‘બુલડોઝરથી નહીં, કાયદાથી ચાલે છે ભારત…’ — ચીફ જસ્ટિસ બીઆર ગવઈનું મહત્વપૂર્ણ નિવેદન

ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા બી.આર. ગવઈએ મોરેશિયસની સત્તાવાર મુલાકાત દરમિયાન એક મહત્વપૂર્ણ નિવેદન આપતાં જણાવ્યું કે “ભારતીય ન્યાયિક પ્રણાલી બુલડોઝરના શાસનથી નહીં, પરંતુ કાયદાના શાસનથી સંચાલિત થાય છે.” તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદાઓ એ સાબિત કરે છે કે દેશના ન્યાયતંત્રમાં કાયદાની ઊંચી સ્થિતિ અને બંધારણ પ્રત્યેની પ્રતિબદ્ધતા અખંડિત છે.

CJI ગવઈ મોરેશિયસના રાષ્ટ્રપતિ ધરમબીર ગોખુલ, વડાપ્રધાન નવીનચંદ્ર રામગુલામ અને મુખ્ય ન્યાયાધીશ રેહાના મુંગલી ગુલબુલની હાજરીમાં આયોજિત કાર્યક્રમમાં ભાષણ આપતાં જણાવ્યું હતું કે “બુલડોઝર ન્યાય” એક ખતરનાક અભિગમ છે, જે કાનૂની પ્રક્રિયાને બાયપાસ કરે છે અને બંધારણના કલમ 21 હેઠળ મળતા આશ્રયના હક્કનું ઉલ્લંઘન કરે છે.

કાયદાનું શાસન – ન્યાયનો આધાર
તેમણે ઉલ્લેખ કર્યો કે “રાજકીય ક્ષેત્રમાં કાયદાનું શાસન સુશાસન અને સામાજિક પ્રગતિના ધોરણ તરીકે કામ કરે છે.” મહાત્મા ગાંધી અને ડો. બીઆર આંબેડકરનું ઉદાહરણ આપતાં તેમણે કહ્યું કે બંને મહાન વિઝનરીઓએ એવું ભારત જોવું હતું જ્યાં ન્યાય, સમાનતા અને અધિકાર તમામ માટે ઉપલબ્ધ હોય.

સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક નિર્ણયોનો ઉલ્લેખ
મુખ્ય ન્યાયાધીશે તેમના સંબોધનમાં 1973ના કેશવાનંદ ભારતી કેસ, ટ્રિપલ તલાક નિવારણ, અને ગોપનીયતાના અધિકારને મૂળભૂત અધિકાર તરીકે માન્યતા આપતા ચુકાદાનો પણ ઉલ્લેખ કર્યો. તેમના જણાવ્યા અનુસાર, “સામાજિક ક્ષેત્રમાં પણ, કાયદાના શાસન દ્વારા ઐતિહાસિક અન્યાય સામે લડત આપી શકાય છે.” હાંસિયામાં ધકેલાયેલાં સમુદાયોએ પોતાના હકો માટે કાયદાનું શરણું લીધું છે અને ન્યાય મેળવ્યો છે.

મહત્વપૂર્ણ સંદેશ
ચીફ જસ્ટિસ ગવઈના નિવેદનને ભારતીય ન્યાયપાળીના સિદ્ધાંતોની પુષ્ટિ અને લોકશાહી વડે સંચાલિત ભારત માટે મજબૂત સંદેશ તરીકે જોવામાં આવી રહ્યો છે. તેમણે સ્પષ્ટ રીતે કહી દીધું કે “ભારત બુલડોઝરથી નહીં, કાયદાથી ચાલે છે.”

Related Posts

પદ્મ પુરસ્કાર 2026: અલ્કા યાજ્ઞિકને પદ્મ ભૂષણ, રોહિત શર્માને પદ્મશ્રી; 65 હસ્તીઓનું રાષ્ટ્રપતિના હસ્તે સન્માન

દેશની સેવા, કલા, રમતગમત, સાહિત્ય અને વિવિધ ક્ષેત્રોમાં અસાધારણ યોગદાન આપનારી પ્રતિભાઓને સન્માનિત કરવા માટે મંગળવારે રાષ્ટ્રપતિ ભવનના દરબાર હોલમાં પદ્મ પુરસ્કારોના બીજા તબક્કાનો ભવ્ય સમારોહ યોજાયો હતો. દ્રૌપદી મુર્મુએ…

ભાજપના ‘વ્યૂહરચનાકાર’ની વિદાય: જ્યોર્જ કુરિયનના રાજીનામા પાછળનું અસલી કારણ શું?

ભાજપના રાજકારણમાં મોટો વળાંક: વરિષ્ઠ નેતા જ્યોર્જ કુરિયનનું કેન્દ્રીય મંત્રીપદેથી રાજીનામું, સંગઠનમાં ગરમાવો નવી દિલ્હી: ભારતીય રાજનીતિમાં આજે એક મોટી ઘટના સામે આવી છે. કેન્દ્ર સરકારમાં મંત્રી તરીકે ફરજ બજાવતા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *