દિલ્હી બ્લાસ્ટ કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, વિદેશથી MBBS કરેલા ડોક્ટરોની વિગતો માંગાઈ

દિલ્હીમાં થયેલા લાલ કિલ્લા વિસ્ફોટ કેસમાં તપાસ તેજ બની રહી છે. દિલ્હી પોલીસે NIA સાથે મળીને મહત્વની કાર્યવાહી હાથ ધરી છે. તપાસના ભાગરૂપે શહેરની તમામ ખાનગી હોસ્પિટલોને નોટિસ જારી કરી છે, જેમાં ખાસ કરીને પાકિસ્તાન, બાંગ્લાદેશ, UAE અને ચીનમાંથી MBBS કરેલા અને હાલમાં દિલ્હીમાં પ્રેક્ટિસ કરતા ડોક્ટરોની સંપૂર્ણ માહિતી તાત્કાલિક સોંપવા જણાવાયું છે. NIAની તપાસમાં નવી વિગતો બહાર આવી લાલ કિલ્લા વિસ્ફોટ કેસમાં આત્મઘાતી બોમ્બર ઉમર નબીના સંપર્કો અંગે પણ NIA તપાસ કરી રહી છે. ખાસ કરીને ઉમર નબી અને અલ-ફલાહ યુનિવર્સિટીના એક ડોક્ટર વચ્ચેના સંભવિત સંબંધોને લઈને એજન્સી સતર્ક છે. NIAએ અત્યાર સુધી યુનિવર્સિટીના 30 ડોક્ટરોના નિવેદનો નોંધ્યા છે. સાથી ડોકટર્સે કહ્યું છે કે ઉમર નબીનો સ્વભાવ અત્યંત અજીબ હતો અને તે પોતાના રૂમમાં માત્ર…

રાશિફળ/28 નવેમ્બર 2025: આ રાશિના જાતકોને વ્યવસાયમાં થશે અઢળક લાભ, જાણો શુભ અંક

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ ગર્ભવતી માતાઓ માટે ખાસ સંભાળ રાખવાનો દિવસ. વેપારીઓ ને આજ પોતાના વેપાર માં ખોટ આવી શકે છે અને પોતાના વેપાર ને સારો બનાવવા માટે તમારે તમારા પૈસા ખર્ચ કરવા પડી શકે છે. તમારા દિવસનું આયોજન સંભાળપૂર્વક કરજો-મદદ લેવા માટે જેમના પર તમે વિશ્વાસ મુકી શકતા હો એવા લોકો સાથે વાત કરો. તમારા પ્રિયપાત્રની વફાદારી પર શંકા ન કરતા. બૉસનો સારો મિજાજ કામના…

અમેરિકાના નવા પ્રતિબંધો : રશિયન તેલ આયાત પર ભારત પર અસર, વૈકલ્પિક સ્ત્રોતોની શોધ શરૂ

યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા રશિયન કંપનીઓ પર નવા પ્રતિબંધો અમલમાં આવ્યા છે, જેના પગલે ભારતમાં રશિયન તેલની આયાતમાં તીવ્ર ઘટાડો થવાની શક્યતા છે. આ પ્રતિબંધો રોઝનેફ્ટ અને લુકોઇલ તથા તેમની બહુમતી માલિકીની પેટાકંપનીઓ પર લાગુ થયા છે અને 21 નવેમ્બરથી અસરકારક છે. પ્રતિબંધોના અમલ બાદ આ કંપનીઓ માટે ક્રૂડ તેલનું ખરીદવું કે વેચવું લગભગ અશક્ય બની ગયું છે. ભારતની રશિયન તેલ આયાત પર અસર આ વર્ષે ભારત દરરોજ સરેરાશ 1.7 મિલિયન બેરલ રશિયન તેલ આયાત કરતું રહ્યું છે. નવેમ્બરમાં આ દર 1.8–1.9 મિલિયન બેરલ સુધી પહોંચી શકે છે, કારણ કે રિફાઇનરીઓ સસ્તું તેલ વધુ ખરીદે છે. વિશ્લેષકોનો અંદાજ છે કે આગામી મહિને આ આયાત દરરોજ લગભગ 400,000 બેરલ સુધી ઘટી શકે છે. પશ્ચિમ એશિયાઈ તેલ પર ભારતની…

“₹5 ના પાઉચમાં કેસર શક્ય નથી”- સલમાન ખાન અને રાજશ્રી પાન મસાલાને કોર્ટની નોટિસ

બોલિવૂડ અભિનેતા સલમાન ખાન અને રાજશ્રી પાન મસાલા કંપની સામે કોટા ગ્રાહક સુરક્ષા અદાલતે ગેરમાર્ગે દોરનારી જાહેરાત અંગે નોટિસ ફટકારી છે. ફરિયાદમાં જણાવાયું છે કે કંપનીએ “અસલી કેસર” ધરાવતા પાન મસાલાના ₹5 ના પાઉચનો દાવો કર્યો હતો, જે શક્ય નથી. અદાલતે બંને પક્ષોને 27 નવેમ્બર 2025 સુધીમાં જવાબ આપવા કહ્યું છે. આ મામલો હવે રાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બની ગયો છે. ફરિયાદનો મુદ્દો ફરિયાદ કોટાના વરિષ્ઠ ભાજપ નેતા અને રાજસ્થાન હાઈકોર્ટના વકીલ ઇન્દ્રમોહન સિંહ હની દ્વારા દાખલ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે,“અસલી કેસરની કિંમત પ્રતિ કિલોગ્રામ આશરે ₹4 લાખ છે. તેથી ₹5 ના પાઉચમાં અસલી કેસર હોવું શક્ય જ નથી. આ પ્રકારની જાહેરાતો ગ્રાહકોને ગેરમાર્ગે દોરી રહી છે.” ફરિયાદમાં એ પણ દલીલ કરવામાં આવી કે…

રાશિફળ/16 ઓક્ટોમ્બર 2025: આ 3 રાશિના જાતકોના જીવનમાં થશે મોટા ફેરફાર, જાણો તમારું રાશિ ભવિષ્ય

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ કોઈક આધ્યાત્મિક વ્યક્તિ તમારા પર શુભાશિષ વર્ષાવશે તથા તેને કારણે માનસિક શાંતિ આવશે. આજે ધન લાભ થવાની શક્યતા તો છેજ પરંતુ એવું પણ થયી શકે છે કે પોતાના ગુસ્સેલ સ્વભાવ ના લીધે તમે પૈસા કમાવા માં સક્ષમ ના થયી શકો. સંબંધીઓ સાથે વિતાવેલો સમય તમારા લાભમાં રહેશે. આનંદ આપીને તથા ભૂતકાળની ભૂલોને માફ કરીને તમે તમારા જીવનને લાયક બનાવશો. નોકરી કરનારાઓને તેમની…

અફઘાન વિદેશ મંત્રીનું મોટું નિવેદન: “પાકિસ્તાન સામે લક્ષ્ય હાંસલ કર્યું, યુદ્ધ બંધ”

અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકી, હાલમાં ભારતની મુલાકાતે છે. આ દરમિયાન અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર થયેલી તીવ્ર અથડામણ મામલે તેમણે પ્રથમ વખત પત્રકારો સમક્ષ સ્પષ્ટ નિવેદન આપ્યું છે. “અમે અમારું લક્ષ્ય હાંસલ કર્યું છે” અફઘાન વિદેશ મંત્રીએ જણાવ્યું કે, “અમે ડ્યુરન્ડ લાઇન નજીક પાકિસ્તાની આક્રમણનો જવાબ આપ્યો અને અમારા મિશન પૂર્ણ કર્યા.” તેઓએ વધુમાં કહ્યું કે, “આથડામણમાં અમને જે હાંસલ કરવું હતું તે મળી ગયું છે. હવે અમે શાંતિ અને સ્થિરતાની તરફ આગળ વધવા માગીએ છીએ.” ગલ્ફ દેશોની વિનંતી પર યુદ્ધ વિરામ વિદેશ મંત્રીએ કહ્યું કે, “સાઉદી અરેબિયા, કતાર અને UAE જેવા ગલ્ફ દેશોના આગ્રહ પર હવે હુમલાઓ બંધ કરવામાં આવ્યા છે.” તેમણે સ્પષ્ટ કર્યું કે “યુદ્ધ કોઈ પણ સમસ્યાનો ઉકેલ નથી. ભવિષ્યમાં…

ChatGPT દ્વારા પણ થશે UPI પેમેન્ટ ! NPCIએ શરૂ કરી તૈયારીઓ

UPI પેમેન્ટ કરવા માટે હવે તમારે Google Pay, PhonePe અથવા Paytm જેવી એપ્સની જરૂર નથી. હવે તમે ChatGPT દ્વારા UPI પેમેન્ટ કરી શકો છો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા અને NPCI એ આ માટે તૈયારીઓ કરી લીધી છે. ટૂંક સમયમાં, દુકાનદારો અને વેપારીઓ ChatGPT દ્વારા UPI પેમેન્ટ સ્વીકારી શકશે. NPCI એ આ માટે Razorpay અને OpenAI સાથે ભાગીદારી કરી છે. ચેટજીપીટીનું આ પગલું ગૂગલ અને તેમની એઆઈ-સંચાલિત પેમેન્ટ સિસ્ટમની Perplexity ની જાહેરાતને પગલે છે. રેઝરપેએ પુષ્ટિ આપી છે કે આ સુવિધા હાલમાં ખાનગી રીતે પરીક્ષણ કરવામાં આવી રહી છે. એઆઈ એજન્ટ દ્વારા UPI પેમેન્ટની મંજૂરી આપતી આ સુવિધા હાલમાં બીટામાં છે. આ સુવિધા ચેટજીપીટી છોડ્યા વિના ચુકવણી કરવાની મંજૂરી આપશે, જેનાથી વ્યવહારો સરળ બનશે. ChatGPT થી UPI…

ફડણવીસ, શિંદે અને પવારે કરી અમિત શાહ સાથે મુલાકાત, શિરડીની એક હોટલમાં ચાલી 45 મિનિટની હાઇ લેવલ બેઠક

મહારાષ્ટ્રમાં તાજેતરમાં થયેલ અતિવૃષ્ટિએ રાજ્યના અનેક જિલ્લાઓમાં ખેડૂતોને ભારે નુકસાન પહોંચાડ્યું છે. પાકને નુકસાન થયું છે, જેના કારણે ગ્રામીણ વિસ્તારોમાં આર્થિક સંકટ વધુ ઘેરું બન્યું છે. પરિસ્થિતિની ગંભીરતાને ઓળખીને, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે મોડી રાત્રે શિરડીમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ , નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને અજિત પવાર હાજર રહ્યા હતા. આ બેઠક લગભગ 45 મિનિટ ચાલી હતી અને તેમાં મુખ્યત્વે ખેડૂતો માટે નાણાકીય રાહત પેકેજ, નુકસાન પામેલા પાકનો સર્વે અને વહીવટી સહાય માટે તાત્કાલિક વ્યવસ્થા અંગે ચર્ચા કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, અમિત શાહે અધિકારીઓને ખેડૂતોની સમસ્યાઓનો શક્ય તેટલી ઝડપથી ઉકેલ લાવવા અને અસરગ્રસ્ત પરિવારોના ખાતામાં સીધા રાહત ભંડોળ ટ્રાન્સફર કરવા વિનંતી કરી. બેઠકમાં પાકના નુકસાનનું…

રશિયાએ યુક્રેન પર કર્યો મોટો હવાઈ હુમલો, પેસેન્જર ટ્રેન અને રેલ્વે સ્ટેશન પર મચાવી તબાહી

રશિયાએ ઉત્તરીય યુક્રેનિયન પ્રદેશ સુમીમાં હવાઈ હુમલા કર્યા છે. રશિયન હુમલામાં એક પેસેન્જર ટ્રેનને નિશાન બનાવવામાં આવી હતી. પ્રાદેશિક ગવર્નર ઓલેહ હ્રીહોરોવે જણાવ્યું હતું કે રશિયન હુમલાઓમાં રેલ્વે સ્ટેશન અને કિવ જતી ટ્રેનને નિશાન બનાવવામાં આવી હતી. ટ્રેનને નોંધપાત્ર નુકસાન થયું હતું. આ હુમલો રશિયાના ચાલુ હવાઈ હુમલાના ભાગ રૂપે વર્ણવવામાં આવી રહ્યો છે, જે છેલ્લા બે મહિનાથી યુક્રેનના રેલ્વે માળખાને નિશાન બનાવી રહ્યું છે. રશિયા લગભગ દરરોજ યુક્રેનિયન પરિવહન નેટવર્ક પર હુમલા કરી રહ્યું છે. એક દિવસ પહેલા જ, રશિયાએ ખાર્કિવ અને પોલ્ટાવા પ્રદેશોમાં યુક્રેનની રાજ્ય ગેસ અને તેલ કંપની, નાફ્ટોગાઝની સુવિધાઓ પર 35 મિસાઇલો અને 60 ડ્રોન છોડ્યા હતા. નાફ્ટોગાઝના સીઈઓ સેર્ગેઈ કોરેત્સ્કીના જણાવ્યા અનુસાર, આ અત્યાર સુધીનો સૌથી મોટો બોમ્બ વિસ્ફોટ હતો, જેનાથી…

નવરાત્રી દરમિયાન જ આ કલાકારોના ગરબામાં GSTના દરોડા, આયોજકોમાં ફફડાટ

એક તરફ નવરાત્રી હવે પૂર્ણ થવાના આરે છે. બીજી તરફ નવરાત્રીમાં વરસાદનું વિઘ્ન પણ જોવા મળ્યું છે. આ દરમિયાન કોમર્શિયલ ગરબામાં બેફામ વેચાતા પાસને લઇ GST વિભાગ એક્શન મોડમાં જોવા મળ્યું છે. સુરત અને અમદાવાદ સહિત 10 જગ્યાઑ પર GST વિભાગે દરોડા પાડયા છે. GSTના દરોડાથી આયોજકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. રાજ્યના GST વિભાગે અમદાવાદ સાથે સુરતની સુવર્ણ નવરાત્રિમાં દરોડા પાડયા છે. અમદાવાદમાં આદિત્ય ગઢવી અને જીગરદાન ગઢવી સાથે પૂર્વા મંત્રીના ગરબામાં દરોડા પડ્યા હોવાની વિગતો સામે આવી રહી છે. નવરાત્રી દરમિયાન ગરબા આયોજકો દ્વારા નિયત કરેલા ભાવ કરતા વધુ ભાવ લેવામાં આવતા હોવાની વિગતો ને લઈ GST વિભાગે દરોડા પાડયા હોવાની માહિતી મળી રહી છે. GST વિભાગ દ્વારા આયોજકો પાસેથી પાસના વેચાણ, આવક અને…