શું ઓવૈસીની પાર્ટી બિહાર ચૂંટણીમાં બનશે કિંગમેકર? 100 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખવાનું જાણો શું છે ગણિત

જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યા છે તેમ તેમ બિહાર વિધાનસભાની ચૂંટણીઓ વધુને વધુ રસપ્રદ બની રહી છે. NDA અને મહાગઠબંધનમાં સામેલ તમામ પક્ષો શક્ય તેટલી વધુ બેઠકો મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. આ દરમિયાન, ઓવૈસીની પાર્ટી, ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) એ 32 બેઠકોની જાહેરાત કરી છે જેના પર તે ઉમેદવારો ઉભા રાખશે. વધુમાં, પાર્ટીએ 100 વિધાનસભા બેઠકો પર ઉમેદવારો ઉભા રાખવાના પોતાના ઈરાદાની જાહેરાત કરીને રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવી દીધો છે. આને ત્રીજા મોરચાના ઉદભવના સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે. હૈદરાબાદના સાંસદ ઓવૈસીએ તાજેતરમાં સીમાંચલનો વ્યાપક પ્રવાસ કર્યો છે, જે પાર્ટીનો પરંપરાગત ગઢ માનવામાં આવે છે. તેમણે ત્યાં ઘણી જાહેર સભાઓ યોજી હતી અને નવા રાજકીય પરિદૃશ્ય પર ચર્ચા કરવા માટે પાર્ટીના…

દુર્ગાપુર MBBS વિદ્યાર્થી ગેંગરેપ કેસમાં ત્રણની ધરપકડ; પશ્ચિમ બંગાળ પોલીસે આરોપીને પકડવા મોબાઇલ નેટવર્ક કર્યું ટ્રેક

પશ્ચિમ બંગાળ પોલીસે દુર્ગાપુરની એક ખાનગી મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીની પર થયેલા સામૂહિક દુષ્કર્મ કેસમાં મોટી સફળતા મેળવી છે. ત્રણ શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે બે અન્ય લોકોની શોધ ચાલુ છે. પોલીસે મોબાઇલ નેટવર્ક ડેટા દ્વારા તેમને શોધી કાઢ્યા હોવાનું કહેવાય છે. પોલીસ ટીમોએ જ્યાં ગુનો થયો હતો તે જંગલમાં રાતોરાત શોધખોળ હાથ ધરી હતી. પોલીસે હજુ સુધી ધરપકડ કરાયેલા ત્રણ શકમંદોની ઓળખ જાહેર કરી નથી. તેમણે ફક્ત એટલું જ કહ્યું છે કે તેમણે આ કેસના સંબંધમાં ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી છે. તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ એક અત્યંત સંવેદનશીલ મામલો છે અને તેઓ વધુ વિગતો પછીથી આપશે. વિદ્યાર્થિની તેના મિત્ર સાથે ડિનર માટે બહાર ગઈ હતી શનિવારે પોલીસે જણાવ્યું હતું કે દુર્ગાપુરમાં ઓડિશાની…

પાકિસ્તાની આર્મી પર તૂટી પડ્યાં તાલિબાન લડાકૂઓ: 12 સૈનિકોની હત્યા, અફઘાને અનેક ચોકીઓ પર કબજો કર્યો

દક્ષિણ એશિયામાં તણાવ ઘેરાવાની ઘડી છે. અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે, જેમાં તાજેતરના હુમલામાં તાલિબાન દળોએ 12 પાકિસ્તાની સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા હોવાનું અફઘાન સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે. તાલિબાનના લડાકૂઓએ પાકિસ્તાની સેનાની ઘણી ચોકીઓ ઉપર હુમલો કરીને નિયંત્રણ મેળવ્યું છે. કાબુલ નજીક પાકિસ્તાનના હવાઈ હુમલાના જવાબમાં, અફઘાને આ પગલાં લીધા હોવાનો પણ દાવો છે. અફઘાન દળોની કાર્યવાહી: કડક અને હિંસાત્મક જવાબ અફઘાન રક્ષા મંત્રાલય મુજબ, અફઘાન દળોએ કુનાર અને હેલમંડ પ્રદેશની સરહદે પાકિસ્તાની લશ્કરી ચોકીઓ પર તોડફોડ કરી છે. બહરમચા જિલ્લામાં સ્થિત શકીઝ, બીબી જાની અને સાલેહાન વિસ્તારોમાં ભારેલી તોફાની લડાઈ ચાલી રહી છે, જે હવે પક્તિયા પ્રાંત સુધી ફેલાઈ ગઈ છે. “આ કાર્યવાહી પાકિસ્તાનના હવાઈ હુમલાનો જવાબ છે.…

Filmfare Awards 2025: બે ગુજરાતીઓએ મુંબઈ નહીં, અમદાવાદમાં મચાવ્યો ધમાલ!’

આ વર્ષે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પ્રતિષ્ઠિત Filmfare Awards 2025 નું આયોજન પ્રથમ વખત અમદાવાદના એકા ક્લબ ખાતે થયું — જ્યાં બોલીવુડની ચમકતી સિતારાઓની વચ્ચે ગુજરાતી કલાકારોનો દબદબો ખાસ જોવા મળ્યો. ‘લાપતા લેડીઝ’નો દબદબો – 14 એવોર્ડનો ભવ્ય વિજય કિરણ રાવ દિગ્દર્શિત ફિલ્મ ‘લાપતા લેડીઝ’ એ રાત્રે પોતાના નામે એક ભવ્ય ઈતિહાસ લખાવ્યો. ફિલ્મે 24 નોમિનેશનમાંથી 14 એવોર્ડ જીત્યા — જેમાં સ્નેહા દેસાઈ દ્વારા લખાયેલા ડાયલોગ માટેનો શ્રેષ્ઠ સંવાદ (Best Dialogues) એવોર્ડ પણ શામેલ છે. સ્નેહા દેસાઈ, મૂળ ગુજરાતી લેખિકા છે – અને તેમના માટે આ સિદ્ધિ માત્ર વ્યક્તિગત નહીં, પણ સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છે. ફિલ્મને મળેલા મહત્વના એવોર્ડ: Best Film – Lapataa Ladies Best Director – Kiran Rao Best Dialogues – Sneha Desai Best…

પાકિસ્તાન-તાલિબાન અથડામણ ઉગ્ર: પાંચ પાકિસ્તાની સૈનિકોના મોત, અફઘાનનો સરહદી ચોકીઓ પર કબજાનો દાવો

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેનો તણાવ વધુ ઘેરો બન્યો છે. તાલિબાનની આગેવાની હેઠળના અફઘાનિસ્તાનના રક્ષા મંત્રાલયે દાવો કર્યો છે કે પાકિસ્તાની હવાઈ હુમલાના જવાબમાં તેમણે સીમાવર્તી પાકિસ્તાની સૈન્ય ચોકીઓ પર હુમલાઓ કર્યા છે. આ અથડામણમાં પાંચ પાકિસ્તાની સૈનિકો મૃત્યુ પામ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે અને કેટલીક ચોકીઓનો કબજો પણ અફઘાન દળોએ લઈ લીધો છે. તાલિબાનનો આક્રમક પ્રતિસાદ અફઘાન રક્ષા મંત્રાલયના નિવેદન અનુસાર, આ કાર્યવાહી “પાકિસ્તાન દ્વારા અફઘાન વિસ્તારમાં કરાયેલા બોમ્બ હુમલાના જવાબમાં” કરવામાં આવી છે. તેઓએ દાવો કર્યો કે ડ્યુરન્ડ લાઇન નજીક પાકિતિકા પ્રાંતના મારગી વિસ્તારમાં એક નાગરિક બજાર પર હુમલો કરવામાં આવ્યો હતો, જેને અફઘાનિસ્તાનએ તેના સાર્વભૌમત્વનું ઉલ્લંઘન ગણાવ્યું છે. “આ ઉશ્કેરણીજનક પગલું છે. અફઘાનની જમીનનું રક્ષણ કરવાનો અમારો અધિકાર છે,” – અફઘાન સંરક્ષણ મંત્રાલય. હવાઈ…

દિવાળીમાં ધોધમાર વરસાદનો ખતરો!, અંબાલાલ પટેલની ભયાનક આગાહી

ગુજરાતમાં દિવાળીની તયારી જોમશોખથી ચાલી રહી છે ત્યારે હવામાનવિદ અંબાલાલ પટેલે આવી આગાહી કરી છે કે, આ વર્ષે દિવાળીમાં વરસાદ ખાબકી શકે છે. છેલ્લા થોડા સમયથી રાજ્યમાં મોસમ સતત બદલાતા રહે છે અને ચોમાસા બાદ પણ એક પછી એક સિસ્ટમ સક્રિય થવાના સંકેત મળી રહ્યા છે. દિવાળીના આસપાસ વાદળછાયું વાતાવરણ અને માવઠાની શક્યતા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 13 ઓક્ટોબરથી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ત્યારે 17 ઓક્ટોબરથી દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન ફુંકાવાની શક્યતા છે. સૌથી મહત્વની વાત એ છે કે, 18થી 20 ઓક્ટોબર દરમિયાન બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સક્રિય થવાની શક્યતા છે, જે ગુજરાતના વાતાવરણને સીધી અસર કરશે. અરબી સમુદ્રમાં નવી સિસ્ટમ, દિવાળી દરમિયાન વરસાદ? અગાઉ ચોમાસુ વિદાય લઈ ચૂક્યું હોવા છતાં અંબાલાલ પટેલે આગાહી કરી…

અફઘાનિસ્તાન-પાકિસ્તાન સરહદે તણાવ ચરમસીમાએ: કાબુલ પર હવાઈ હુમલાં પછી ગોળીબાર, યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ

અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ હવે ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી કાબુલ સહિત અનેક અફઘાન શહેરોમાં પાકિસ્તાની હવાઈ હુમલાઓના દાવાઓ વચ્ચે હવે સરહદ પર ગોળીબાર અને તોફાનમય સ્થિતિ સર્જાઈ છે. પાકિસ્તાની હવાઈ હુમલાનો દાવો 9 ઓક્ટોબરની રાત્રે, અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ અને અન્ય પ્રદેશોમાં વિસ્ફોટોની જાણ થઈ હતી. તાલિબાન શાસિત અફઘાનિસ્તાનના દાવા અનુસાર, આ હુમલાઓ પાકિસ્તાની વાયુસેનાએ કર્યા હતા. આ હુમલાઓને ‘અક્ષમ્ય અગ્રેસન’ ગણાવતાં અફઘાનિસ્તાનએ આંતરરાષ્ટ્રીય સ્તરે નારાજગી વ્યક્ત કરી છે. સરહદે ઘમાસાણ 11 ઓક્ટોબરે રાત્રે, અફઘાન-પાક સરહદના કુનાર, દંગમ, બિરકોટ, પક્તિયા અને ખોસ્ટ જેવા વિસ્તારોમાં ગોળીબાર શરૂ થયો હતો. સ્થાનિક અહેવાલો મુજબ, અફઘાન દળોએ પાકિસ્તાની ચોકીઓ અને સૈનિક ઢાંચાઓ પર ઘાતકી હુમલાઓ કર્યા. તેમના દાવા અનુસાર, આ હુમલાઓ “પાકિસ્તાની હુમલાઓનો પ્રતિસાદ” છે.…

અમદાવાદઃ બેંક ફ્રોડ કેસમાં EDના દરોડામાં કરોડના સોના-હીરાના દાગીના જપ્ત, ₹10.95 કરોડના કૌભાંડનો થયો પર્દાફાશ

અમદાવાદમાં બેંક ફ્રોડના એક મોટા કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા શુક્રવારે ચલાવાયેલી મોટાપાયે કાર્યવાહી દરમિયાન ₹3 કરોડના સોના અને હીરાના દાગીના જપ્ત કરવામાં આવ્યા છે. આ કેસમાં કુલ ₹10.95 કરોડના બેંક ફ્રોડનો ખુલાસો થયો છે. 6 સ્થળે દરોડા, 3 કંપનીઓ રડાર પર EDએ અમદાવાદ શહેરમાં છ જુદા જુદા સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ દરોડાઓ ત્રણ ટેક્સટાઇલ કંપનીઓના ઓફિસ, વેરહાઉસ અને સંબંધિત સ્થળો પર કરવામાં આવ્યા. તપાસ દરમિયાન EDએ મોટાપાયે દસ્તાવેજો, ડિજિટલ ડેટા અને કમ્પ્યુટર સાબૂત એકત્ર કર્યા છે. ₹3 કરોડના દાગીના અને ₹23 લાખની FD ફ્રીઝ આ કાર્યવાહી દરમિયાન EDએ અંદાજિત ₹3 કરોડના સોના અને હીરાના દાગીના, ₹23 લાખની ફિક્સ ડિપોઝિટ (FD), મોટી સંખ્યામાં નાણાકીય દસ્તાવેજો, કમ્પ્યુટર ડેટા અને સોસાયટી રેકોર્ડ જપ્ત કર્યા છે. આ તમામ…

અંક જ્યોતિષ/12 ઓક્ટોમ્બર 2025: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…

રાશિફળ/12 ઓક્ટોમ્બર 2025: આ રાશિના જાતકોને વ્યવસાયમાં થશે અઢળક લાભ, જાણો શુભ અંક

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ તમારા વિનમ્ર વર્તનની સરાહના થશે. અનેક લોકો તમારા છુટ્ટા મોંએ વખાણ કરશે. બહાર કોઈ ચીજ ખરીદવા દોડવાને બદલે તમારી પાસે જે હો તેનો ઉપયોગ પહેલા કરો. ઘરમાં કેટલાક ફેરફારો તમને ખાસ્સા સંવેદનશીલ બનાવી દેશે- પણ તેમ તમારી લાગણીઓ અસરકારક રીતે જેમનું મહત્વ છે એવા લોકો સુધી પહોંચાડવામાં સફળ થશો. સામાજિક અંતરાયો પાર નહીં કરી શકો. જો તમે પરિણીત છો અને બાળકો છે,…