલ્હી પબ્લિક સ્કૂલ, કોબાના ધોરણ ૧૦ના…
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ: હવામાન વિભાગે લોકો માટે સાવચેતીની સૂચના આપી
ગુજરાત રાજ્યમાં હવામાન સતત બદલાતું જાય છે. હાલ કેટલીક જગ્યાએ વરસાદી માહોલ છે, જેના કારણે તાપમાન થોડું નીચે ગયું છે, પરંતુ હવામાન વિભાગે આગાહી આપી છે કે આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ વધવાની શક્યતા છે. તાપમાનમાં લગભગ 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઇ શકે છે, જેના કારણે લોકો ગરમીનો વધુ અનુભવ કરશે. હાલમાં રાજ્યમાં મહત્તમ તાપમાન લગભગ 36 ડિગ્રી આસપાસ નોંધાયું છે, પરંતુ આગામી દિવસોમાં આ પારો વધુ ઊંચો થઈ શકે છે. 11 થી 14 એપ્રિલ સુધી શુષ્ક હવામાન હવામાન વિભાગે જણાવ્યું છે કે 11 થી 14 એપ્રિલ દરમિયાન રાજ્યમાં હવામાન મુખ્યત્વે શુષ્ક રહેશે. આ સમયમાં વરસાદની શક્યતા ઓછી છે અને આકાશ મોટાભાગે ખુલ્લું રહેશે. રાજ્યમાં ત્રણ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે, પરંતુ તેઓ ભારે વરસાદ લાવશે…
PM મોદીથી લઈને કંગના રણૌત સુધી: ભાજપે પશ્ચિમ બંગાળ ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી
પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણી નજીક આવતા તમામ રાજકીય પક્ષોએ જનસભાઓની રવાણીઓ શરૂ કરી છે. આ પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી એસ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે, જેમાં પક્ષના કેન્દ્રીય નેતાઓ, બોલિવૂડ સ્ટાર અને જાણીતા ચહેરાઓનો સમાવેશ છે. આ સ્ટાર પ્રચારકો રાજ્યભરમાં ચૂંટણી પ્રચાર સંભાળશે. ટોચના નેતાઓ ભાજપની યાદીમાં મુખ્ય નામો છે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ ગૃહમંત્રી અમિત શાહ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જે.પી. નડ્ડા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાથે જ, શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્મા પણ બંગાળમાં ચૂંટણી પ્રચાર માટે મેદાનમાં ઉતરી રહ્યા છે. ફિલ્મ અને રમત-જગતના ચહેરાઓ યાદીમાં અભિનેતા મિથુન ચક્રવર્તી, હેમા માલિની,…
મિડલ ઈસ્ટમાં તણાવ વધ્યો: ઇરાકના મોહમ્મદ અલા એરબેઝ પર રોકેટ હુમલો, વિમાનોને ભારે નુકસાન
મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે ઇરાકના મોહમ્મદ અલા એરબેઝ પર રોકેટ હુમલો કરવામાં આવ્યો છે. ઇરાકના રક્ષામંત્રી થબિત મોહમ્મદ અલ-અબ્બાસીએ આ હુમલાની પુષ્ટિ કરતા જણાવ્યું કે હુમલામાં એરબેઝ પર તૈનાત વિમાનોને ભારે નુકસાન થયું છે, જોકે સદનસીબે કોઇ જાનહાનિ નોંધાઈ નથી. એયરક્રાફ્ટ ધ્વસ્ત, વાયુસેનાને ઝટકો માહિતી મુજબ, બગદાદ એરપોર્ટ નજીક આવેલા આ એરબેઝ પર થયેલા રોકેટ હુમલામાં ઇરાકની વાયુસેનાનું એક વિમાન નષ્ટ થયું છે. સતત વધી રહેલા હુમલાઓ મિડલ ઈસ્ટમાં વિસ્તરતા સંઘર્ષની નિશાની તરીકે જોવામાં આવી રહ્યા છે. ક્ષેત્રમાં વધતો સંઘર્ષ ઇરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચેનો તણાવ સતત વધી રહ્યો છે, જેના કારણે સમગ્ર ક્ષેત્રમાં સૈન્ય ઠેકાણાઓ નિશાન બની રહ્યા છે. આ હુમલાઓથી સુરક્ષા પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે. ઇઝરાયલમાં તેલ રિફાઇનરીમાં આગ બીજી તરફ,…
સંસ્કૃતની સમૃદ્ધિ જ સંસ્કૃતિની સમૃદ્ધિ: ગાંધીનગરમાં શિક્ષણ મંત્રીની ઉપસ્થિતિમાં યોજાયો ભવ્ય ‘સંસ્કૃત સન્માન સમારોહ’
સંસ્કૃતની સમૃદ્ધિ જ સંસ્કૃતિની સમૃદ્ધિ …………. શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની પ્રેરક ઉપસ્થિતિમાં લોકભવન, ગાંધીનગર ખાતે રાજ્યસ્તરીય ‘સંસ્કૃત સન્માન સમારોહ યોજાયો …………… “સંસ્કૃત ભાષા આપણા સાંસ્કૃતિક વારસાની આત્મા છે.” : : શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા …………….. શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના તત્વાવધાનમાં લોકભવન, ગાંધીનગર ખાતે તા. ૨૮ માર્ચ, ૨૦૨૬ના રોજ સંસ્કૃત ભાષા અને સંસ્કૃતિના વિકાસને પ્રોત્સાહન આપતો એક ગરિમામય અને ઐતિહાસિક રાજ્યસ્તરીય ‘સંસ્કૃત સન્માન સમારોહ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ કહ્યું હતું કે, સંસ્કૃત ભાષા આપણા સાંસ્કૃતિક વારસાની આત્મા છે. તેને જાળવી રાખવી અને આગળ વધારવી એ આપણી સૌની જવાબદારી છે. આ પ્રકારના કાર્યક્રમો યુવા પેઢીને તેના મૂળ સાથે જોડવામાં મહત્વની ભૂમિકા…
માધવપુર ઘેડના લોકમેળામાં રેતી શિલ્પ મહોત્સવ – સંસ્કૃતિ અને કળાનું અનોખું સંગમ
પોરબંદર : માધવપુર ઘેડ મેળો આ વર્ષે એક નવા રંગમાં રંગાઈ ગયો છે. અહીં યોજાયેલો રેતી શિલ્પ મહોત્સવ મેળાનું મુખ્ય આકર્ષણ બનીને ઊભર્યો છે, જ્યાં કળા, ભક્તિ અને સંસ્કૃતિનું અદભૂત મિલન જોવા મળે છે. આ મહોત્સવમાં કળાકારો દ્વારા રેતીમાંથી બનાવાયેલા જીવંત શિલ્પો દરેક દર્શકને મંત્રમુગ્ધ કરી દે છે. ખાસ કરીને ભગવાન શ્રીકૃષ્ણ અને રૂકમણીના જીવનપ્રસંગોને અત્યંત સુક્ષ્મતા અને કલાત્મકતા સાથે રજૂ કરવામાં આવ્યા છે. તેમના પ્રાગટ્યથી લઈને વિવાહ સુધીની ગાથા રેતીના શિલ્પોમાં એટલી સુંદર રીતે કંડારવામાં આવી છે કે તે દર્શકોને પૌરાણિક સમયમાં લઈ જાય છે. આ રેતી શિલ્પોમાં માત્ર ધાર્મિક ભાવના જ નહીં, પરંતુ રાષ્ટ્રીય એકતાનો સંદેશ પણ છલકાય છે. કેન્દ્ર સરકારના એક ભારત શ્રેષ્ઠ ભારત અને વોકલ ફોર લોકલ જેવા અભિયાનોની ઝલક આ કળામાં…
રાજકોટમાં પેટ્રોલ-ડીઝલ અછતની અફવા: ડીલર એસોસિએશન પ્રમુખ વિરુદ્ધ ગુનો નોંધાયો
રાજકોટ શહેરમાં છેલ્લા દિવસોમાં ઈંધણની અછત અંગેની અફવા ફેલાવાઈ અને શહેરમાં અફરાતફરી સર્જાઇ હતી. આ મામલે રાજકોટ જિલ્લા પેટ્રોલ-ડીઝલ ડીલર એસોસિએશનના પ્રમુખ ગોપાલ ચુડાસમા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. તેમને જાહેરમાં ખોટું નિવેદન આપીને લોકોમાં ભય અને ગભરાટ ફેલાવવાનો આરોપ છે. ફરિયાદ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) રાજકોટના સેલ્સ હેડ અમિત જયસ્વાલ દ્વારા દાખલ કરવામાં આવી હતી. ફરિયાદ અનુસાર, ગોપાલ ચુડાસમાએ જાહેરમાં જણાવ્યું હતું કે પેટ્રોલ પંપ પર ઈંધણનો જથ્થો પૂરતો નથી, જેના કારણે નાગરિકોમાં પેનિક સર્જાઈ હતી અને પેટ્રોલ પંપ પર લાંબી કતાર લાગી ગઈ હતી. આ ઘટનાથી કાયદા અને વ્યવસ્થામાં ખલેલ પड़ी. IOCLના અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે કંપની પાસે ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હતો અને ડીલરોને લેખિત તેમજ મૌખિક ખાતરી આપી હતી. છતાં,…
B INDIA કૃષિ રત્ન એવોર્ડ – 2026 : “ખેતરથી ખ્યાતિ સુધીની સફરનું સન્માન”
એક જ મંચ… પાંચ દિગ્ગજ… અને ગુજરાતના ખેડૂતોનું સન્માન કૃષિ ક્રાંતિના આ પ્રેરણાદાયી નેતાઓની ગરિમામય ઉપસ્થિતિમાં, યોજાશે કૃષિ રત્નોનો સન્માન સમારોહ.. 25 માર્ચ 2026ના રોજ પ્રસંગ પાર્ટી પ્લોટ, અમદાવાદ સાંજે 6 કલાકે ચૂકશો નહીં, ગુજરાતનું ગૌરવ એવા ખેડૂતોને સન્માનિત કરતી આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે.. B INDIA કૃષિ રત્ન એવોર્ડ… કૃષિ શક્તિનો મહાપર્વ…http://KRUSHI RATNA AWARD 2026 https://youtu.be/hU4EskpuWKs?si=Dxf6VNcqqGsBDKl0
શેરબજારમાં મોટો કડાકો…જાણો સેન્સેક્સ અને નિફ્ટીની સ્થિતિ
શેરબજારમાં આજે મોટો કડાકો થયો છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જના (BSE)ના 30 શેરવાળા સેન્સેક્સમાં 2,100 પોઈન્ટથી વધુનો ઘટાડો થયો છે, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો (NSE) નિફ્ટી 600 પોઈન્ટથી વધુ નીચે ટ્રેડ થઈ રહ્યો છે. શેરબજારમાંતો ભારે કડાકો થયો છે પરંતુ સાથે સોના અને ચાંદીના ભાવ પણ તૂટી પડ્યા છે. MCX ચાંદીના ભાવમાં 5 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. દરમિયાન, તેલના વધતા ભાવે ભારત સહિત વિશ્વભરના શેરબજારોનો મૂડ ખરાબ કરી દીધો છે. ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ $114 સુધી પહોંચ્યા પછી, જાપાનથી કોરિયા સુધીના એશિયન શેરબજારોમાં અરાજકતા જોવા મળી હતી , જ્યારે વિદેશથી આવતા આ નકારાત્મક સંકેતો વચ્ચે, સેન્સેક્સ-નિફ્ટી શરૂઆતથી જ ઘટી રહ્યા હતા અને જેમ જેમ ટ્રેડિંગ આગળ વધતું ગયું તેમ તેમ ઘટાડો વધતો રહ્યો. ગુરુવારે…
પંચાંગ /19 માર્ચ 2026: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ
પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ તત્વો આધારે, પંચાંગ વ્યક્તિને શુભ અને અશુભ સમય, તિથિ, નક્ષત્ર અને યોગ વિશે માહિતી આપે છે, જે હિંદુ ધર્મમાં વિધિ અને તહેવારો નિર્ધારિત કરવામાં મદદરૂપ છે. પંચાંગ તિથી : અમાવાસ્યા (અમાસ) 06:55 AM પ્રથમા (એકમ) 06:55 AM નક્ષત્ર ઉત્તરભાદ્રપદ +04:05 AM કરણ : નાગવ 06:55 AM કિન્સ્તુઘ્ના 06:55 AM પક્ષ કૃષ્ણ યોગ શુક્લ +01:16 AM દિવસ ગુરુવાર સૂર્ય અને ચંદ્ર ગણતરીઓ સૂર્યોદય 06:27 AM ચંદ્રોદય ચંદ્રોદય નહીં ચંદ્ર રાશિ મીન સૂર્યાસ્ત 06:31 PM ચંદ્રાસ્ત 06:57 PM ઋતું વસંત હિન્દૂ માસ અને વર્ષ શકે સંવત 1947 વિશ્વાવસુ…
















