રિવરફ્રન્ટ હાઉસ ખાતે શહેરી વિકાસ રાજ્ય મંત્રી દર્શનાબહેન વાઘેલા દ્વારા ‘મોબિલિટી એક્ઝિબિશન’નું ઉદ્ઘાટન

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને શિફ્ટ ટ્રાન્સપોર્ટના સંયુક્ત ઉપક્રમે ‘અમદાવાદ નેક્સ્ટ’ અને ‘મોબિલિટી એક્ઝિબિશન’ કાર્યક્રમ શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલાની ઉપસ્થિતિમાં રીવરફ્રન્ટ હાઉસ ખાતે યોજાયો હતો. તા. 23 ફેબ્રુઆરી, 2026 સુધી ચાલનાર આ એક્ઝિબિશનના ઉદ્ઘાટન પ્રસંગે અમદાવાદને 2036 ની ઓલિમ્પિક્સ માટે તૈયાર કરવાના ભવ્ય વિઝનની રૂપરેખા રજૂ કરીહતી.   કાર્યક્રમના મુખ્ય અતિથિ શહેરી વિકાસ રાજ્ય મંત્રી દર્શનાબહેન વાઘેલાએ અમદાવાદની ‘લાલ બસ‘ AMTS થી શરૂ કરીને BRTS અને મેટ્રો સુધીની ઐતિહાસિક સફરને બિરદાવી હતી. તેમણે જણાવ્યું કે, આગામી 25 થી 50 વર્ષના આયોજન સાથે સેકન્ડ રીંગ રોડ, લોજિસ્ટિક પાર્ક અને સાબરમતી રિવરફ્રન્ટનું વિસ્તરણ અમદાવાદને વિશ્વસ્તરીય ‘લિવબલ સિટી’ બનાવશે. તેમણે રીંગ રોડ પર ટ્રાફિક ઘટાડવા કનેક્ટર વાહનોના ઉપયોગ અને મેટ્રો સ્ટેશનો પર પાર્કિંગ સુવિધા વધારવા પર ભાર મૂક્યો હતો.…

21મી ફેબ્રુઆરી- વિશ્વ માતૃભાષા દિવસ: માનવીના હૃદયને હૃદયથી જોડવાનું માધ્યમ એટલે માતૃભાષા

કોઈ અજાણ્યા દેશમાં કે પ્રદેશમાં આપણી ભાષામાં-માતૃભાષામાં વાત કરતી વ્યક્તિ મળી જાય, પછી ભલે તેને ન ઓળખતાં હોઈએ, તોપણ એક પ્રકારની સ્વજનસહ આત્મીયતા અનુભવાય એ સ્વાભાવિક છે. એટલે જ તો કહેવાય છે- ‘એક મા અને બીજી મારી માતૃભાષા’. આવી આપણી માતૃભાષાને પોંખવાનો દિવસ એટલે વિશ્વ માતૃભાષા દિવસ. “માતૃભાષા મારો શ્વાસ છે, મારી આત્માનો વિશ્વાસ છે; માતાની મમતા જેવી મીઠી, શબ્દે શબ્દે સુગંધિત આસ છે. જ્યાં પ્રથમ બોલ્યો ‘મા’ નો ઉચ્ચાર, ત્યાંથી જ જીવનનો આરંભ થયો; અક્ષર અક્ષર પ્રેમ ભળેલો, હૃદયમાં સંસ્કાર સંચિત થયો. માતૃભાષા: સંસ્કૃતિનો અરીસો સમગ્ર વિશ્વમાં દર વર્ષે 21 ફેબ્રુઆરીને ‘આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. જેની પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય વિશ્વભરમાં ભાષાકીય અને સાંસ્કૃતિક વિવિધતાને પ્રોત્સાહન આપવાનો તેમજ લુપ્ત થતી ભાષાઓને બચાવવાનો છે.…

ઉનાવા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, 4ના ઘટના સ્થળે મોત

મહેસાણા જિલ્લાના ઉનાવા પાસે ઊંઝા-મહેસાણા હાઇવે પર એક કરુણ અકસ્માત સર્જાયો છે. રાજસ્થાનથી લગ્ન પ્રસંગ પૂર્ણ કરીને અમદાવાદ પરત ફરી રહેલા એક પરિવારની ઇકો કાર ડિવાઇડર સાથે અથડાતા 4 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે, જ્યારે કારચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ મળતી માહિતી મુજબ, મૂળ રાજસ્થાનના પાલીના વતની અને હાલ અમદાવાદના રામોલ વિસ્તારમાં રહેતા કુમાવત પરિવારના સભ્યો લગ્ન પ્રસંગમાં હાજરી આપી પોતાની કારમાં પરત ફરી રહ્યા હતા. ઉનાવા નજીક પહોંચતા કારચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને કાર પૂરા જોરથી રોડ વચ્ચે આવેલા ડિવાઇડર સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માતમાં મોત પામેલા આ દુર્ઘટનામાં 2 પુરુષ, 1 મહિલા અને 1 માસૂમ…

સુરત : પોલીસ ભરતીની શારીરિક કસોટી દરમિયાન યુવકનું દુઃખદ અવસાન

સુરત જિલ્લામાં પોલીસ ભરતી માટે ચાલી રહેલી શારીરિક કસોટી દરમિયાન એક યુવકનું દુઃખદ અવસાન થયાની ઘટના સામે આવી છે. બનાવ કામરેજ તાલુકાના વાવ વિસ્તારમાં આવેલા SRP ગ્રુપ–11ના મેદાનમાં બન્યો હતો, જ્યાં ઉમેદવારોની દોડ સહિતની શારીરિક પરીક્ષાઓ લેવામાં આવી રહી હતી. શું છે સમગ્ર મામલો? મૃતક યુવકની ઓળખ વલસાડ જિલ્લાના રહેવાસી રવિન્દ્ર બારિયા તરીકે થઈ છે. માહિતી મુજબ, દોડની પરીક્ષા દરમિયાન અચાનક તે મેદાનમાં ઢળી પડ્યો હતો. સ્થળ પર હાજર સ્ટાફ અને અન્ય ઉમેદવારો દ્વારા તરત જ તેને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી અને તબિયત સ્થિર થયા બાદ તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હતો. જોકે બાદમાં કામરેજ ખાતે રોકાયેલા સમયે તેની તબિયત ફરી બગડતાં તે બેભાન થઈ ગયો. ફરી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, પરંતુ…

રાજકોટમાં નિવેદનથી વિવાદ: મોના થીબાની સ્પષ્ટતા અને જાહેર માફી

રાજકોટમાં ગુજરાતી ફિલ્મના પ્રમોશન દરમિયાન અભિનેત્રી મોના થીબાના વેશ્યાવૃત્તિ અંગેના નિવેદનથી ઊભેલા વિવાદ બાદ તેમણે જાહેરમાં માફી માંગી છે. સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા અને વિરોધ વચ્ચે અભિનેત્રીએ સ્પષ્ટતા કરી કે તેમની વાત ફિલ્મના સંદર્ભમાં કરવામાં આવી હતી, પરંતુ તેને અલગ રીતે રજૂ કરવામાં આવી. વિવાદ બાદ મોના થીબાની સ્પષ્ટતા મોના થીબાએ જણાવ્યું કે, “મેં મારી આવનારી ફિલ્મ ‘શક્તિ’ના સંદર્ભમાં આ વાત કરી હતી. રિસર્ચ દરમિયાન વેશ્યાવૃત્તિ સાથે સંકળાયેલી મહિલાઓ સાથે ચર્ચા થઈ હતી. ફિલ્મના સંદર્ભમાં કરેલી વાતને ખોટી રીતે રજૂ કરવામાં આવી છે. મારી વાતથી કોઈને ઠેસ પહોંચી હોય તો હું દિલથી માફી માંગું છું. અમે સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા લોકો છીએ.” ઉલ્લેખનીય છે કે રાજકોટમાં ફિલ્મના પ્રમોશન દરમિયાન મોના થીબાએ વેશ્યાવૃત્તિને “એક પ્રકારની…

વડાપ્રધાન મોદીના વિઝનને આગળ વધારતું ‘Amul AI’, પશુપાલનમાં ટેકનોલોજીનો સમાવેશ

ભારતના ડેરી ઉદ્યોગમાં એક નવી ક્રાંતિ શરૂ થઈ છે. અમૂલના AI સહાયક, “સરલાબેન”, ડેરી ખેડૂતો માટે ગેમ-ચેન્જર સાબિત થઈ રહ્યા છે. ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટમાં, ઇન્ફોસિસના સહ-સ્થાપક નંદન નીલેકણીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સફળતાની વાર્તા સંભળાવી. નીલેકણીએ સમજાવ્યું કે કેવી રીતે પીએમ મોદીના એક જ પ્રશ્ને ફક્ત 34 દિવસમાં એપ્લિકેશનને વાસ્તવિકતામાં ફેરવી દીધી. સમિટમાં, નીલેકણીએ કહ્યું, “8 જાન્યુઆરીએ, જ્યારે મેં પીએમ મોદી સાથે ખેડૂતો માટે એઆઈના ઉપયોગ અંગે ચર્ચા કરી, ત્યારે તેમણે પૂછ્યું, ‘આપણે ગાય અને પશુધન પર એઆઈ કેમ લાગુ ન કરી શકીએ? જો ગાય બીમાર હોય, તો તે પોતે કહી શકતી નથી. આપણે આ સમસ્યાનો ઉકેલ કેવી રીતે લાવી શકીએ?’ પીએમએ કૃષિ અને ડેરીમાં એઆઈના ઉપયોગ માટે પોતાનો દ્રષ્ટિકોણ શેર કર્યો.” તે જ દિવસે, પીએમઓએ…

Bharuch : મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા ભરૂચ ખાતે “મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલ”નું ભવ્ય ઉદ્ઘાટન

રિયાઝ પટેલ, ભરૂચ/ આજ રોજ મહિલા આર્થિક વિકાસ નિગમ, ગાંધીનગર દ્વારા ભરૂચ ખાતે “મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલ”નું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ફેસ્ટિવલનો મુખ્ય હેતુ મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવાનો, તેમની હસ્તકલા અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવાનો તેમજ સ્થાનિક ઉત્પાદનોને વ્યાપક બજાર ઉપલબ્ધ કરાવવાનો છે. કાર્યક્રમનું ઉદ્ઘાટન ડીડીઓ યોગેશ કાપસે તથા પ્રયોજના વહીવટદાર નિશા ચૌધરીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ અવસરે તેમણે મહિલાઓના આત્મનિર્ભર બનવાના પ્રયાસોને બિરદાવ્યા હતા અને આવા આયોજનોથી સ્થાનિક કલા અને હસ્તકલા ક્ષેત્રને વધુ વેગ મળશે તેવી આશા વ્યક્ત કરી હતી. કાર્યક્રમ દરમિયાન મહિલા અને બાળ અધિકારી કચેરીના મહિલા અને બાળ અધિકારી , દહેજ પ્રતિબંધક અધિકારી તેમજ તમામ કર્મચારીઓ, માહિતી કચેરીના પ્રતિનિધિઓ અને પત્રકાર મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ફેસ્ટિવલમાં વિવિધ…

ધોલેરા SIRમાં બનશે 250 મેગાવટ ગ્રીન AI રેડી ડેટા સેન્ટર કેમ્પસ, નવી દિલ્હીમાં થયા MoU

નવી દિલ્હીમાં યોજાઇ રહેલી ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026 અંતર્ગત ગુજરાતે AI ક્ષેત્રે એક મહત્વપૂર્ણ MoU કર્યા છે.આ સમિટમાં ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન એક્ટિવિટી અન્વયે ગુજરાત સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ અને લાર્સન એન્ડ ટ્રુબ્રો વ્યોમાં વચ્ચે આ MoU ધોલેરા SIR ખાતે 250 મેગા વોટના હાઇ પર સ્કેલ, ગ્રીન AI રેડી ડેટા સેન્ટરની સ્થાપના માટે કરવામાં આવ્યા છે. વન, પર્યાવરણ અને સાયન્સ -ટેકનોલોજી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની વિશેષ ઉપસ્થિતિમાં થયેલા MoU દ્વારા L & T વ્યોમાં રૂ. 25 હજાર કરોડનું રોકાણ આ પ્રોજેક્ટમાં કરશે તેમજ સંભવત: 2028 સુધીમાં પ્રોજેક્ટ કાર્યરત થઈ જશે. આ MoU ગુજરાતને AI ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ક્લાઉડ કમ્પ્યુટિંગ, એડવાન્સ્ડ એનાલિટિક્સ અને સસ્ટેનેબલ ડિજિટલ ઇકોસિસ્ટમ માટે અગ્રણી હબ તરીકે સ્થાપિત કરવાના સહિયારા વિઝન તથા ગુજરાત IT/ITeS નીતિ (2022-27) સાથે…

ખેડૂતોને ટ્રેક્ટર માટે સહાય આપવામાં ગુજરાત દેશભરમાં અગ્રેસર, જાણો છેલ્લા 5 વર્ષમાં કેટલી સહાય ચૂકવાઈ

વિધાનસભામાં ધારાસભ્ય દ્વારા રાજ્યમાં ટ્રેક્ટર સહાય યોજના અંગે પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ગુજરાતના કૃષિ યાંત્રીકીકરણના વધતા વ્યાપ અને સરકારની ખેડૂતલક્ષી નીતિઓની વિગતો રજૂ કરી હતી. મંત્રીએ જણાવ્યું હતું કે, ખેતીમાં શ્રમ ઘટાડવા અને ઉત્પાદકતા વધારવા માટે ટ્રેક્ટર એક અનિવાર્ય સાધન છે અને ગુજરાત સરકાર ખેડૂતોને આ દિશામાં મહત્તમ સહાય કરી રહી છે. કૃષિ મંત્રીએ ગૃહમાં ગૌરવપૂર્વક જણાવ્યું હતું કે, ગુજરાતમાં કૃષિ યાંત્રીકીકરણને વેગ આપવા માટે એજીઆર-50 (ટ્રેક્ટર સહાય યોજના)ની શરૂઆત વર્ષ 2011-12માં રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવી હતી. શરૂઆતમાં આ યોજના માત્ર રૂ. 55 કરોડની જોગવાઈથી શરૂ થઈ હતી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય વાવેતર અને ઉત્પાદનમાં વધારો કરી ખેતીને આધુનિક બનાવવાનો હતો. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં…

દીકરીઓની સુરક્ષા માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: લગ્ન નોંધણી નિયમોમાં ફેરફાર

ગુજરાત વિધાનસભાના ગૃહમાં આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નિયમ 44 હેઠળ એક અત્યંત મહત્વપૂર્ણ અને સંવેદનશીલ બાબત પર નિવેદન આપ્યું હતું. રાજ્યમાં દીકરીઓની સુરક્ષા અને સામાજિક માળખાને જાળવી રાખવા માટે સરકાર ‘ગુજરાત મેરેજ રજિસ્ટ્રેશન એક્ટ 2006’ના નિયમોમાં રહેલી લગ્ન નોંધણી પ્રક્રિયામાં ધરખમ સુધારા કરવા જઈ રહી છે. આ સુધારા અંતર્ગત હવે લગ્ન નોંધણી પ્રક્રિયામાં માતા-પિતાને સામેલ કરવામાં આવ્યા છે. લગ્ન નોંધણીમાં ‘છળકપટ’ રોકવા લાવવામાં આવેલા આ સુધારાઓ અંગે નાયબ મુખ્યમંત્રી એ ગૃહમાં વેદના સાથે જણાવ્યું હતું કે, રાજ્યમાં લગ્ન નોંધણી પ્રક્રિયામાં કેટલીક છટકબારીને કારણે ગેરઉપયોગ થઈ રહ્યો છે. અસામાજિક તત્વો પોતાની સાચી ઓળખ છુપાવી, લાલચ આપી કે છળકપટથી રાજ્યની દીકરીઓને પ્રેમની જાળમાં ફસાવે છે. પંચમહાલ જિલ્લામાં અનેક બોગસ લગ્નો નોંધાયા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી હતી.…