મલેશિયાના પૂર્વ PM અબ્દુલ્લા અહમદ બદાવીનું 85 વર્ષની વયે નિધન, હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
મલેશિયાના ભૂતપૂર્વ વડાપ્રધાન અબ્દુલ્લા અહમદ બદાવીનું 85 વર્ષની વયે અવસાન થયું છે. અબ્દુલ્લા લાંબા સમયથી બીમાર હતા. કુઆલાલંપુરની એક હોસ્પિટલે તેમના મૃત્યુની માહિતી આપી છે. અબ્દુલ્લાને 25 એપ્રિલ, 2024 ના રોજ નેશનલ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના ક્રિટિકલ કેર યુનિટમાં દાખલ કરવામાં આવ્યા હતા. અબ્દુલ્લા ન્યુમોથોરેક્સ નામની બીમારીથી પીડાતા હતા. મલેશિયાના ભૂતપૂર્વ વડાપ્રધાન “પાક લાહ” તરીકે પણ જાણીતા હતા. અબ્દુલ્લાને રવિવારે શ્વાસ લેવામાં તકલીફ થતાં કુઆલાલંપુરના સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાર્ટમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં કાર્ડિયોલોજિસ્ટની ટીમ દ્વારા તેમનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું હતું. પરંતુ તમામ પ્રયાસો છતાં, તેમનું સોમવારે સાંજે 7:10 વાગ્યે અવસાન થયું. 22 વર્ષ સુધી વડાપ્રધાન તરીકે સેવા આપ્યા બાદ અનુભવી નેતા મહાથિર મોહમ્મદના રાજીનામા બાદ 2003માં અબ્દુલ્લા વડાપ્રધાન બન્યા હતા. અબ્દુલ્લા અહમદ બદાવીના પિતા મલેશિયાના…
અમેરિકાની ભારે ટેરિફ નીતિની ચીન પર વ્યાપક અસર નહીં? નિકાસમાં જોવા મળી મજબૂતી
અમેરિકા દ્વારા ચીન પર ભારે ટેરિફ લાદવામાં આવ્યા હોવા છતાં, ચીનના અર્થતંત્ર પર કોઈ ખાસ અસર પડી નથી. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વ હેઠળ, ચીનથી આવતા ઘણા ઉત્પાદનો પર 145 % સુધીની આયાત જકાત લાદવામાં આવી હતી, છતાં માર્ચ 2025 માં ચીનની નિકાસમાં વાર્ષિક ધોરણે 12.4 %નો તીવ્ર વધારો નોંધાયો હતો. ચીનના સરકારી ડેટા અનુસાર, જાન્યુઆરીથી માર્ચ સુધીના પ્રથમ ત્રિમાસિક ગાળામાં નિકાસમાં 5.8%નો વધારો થયો છે, જ્યારે આયાતમાં 7%નો ઘટાડો થયો છે. માર્ચ મહિનામાં જ ચીનની કુલ આયાતમાં 4.3%નો ઘટાડો થયો છે. અમેરિકા સાથેનો વેપાર સરપ્લસ વધ્યો માર્ચ મહિનામાં ચીનનો અમેરિકા સાથેનો વેપાર સરપ્લસ $27.6 બિલિયન હતો. ફક્ત માર્ચ મહિનામાં જ, ચીનની અમેરિકામાં નિકાસમાં 4.5%નો વધારો થયો હતો, અને સંપૂર્ણ ત્રિમાસિક ગાળા (જાન્યુઆરી-માર્ચ) દરમિયાન ચીને અમેરિકા…
સિંગાપોરના પીએમ લોરેન્સ વોંગે ભારતીય સમુદાયની કરી પ્રશંસા, જાણો શું કહ્યું
સિંગાપોરના વડાપ્રધાન લોરેન્સ વોંગે દેશના વિકાસમાં ભારતીય સમુદાયના યોગદાનની હૃદયપૂર્વક પ્રશંસા કરી છે. વ્યવસાય, ઉદ્યોગ અને જાહેર જીવનના ઘણા ક્ષેત્રોમાં ભારતીયોની ભૂમિકાનો સ્વીકાર કરતા તેમણે કહ્યું, “તમે એક નાનો સમુદાય હોઈ શકો છો, પરંતુ તમારું યોગદાન અને પ્રભાવ નાનો ન હોઈ શકે.” વડાપ્રધાન લોરેન્સ વોંગે કહ્યું કે, “તમે સિંગાપોરની ભાવનાનું પ્રતિબિંબ છો. તમારી વાર્તા સિંગાપોરની વાર્તા છે,” પીએમ વોંગે કહ્યું. તેમણે ભારતીય સમુદાય સાથેના સંવાદ કાર્યક્રમ દરમિયાન આ વાત કહી, જ્યાં તેમણે ભારતીય મૂળના લોકો અંગે પીપલ્સ એક્શન પાર્ટી (PAP) ની ભાવિ વ્યૂહરચના પણ શેર કરી. આગામી ચૂંટણીઓમાં ભારતીય ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવશે પીએમ વોંગે જણાવ્યું હતું કે આગામી સામાન્ય ચૂંટણીઓમાં PAP દ્વારા ભારતીય સમુદાયના નવા ચહેરાઓને પણ ઉમેદવાર તરીકે ઉતારવામાં આવશે. જોકે, તેમણે હાલમાં કોઈ…
મુર્શિદાબાદ હિંસા પર કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય, BSFની વધુ 5 ટુકડી મોકલાશે
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં વક્ફ કાયદા વિરુદ્ધ થયેલી હિંસા વચ્ચે, કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવ્યું છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં BSFની 5 વધારાની કંપનીઓ મોકલવાનો નિર્ણય લીધો છે. આ કંપનીઓમાં કુલ 400 થી વધુ સૈનિકોનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં, બે મુખ્ય વિસ્તારોમાં 300 સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે, અને આજે આ સંખ્યા વધીને 700 થઈ જશે. ત્રણના મોત, અનેક ઘાયલ શુક્રવારે શરૂ થયેલી હિંસાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું, જેમાં અત્યાર સુધીમાં ત્રણ લોકોના મોત થયા છે. ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જિલ્લાના ઘણા ભાગોમાં આગચંપી, તોડફોડ અને પથ્થરમારા જેવા બનાવો નોંધાયા હતા. CRPF અને RAF પણ તૈનાત કરવામાં આવશે ગૃહ મંત્રાલયે આ વિસ્તારમાં CRPF અને રેપિડ એક્શન ફોર્સ (RAF) ની કંપનીઓ મોકલવાની તૈયારી પણ શરૂ…
મેઘરજના ભેમાપુર ગામે 60 ઉંડા કુવામાંથી ગાયનું રેસ્ક્યુ કરાયું
મેઘરજ તાલુકાના ભેમાપુર ગામમાં તાજેતરમાં એક અનોખી ઘટના બની છે. જેમાં ગામમાં આવેલા 60 ફૂટઉંડા કુવામાં ગાય પડી હતી. અને ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો દ્વારા ગાયનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આ રેસ્ક્યુની પ્રક્રિયા દરમિયાન સ્થાનિક લોકો અને તંત્ર દ્વારા ગાયની સુરક્ષા માટે તત્કાળ પગલાં લેવામાં આવ્યા હતા. અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ભેમાપુર ગામમાં 60 ફૂટ ઊંડા કૂવામાં પડી હતી. જેને લઈને કુવામાંથી ગાયનું રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવી હતી. બીજી તરફ મેઘરજ તાલુકાના ભેમાપુર ગામની જીવદયા ટીમે ગાય માતાને બચાવતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. ઈપલોડા ગામના ખેડૂત બાબુભાઈ હીરાભાઈની ગાય કુવામાં ખાબકી હતી જેને ખૂબ જ મહેનતથી બચાવવામાં આવતા થતાં જ ખુશી જોવા મળી… રિપોર્ટર-મેઘરજ , જગદીશ પ્રજાપતિ Follow us On Social Media…
કોંગ્રેસનું ફોકસ ગુજરાત પર, રાહુલ ગાંધીએ તૈયાર કરી આ રણનીતિ
વડાપ્રધાનના હોમ સ્ટેટમાં કોંગ્રેસ હવે 2027ની ચૂંટણી માટે રણનીતિ ઘડી રહી છે. હવે અમદાવાદમાં કોંગ્રેસના તાજેતરના બે દિવસીય અધિવેશનબાદ, કોંગ્રેસ તેના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ જિલ્લા પ્રમુખ સશક્તિકરણ કાર્યક્રમની શરૂઆત ગુજરાતમાંથી જ કરવા જઈ રહી છે. કોંગ્રેસ દ્વારા જિલ્લા એકમોને સશક્ત બનાવીને જમીન પર પોતાના સંગઠનને મજબૂત બનાવવા માટે શરૂ કરાયેલું અભિયાન 15 એપ્રિલથી ગુજરાતમાં શરૂ થઈ રહ્યું છે. જેને લઈને કોંગ્રેસે ઔપચારિક રીતે કેન્દ્રીય અને રાજ્ય નિરીક્ષકોની યાદી બહાર પાડી છે. આમાં, 43 કેન્દ્રીય નિરીક્ષકો, સાત સહયોગી નિરીક્ષકો અને 183 રાજ્ય નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. ગુજરાતમાં કોંગ્રેસ હવે ગ્રાઉન્ડ લેવલે ઉતરવા માટે રણનીતિ ઘડી રહી છે. ત્યારે હવે જિલ્લા અધ્યક્ષોની નિમણૂક માટે કમર કસી છે અને 43 કેન્દ્રીય નિરીક્ષકો, સાત સહયોગી નિરીક્ષકો અને 183 રાજ્ય નિરીક્ષકોની…
અંક જ્યોતિષ/13 એપ્રિલ 2025; આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…
કુંભ સહિત આ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ, ખૂલી શકે છે પ્રગતિના દ્વાર; જાણો તમારું રાશિ ભવિષ્ય
વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ તમારી જાતને તંદુરસ્ત અને સ્વસ્થ રાખવા માટે ઉચ્ચ કૅલૅરીયુક્ત આહાર ટાળો. પોતાના જીવનસાથી જોડે તમે આજે ભવિષ્ય માટે ની કોઈ યોજના બનાવી શકો છો અને શક્યતા છે કે તે યોજના સફળ પણ થાય. દીકરીની બીમારી તમારો મિજાજ ખરાબ કરી મુકશે. તેને આ બીમારીમાંથી બહાર નીકળવા માટે તમારો પ્રેમ અને લાગણી આપી તેનો મિજાજ બદલવામાં મદદ કરો પ્રેમમાં લોકોને સાજા કરવાની ગજબની શક્યતા…
અંક જ્યોતિષ/12 એપ્રિલ 2025; આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…
આ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ, થઈ શકે છે ધન લાભ; જાણો તમારું રાશિ ભવિષ્ય
વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ તમારામાંના કેટલાકને આજે મહત્વના નિર્ણયો લેવાની ફરજ પડશે જે તમને તાણગ્રસ્ત અને ઉદ્દીગ્ન કરી મુકશે. એક નવો આર્થિક સોદો પાર પડશે અને નાણાંનો નવો ધોધ વહેતો થશે. એક સુંદર અને અદભુત સાંજ માટે મહેમાનો તમારા ઘરમાં ભીડ કરશે. રૉમેન્ટિક યાદો તમારા દિવસ પર કબજો જમાવશે. ઘરમાં વિધી-હવન-મંગળ સંસ્કાર કરાવશો. તમારા જીવનસાથી આજ પૂર્વે આટલા અદભુત ક્યારેય નહોતા. વિદ્યાર્થીઓ આજે તેમના શિક્ષક સાથે…














