અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયો લઈને મનસુખ માંડવિયાનું મોટું નિવેદન, જાણો શું કહ્યું…….

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા રાજકોટની મુલાકાતે આવ્યાં છે. જ્યાંઅમેરિકા દ્વારા નાગરિકોને ડિપોર્ટ કરવા બાબતે પૂછાયેલ પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, દરેક દેશ પોતાની સ્ટ્રેટેજી અને કાયદા મુજબ ડિપોર્ટેશનની કાર્યવાહી કરે છે.

કેન્દ્રીય મંત્રની સ્પષ્ટતા :- સમગ્ર ઘટનાને લઇ અને અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવતા ભારતીયોને લઇ મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે કોઇ પણ દેશ ગેરકાયદેસ રીતે રહેતા નાગરિકોને ડિપોર્ટ કરે છે. આપણે પણ કરીએ છીએ જે પોતાનો સોવરિય રાઇટ છે. આ મુદ્દે કોઇ દેશ વિશેષ ટિપ્પણી ન કરી શકે. દરેક દેશ પોતાની નિયમો મુજબ કાર્યવાહી કરે છે.

ભારતીયોને ત્રણ તબક્કામાં ડિપોર્ટ કરાયા :- નોંધનીય છે કે, અમેરિકાએ ગેરકાયદે વસતા ભારતીયોને ત્રણ તબક્કામાં ડિપોર્ટ કરાયા હતા. અમેરિકાએ ત્રણ તબક્કામાં કૂલ 332 ભારતીયોને ડિપોર્ટ કર્યા. જેમાં 74 ગુજરાતીઓ છે. દિલ્હી અને ગુજરાતમાં પણ આ મુદ્દે હોબાળો મચ્યો હતો. અમેરિકા દ્વારા ગેરકાયદે રહેતા નાગરિકોને ડિપોર્ટ કરવાનો મુદ્દો એટલા માટે વધુ ઉહાપોહ થયો કારણ કે તમામને ફલાઈટમાં બેડી પહેરાવી વતન પરત મોકલાયા હોવાના દ્રશ્યો સોશિયલ મીડિયામાં સામે આવ્યા હતા.વિપક્ષ દ્વારા આ મામલે સરકાર પાસે જવાબ માંગવામાં આવ્યો હતો. ત્યારે ગુજરાતમાં પણ વિધાનસભા બહાર કોંગ્રેસ નેતાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

B INDIA કૃષિ રત્ન એવોર્ડ – 2026 : “ખેતરથી ખ્યાતિ સુધીની સફરનું સન્માન”

એક જ મંચ… પાંચ દિગ્ગજ… અને ગુજરાતના ખેડૂતોનું સન્માન કૃષિ ક્રાંતિના આ પ્રેરણાદાયી નેતાઓની ગરિમામય ઉપસ્થિતિમાં, યોજાશે કૃષિ રત્નોનો સન્માન સમારોહ.. 25 માર્ચ 2026ના રોજ પ્રસંગ પાર્ટી પ્લોટ, અમદાવાદ સાંજે…

“મારી ખેતી મારૂ ગર્વ” – “B-India કૃષિ રત્ન એવોર્ડ – 2026” | PROMO

ગુજરાતના ખમિરવંતા ખેડૂતોના પરિશ્રમને પારિતોષીત કરવા માટેની B-India Newsની અનોખી પહેલ…. અમે કરી રહ્યા છીએ ગુજરાતના પ્રગતિશીલ અને નવીનતા લાવનાર ખેડૂતોને વિશેષ રીતે સન્માનીત કરવાનો વિનમ્ર પ્રયાસ…“B-India કૃષિ રત્ન એવોર્ડ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *