ઈરાનનો ટ્રેમ્પ સામે વિચિત્ર આરોપ: બે લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કરવાની ઓફર ફગાવી

ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવમાં એક નવા અને ગંભીર વળાંક આવ્યો છે. ઈરાનના રાષ્ટ્રીય સુરક્ષા સમિતિના ઉપાધ્યક્ષ મહમૂદ નબાવિયનએ દાવો કર્યો છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઓમાનમાં મંત્રણા શરૂ થાય તે પહેલાં એક અજિબ પ્રસ્તાવ મોકલ્યો હતો. પ્રસ્તાવમાં, અમેરિકાએ ઈરાનના બે લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કરવાની ઓફર મૂકી અને બદલે ઈરાનની પ્રતિસાદ માટે ‘યોગ્ય જવાબ’ મર્યાદિત રાખવાનો પ્રયાસ કર્યો હતો. નબાવિયાને અનુસાર, આ પ્રકારની ‘ફિક્સ્ડ’ યુદ્ધની યોજના પાછળ હેતુ વિશ્વ સમક્ષ અમેરિકાની શક્તિ દર્શાવવાનો હતો. તેમ છતાં, ઈરાને આ ઓફર તત્કાળ નકારી દીધી છે. નબાવિયાનીએ વધુમાં જણાવ્યું કે, અમેરિકાએ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ માદુરો સામે જે ગુપ્ત કારવાઈ કરી હતી, તે જ રીત ઈરાન સામે ઘડવામાં આવી હતી. પરંતુ ઈરાનની સુરક્ષા એજન્સીઓની સતર્કતાને કારણે અપહરણ પ્રયાસ…

ગ્લોબલ ટીચર પ્રાઇઝ 2026: રૂબલ નાગી–ભારતની ગૌરવમય જીત

ગ્લોબલ ટીચર પ્રાઇઝ 2026 જીતનાર રૂબલ નાગી બની ગ્લોબલ સેન્સેશન આ દિવસોમાં ભારતની મહિલા શિક્ષિકા રૂબલ નાગી સતત ચર્ચામાં છે. પોતાના અનોખા શિક્ષણ કાર્ય અને સમર્પણના બળ પર તેમણે દુનિયાભરના શિક્ષકોને પાછળ છોડી ગ્લોબલ ટીચર પ્રાઇઝ 2026 જીત્યો છે અને ભારતનું નામ વૈશ્વિક સ્તરે ઉજાગર કર્યું છે. દુબઈમાં આયોજિત એક આંતરરાષ્ટ્રીય સમ્મેલનમાં રૂબલ નાગીને 10 લાખ ડોલર (લગભગ 9 કરોડ રૂપિયા) ની પ્રાઇઝ મની સાથે આ પ્રતિષ્ઠિત પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વંચિત અને ગરીબ બાળકોને અલગ અને સર્જનાત્મક રીતે શિક્ષણ આપીને તેઓ ગ્લોબલ સેન્સેશન બની ગયા છે. પોતાની પ્રેરણાદાયક સફર વિશે રૂબલ નાગીએ કહ્યું કે, “મારી આ યાત્રાની શરૂઆત આજથી 27 વર્ષ પહેલા થઈ હતી, જ્યારે એક આર્ટ વર્કશોપ દરમિયાન મારી મુલાકાત એવા બાળક સાથે…

ટ્રમ્પના ‘બોર્ડ ઓફ પીસ’ની અમેરિકામાં પહેલી બેઠક, પાકિસ્તાનને પણ મળ્યું આમંત્રણ

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શરૂ કરેલી નવી આંતરરાષ્ટ્રીય પહેલ “બોર્ડ ઓફ પીસ”ની પહેલી બેઠક આગામી 19 ફેબ્રુઆરીએ વોશિંગ્ટન ડીસીમાં યોજાવાની છે. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ ગાઝા વિસ્તારમાં પુનર્નિર્માણ માટે નાણાં એકત્ર કરવાનો અને સંઘર્ષ બાદ સ્થિરતા લાવવાના પ્રયાસોને ગતિ આપવાનો છે. માહિતી અનુસાર, આ બેઠક યુએસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પીસ ખાતે યોજાશે, જેમાં વિવિધ દેશોના નેતાઓ અને ગાઝા માટે રચાયેલી કાર્યકારી સમિતિના સભ્યો હાજરી આપી શકે છે. આ સમિતિ ગાઝાના શાસન, સુરક્ષા અને વિકાસ સંબંધિત મુદ્દાઓ પર માર્ગદર્શન આપશે. ‘બોર્ડ ઓફ પીસ’ની રચના મૂળરૂપે ઇઝરાયલ-હમાસ સંઘર્ષ બાદ ગાઝામાં શાંતિ અને સ્થિરતા સ્થાપિત કરવા માટે કરવામાં આવી હતી. તેનો હેતુ યુદ્ધવિરામને મજબૂત બનાવવો, માનવતાવાદી સહાયમાં વધારો કરવો અને લાંબા ગાળે ગાઝાનું પુનર્નિર્માણ સુનિશ્ચિત કરવાનો છે. જોકે, અહેવાલો…

દ્વિપક્ષીય બેઠકમાં PM મોદીએ મલેશિયાને આપ્યો સ્પષ્ટ સંકેત, જાણો વિગત

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મલેશિયાના વડા પ્રધાન અનવર ઇબ્રાહિમ સાથે યોજાયેલી દ્વિપક્ષીય બેઠક દરમિયાન આતંકવાદ સામે કડક વલણ વ્યક્ત કર્યું હતું. સંયુક્ત પ્રેસ નિવેદનમાં પીએમ મોદીએ જણાવ્યું કે ભારત અને મલેશિયા વિશ્વાસ અને ભાગીદારીના આધારે પોતાના સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા માટે પ્રતિબદ્ધ છે. સુરક્ષા ક્ષેત્રે બંને દેશો આતંકવાદ સામે સંયુક્ત રીતે લડત આપવા, ગુપ્તચર માહિતીની આપ-લે વધારવા અને દરિયાઈ સુરક્ષાને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ સાથે જ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા જળવાઈ રહે તે માટે સંરક્ષણ સહયોગને વધુ વિસ્તૃત કરવાની પણ વાત કરી. ટેકનોલોજીના મહત્વ પર ભાર મૂકતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ભારત અને મલેશિયા કૃત્રિમ બુદ્ધિ (AI), ડિજિટલ ટેકનોલોજી અને સેમિકન્ડક્ટર જેવા અદ્યતન ક્ષેત્રોમાં સહયોગ વધારશે. ઉપરાંત, આરોગ્ય અને ખાદ્ય સુરક્ષા…

પીએમ મોદીબે દિવસના મલેશિયા દૌરાએ,દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસીય મલેશિયા પ્રવાસે છે. પ્રવાસના પ્રથમ દિવસે તેમણે ભારતીય સમુદાયને સંબોધિત કરતાં ‘IMPACT’ વિઝન રજૂ કર્યું અને UPI લોન્ચ કરવાની જાહેરાત કરી. પ્રવાસના બીજા દિવસે પ્રધાનમંત્રી મોદીએ મલેશિયાના પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય વાર્તા કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસીય સત્તાવાર પ્રવાસે મલેશિયા પહોંચ્યા છે. ઓગસ્ટ 2024 માં ભારત–મલેશિયા સંબંધોને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીનો દરજ્જો મળ્યા બાદ આ તેમનો પ્રથમ પ્રવાસ છે, જેને દ્વિપક્ષીય સંબંધોને નવી ગતિ આપવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે. કુઆલાલંપુર પહોંચતાં જ મલેશિયાના પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમે એરપોર્ટ પર જાતે તેમનું સ્વાગત કર્યું. પ્રધાનમંત્રી મોદીએ અહીં ભારતીય નાગરિકો સાથે પણ મુલાકાત કરી. “કોઈ બેવડા માપદંડ નહીં, કોઈ સમાધાન નહીં”-પો મોદી મલેશિયાના પ્રધાનમંત્રી ઇબ્રાહિમ સાથેની પ્રેસ કોન્ફરન્સમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, “અમે પ્રાદેશિક…

રશિયામાં લોહિયાળ ખેલ: મેડિકલ યુનિવર્સિટીની હોસ્ટેલમાં કિશોરનો છરીથી હુમલો, એક ભારતીય સહિત 8 ઘાયલ

રશિયાના બાશ્કોર્ટોસ્તાન રિપબ્લિકમાં આવેલી ઉફા સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીના હોસ્ટેલમાં શનિવારે સાંજે ભયાનક ઘટના સામે આવી છે. હોસ્ટેલના સ્પોર્ટ્સ હોલમાં ઘૂસી આવેલા 15 વર્ષીય કિશોરે અચાનક વિદેશી વિદ્યાર્થીઓ પર છરીથી હુમલો કર્યો હતો. આ ઘટનામાં એક ભારતીય વિદ્યાર્થી સહિત કુલ 6 વિદેશી વિદ્યાર્થીઓ અને 2 રશિયન પોલીસ અધિકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, હુમલાખોર કિશોર છાત્રાલયમાં ઘૂસીને સ્પોર્ટ્સ હોલમાં હાજર વિદ્યાર્થીઓ પર આડેધડ છરીના ઘા મારવા લાગ્યો હતો. ઘટના સ્થળે અફરાતફરી મચી ગઈ હતી. હુમલાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ ધરપકડનો પ્રતિકાર કરતા હુમલાખોરે બે પોલીસ અધિકારીઓને પણ છરી મારી હતી. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હુમલા બાદ આરોપીએ પોતાને પણ ગંભીર ઇજા પહોંચાડી હતી. રશિયન મીડિયા ચેનલ ‘રેન ટીવી’…

ભારત–અમેરિકા વચ્ચે ઐતિહાસિક વેપાર સમજૂતી: ટ્રમ્પ–મોદીના નેતૃત્વમાં ‘વચગાળાના કરાર’નું એલાન

ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા વચ્ચે વેપાર ક્ષેત્રે એક ઐતિહાસિક અને વ્યૂહાત્મક સિદ્ધિ નોંધાઈ છે. બંને દેશોએ પરસ્પર લાભ અને સંતુલિત વેપાર સંબંધોને નવી દિશા આપતા એક માળખાગત ‘વચગાળાના કરાર’ (Interim Trade Agreement) પર પહોંચવાની જાહેરાત કરી છે. આ કરાર 13 ફેબ્રુઆરી, 2025ના રોજ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ જે. ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં શરૂ થયેલી દ્વિપક્ષીય વેપાર કરાર (BTA) વાટાઘાટોનું મહત્વપૂર્ણ પરિણામ છે. આ કરારનો મુખ્ય ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચે મજબૂત સપ્લાય ચેઈન વિકસાવવાનો, સમાન બજાર પ્રવેશ સુનિશ્ચિત કરવાનો અને વેપારમાં અવરોધો ઘટાડવાનો છે. તેને ભારત–અમેરિકા સંબંધોમાં વિશ્વાસ અને વ્યૂહાત્મક ભાગીદારીનું પ્રતીક ગણાવવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રી મોદીની પ્રતિક્રિયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર આ કરારને ભારત અને અમેરિકા માટે ‘શુભ સમાચાર’…

યુએનનો મોટો નિર્ણય: ઉત્તર કોરિયાને પ્રતિબંધો વચ્ચે મળશે માનવતાવાદી સહાય

વર્ષોથી આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો અને પરમાણુ વિવાદોમાં ઘેરાયેલું ઉત્તર કોરિયા હવે યુએન દ્વારા માનવતાવાદી સહાય પ્રાપ્ત કરશે. સંયુક્ત રાષ્ટ્ર (UN) સુરક્ષા પરિષદની પ્રતિબંધ સમિતિએ ઉત્તર કોરિયામાં ચાલી રહેલા માનવતાવાદી પ્રોજેક્ટ્સને પ્રતિબંધોમાંથી મુક્તિ આપવાનો નિર્ણય લીધો છે. શુક્રવારે સિઅલના રાજદ્વારી સૂત્રોએ આ જાણકારી પુષ્ટિ કરી છે. હવે આ ગરીબ દેશમાં જીવનજરૂરી ચીજો પહોંચાડવાનો માર્ગ ખુલ્લો થશે. 17 પ્રોજેક્ટ્સને લીલી ઝંડી માહિતી મુજબ યુનિસેફ (UNICEF) જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ તેમજ દક્ષિણ કોરિયા અને અમેરિકાની એનજીઓ દ્વારા ચલાવવામાં આવતા 17 જેટલા પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ્સ હેઠળ ઉત્તર કોરિયાના બાળકોને પોષણયુક્ત આહાર, તબીબી સાધનો અને સ્વચ્છ પાણી માટે વોટર પ્યુરિફિકેશન સિસ્ટમ પૂરી પાડવામાં આવશે. લાંબા સમય સુધી વોશિંગ્ટન દ્વારા આ સહાય અટકાવવામાં આવી હતી, પરંતુ હવે તેને મંજૂરી મળી…

પાકિસ્તાનની ‘એકતા’નો ફિયાસ્કો: બ્રેડફોર્ડમાં કાશ્મીરીઓએ ઇસ્લામાબાદના જૂઠાણાંની પોલ ખોલી

પાકિસ્તાન દર વર્ષે 5 ફેબ્રુઆરીએ ‘કાશ્મીર એકતા દિવસ’ ઉજવતું છે અને કાશ્મીરીઓના હકનો દાવો કરતું દેખાવ કરે છે. પરંતુ આ વર્ષે બ્રિટનના બ્રેડફોર્ડમાં પાકિસ્તાની કોન્સ્યુલેટની બહાર કાશ્મીરી લોકોએ મોટું વિરોધ પ્રદર્શન કરીને પાકિસ્તાનની છલકામ અને PoJKમાં થતા અત્યાચારની ખરાબ હકીકત દુનિયા સામે ઊઘાડી દીધી છે. ‘આ એકતા નહીં, છેતરપિંડી છે’ યુનાઇટેડ કાશ્મીર પીપલ્સ નેશનલ પાર્ટી (UKPNP) દ્વારા આયોજિત વિરોધ પ્રદર્શન દરમિયાન કાશ્મીરીઓએ પાકિસ્તાનની ઉજવણીને સખત શબ્દોમાં નકારી કાઢી હતી. UKPNP ના સેક્રેટરી સરદાર તાહિર ખાને જણાવ્યું, “પાકિસ્તાન દ્વારા મનાવવામાં આવતો આ દિવસ કાશ્મીરીઓ સાથે એક મોટી મજાક અને છેતરપિંડી છે. ખરેખર તો આ દિવસને ‘વિશ્વાસઘાત દિવસ’ તરીકે મનાવવો જોઈએ.” પ્રદર્શનકારોએ “અમારી નદીઓ અમારી છે” અને “જમીન હડપવાનું બંધ કરો” જેવા સૂત્રોચ્ચાર કરીને પાકિસ્તાની સેનાના અત્યાચારનો પ્રતિકાર…

પાકિસ્તાનનો આતંકી પ્રેમ ફરી ઉજાગર: ‘કાશ્મીર એકતા દિવસ’ પર PoKમાં UN-પ્રતિબંધિત આતંકીઓએ મંચ શોભાવ્યો

પાકિસ્તાન દ્વારા ઉજવાતા ‘કાશ્મીર એકતા દિવસ’ની આડમાં આતંકવાદને મળતું ખુલ્લું સમર્થન ફરી એકવાર દુનિયા સામે આવી ગયું છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)ના રાવલકોટમાં યોજાયેલી સત્તાવાર રેલીઓમાં સંયુક્ત રાષ્ટ્ર (UN) દ્વારા પ્રતિબંધિત જાહેર કરાયેલા આતંકવાદી સંગઠનો અને તેમના ટોચના નેતાઓ ખુલ્લેઆમ મંચ પર નજરે પડ્યા હતા. ભારતીય સુરક્ષા એજન્સીઓ દ્વારા તૈયાર કરાયેલા ડોઝિયર જેમાં જે આતંકીઓના નામો નોંધાયેલા છે, તે જ ચહેરાઓ પાકિસ્તાનની ધરતી પર ભારત વિરોધી ભાષણો આપતા જોવા મળ્યા છે. જૈશ-એ-મોહમ્મદની ખુલ્લી રેલી ટાઇમ્સ નાઉના અહેવાલ મુજબ, 5 ફેબ્રુઆરીએ રાવલકોટમાં જૈશ-એ-મોહમ્મદ (JeM) દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં સશસ્ત્ર આતંકવાદીઓ તેમજ સંગઠનના વરિષ્ઠ મૌલવીઓએ ભાગ લીધો હતો. મંચ પર મસૂદ અઝહરના નજીકના સંબંધીઓ અને કમાન્ડરો—મૌલાના અબ્દુલ મતીન, મુફ્તી મસૂદ ઇલ્યાસ અને સૈફુલ્લાહ…