પાકિસ્તાની આર્મી પર તૂટી પડ્યાં તાલિબાન લડાકૂઓ: 12 સૈનિકોની હત્યા, અફઘાને અનેક ચોકીઓ પર કબજો કર્યો

દક્ષિણ એશિયામાં તણાવ ઘેરાવાની ઘડી છે. અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે, જેમાં તાજેતરના હુમલામાં તાલિબાન દળોએ 12 પાકિસ્તાની સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા હોવાનું અફઘાન સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે.

તાલિબાનના લડાકૂઓએ પાકિસ્તાની સેનાની ઘણી ચોકીઓ ઉપર હુમલો કરીને નિયંત્રણ મેળવ્યું છે. કાબુલ નજીક પાકિસ્તાનના હવાઈ હુમલાના જવાબમાં, અફઘાને આ પગલાં લીધા હોવાનો પણ દાવો છે.

અફઘાન દળોની કાર્યવાહી: કડક અને હિંસાત્મક જવાબ
અફઘાન રક્ષા મંત્રાલય મુજબ, અફઘાન દળોએ કુનાર અને હેલમંડ પ્રદેશની સરહદે પાકિસ્તાની લશ્કરી ચોકીઓ પર તોડફોડ કરી છે. બહરમચા જિલ્લામાં સ્થિત શકીઝ, બીબી જાની અને સાલેહાન વિસ્તારોમાં ભારેલી તોફાની લડાઈ ચાલી રહી છે, જે હવે પક્તિયા પ્રાંત સુધી ફેલાઈ ગઈ છે. “આ કાર્યવાહી પાકિસ્તાનના હવાઈ હુમલાનો જવાબ છે. અફઘાનિસ્તાનની જમીનનું રક્ષણ કરવાની અમે કसम ખાધી છે,” – અફઘાન રક્ષા મંત્રાલય

હવાઈ હુમલાનો બદલો?
ઘટનાક્રમ મુજબ, થોડા દિવસ પહેલા પાકિસ્તાને કાબુલ નજીક હવાઈ હુમલો કર્યો હોવાનો આરોપ અફઘાનિસ્તાન દ્વારા લગાવવામાં આવ્યો હતો. જોકે પાકિસ્તાને હજુ સુધી આ હવાઈ હુમલાની પુષ્ટિ કરી નથી. 201 ખાલિદ બિન વાલિદ કોર્પ્સ એ કહ્યું કે તેમણે “નંગરહાર અને કુનાર” ખાતે પાકિસ્તાની લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવી જવાબ આપ્યો છે.

પાકિસ્તાનની જવાબી કાર્યવાહી
પાકિસ્તાની સેનાએ પણ પોતાના સત્તાવાર મીડિયા હેન્ડલ દ્વારા કેટલાક ફોટા અને વિડિઓઝ જાહેર કર્યા છે, જેમાં તેઓએ દાવો કર્યો કે અફઘાન સેનાની 5થી વધુ ચોકીઓ નશ્ત કરી દેવામાં આવી છે.

પાકિસ્તાની મીડિયા અનુસાર:
– 3 સૈનિકો માર્યા ગયા
– 5 ઘાયલ થયા
જવાબી તોપમાર અને હુમલાની કામગીરી ચાલુ છે

તણાવ વધ્યો, યુદ્ધ સંકેત તેજ
અફઘાનિસ્તાને જે રીતે “ડ્યુરન્ડ લાઇન” (અફઘાન-પાક સરહદ) પાસેની ચોકીઓ કબજે કરવાનો દાવો કર્યો છે, તે દ્વિપક્ષીય યુદ્ધનો સંકેત આપી રહ્યું છે. બંને દેશોએ સરહદી વિસ્તારોમાં સેનાનો જમાવડો વધાર્યો છે અને હાઇ એલર્ટ જાહેર કર્યો છે.

આ ઘટનાઓ દક્ષિણ એશિયામાં સ્થિરતા માટે ચિંતાજનક છે. તાલિબાન સરકારના અણધાર્યા પ્રતિસાદો અને પાકિસ્તાન તરફથી સતત દાવો અને જવાબ વચ્ચે હવે કૂટનૈતિક દ્રષ્ટિકોણ નહીં, પણ સૈનિક પગલાં વધુ જોવા મળી રહ્યા છે.

Related Posts

ખેડૂતો માટે રાહતના સમાચાર: ગુજરાતમાં આગામી 6 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિ બાદ હવે હવામાનમાં રાહત જોવા મળી રહી છે. સતત વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં જનજીવન પ્રભાવિત થયું હતું, નદીઓમાં નવા નીર આવ્યા હતા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. હવે હવામાન વિભાગે રાજ્ય માટે રાહતના સમાચાર આપ્યા છે. ગુજરાતમાં ભારતીય હવામાન વિભાગ (IMD)ના અનુમાન મુજબ, 3 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદની શક્યતા ઓછી છે. આગામી છ દિવસ દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં માત્ર હળવાથી મધ્યમ વરસાદ અને છૂટાછવાયા ઝાપટાં પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ આગાહી ખેડૂતો માટે ખાસ કરીને રાહતરૂપ માનવામાં આવી રહી છે, કારણ કે સતત ભારે વરસાદના કારણે ખેતીના પાકને નુકસાન થવાની આશંકા…

ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર 8થી 10 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે

ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રને લઈને સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. રાજ્યપાલ દ્વારા 15મી ગુજરાત વિધાનસભાના આઠમા સત્રનું આહ્વાન કરવામાં આવ્યું છે. આ સત્ર આગામી 8, 9 અને 10 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. ત્રણ દિવસ ચાલનારા આ સત્રમાં રાજ્ય સરકાર દ્વારા વિવિધ સરકારી કામકાજ, વિધેયકો અને મહત્વપૂર્ણ મુદ્દાઓ રજૂ કરવામાં આવશે, જ્યારે વિપક્ષ પણ રાજ્યની વર્તમાન પરિસ્થિતિને લઈને સરકારને ઘેરવાની તૈયારીમાં છે. વિધાનસભાનું સત્ર રાજ્યના વહીવટી અને રાજકીય દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દરમિયાન ધારાસભ્યોને પોતાના મતવિસ્તાર સાથે જોડાયેલા પ્રશ્નો, સમસ્યાઓ અને સૂચનો રજૂ કરવાની તક મળે છે. સત્ર દરમિયાન રાજ્યના વિવિધ વિકાસલક્ષી મુદ્દાઓ તેમજ જનતાને અસર કરતા પ્રશ્નો પર ચર્ચા થવાની શક્યતા છે. ગુજરાત વિધાનસભાના રાજ્યપાલે કર્યું સત્રનું આહ્વાન ગુજરાત વિધાનસભાના આઠમા સત્ર માટે રાજ્યપાલ દ્વારા…