દરેક વ્યક્તિને વિદેશ મુસાફરી કરવાનો હક છે: બોમ્બે હાઈકોર્ટનો પાસપોર્ટ વિભાગને સ્પષ્ટ સંદેશ
મુસાફરી કરવી દરેક વ્યક્તિનો બંધારણીય હક છે અને તેનો ભંગ કરવો બંધારણની કલમ 21ના ઉલ્લંઘન સમાન છે, એવું મહત્વપૂર્ણ નિવેદન બોમ્બે હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યું છે. 76 વર્ષીય નાગરિક શરદ ખાટુના કેસમાં હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું કે માત્ર તંત્રની ભૂલના આધારે કોઈ વ્યક્તિના મુસાફરીના અધિકારને રોકી શકાય નહીં. શરદ ખાટુનો કેસ: નિવૃત્ત નાગરિકને વિલંબનો ભોગ બનવો પડ્યો 76 વર્ષીય શરદ ખાટુએ તેમના પાસપોર્ટના નવીકરણ માટે અરજી કરી હતી, જેને પસાર કરવામાં ફોજદારી કેસ પેન્ડિંગ હોવાનું ઉલ્લેખ કરીને અટકાવી દેવામાં આવી હતી. જોકે, પોલીસે સ્પષ્ટ કર્યું કે તેમના વિરુદ્ધ કોઈ કેસ પેન્ડિંગ નથી. હાઈકોર્ટની બેન્ચ જસ્ટિસ એમ.એસ. સોનાક અને અદ્વૈત શેઠના એ જણાવ્યું કે અરજદાર પોતાનાં પુત્ર અને પૌત્રોને મળવા દુબઈ જવા ઈચ્છે છે, અને ફક્ત એક જુના…
‘બુલડોઝરથી નહીં, કાયદાથી ચાલે છે ભારત…’ — ચીફ જસ્ટિસ બીઆર ગવઈનું મહત્વપૂર્ણ નિવેદન
ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા બી.આર. ગવઈએ મોરેશિયસની સત્તાવાર મુલાકાત દરમિયાન એક મહત્વપૂર્ણ નિવેદન આપતાં જણાવ્યું કે “ભારતીય ન્યાયિક પ્રણાલી બુલડોઝરના શાસનથી નહીં, પરંતુ કાયદાના શાસનથી સંચાલિત થાય છે.” તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદાઓ એ સાબિત કરે છે કે દેશના ન્યાયતંત્રમાં કાયદાની ઊંચી સ્થિતિ અને બંધારણ પ્રત્યેની પ્રતિબદ્ધતા અખંડિત છે. CJI ગવઈ મોરેશિયસના રાષ્ટ્રપતિ ધરમબીર ગોખુલ, વડાપ્રધાન નવીનચંદ્ર રામગુલામ અને મુખ્ય ન્યાયાધીશ રેહાના મુંગલી ગુલબુલની હાજરીમાં આયોજિત કાર્યક્રમમાં ભાષણ આપતાં જણાવ્યું હતું કે “બુલડોઝર ન્યાય” એક ખતરનાક અભિગમ છે, જે કાનૂની પ્રક્રિયાને બાયપાસ કરે છે અને બંધારણના કલમ 21 હેઠળ મળતા આશ્રયના હક્કનું ઉલ્લંઘન કરે છે. કાયદાનું શાસન – ન્યાયનો આધાર તેમણે ઉલ્લેખ કર્યો કે “રાજકીય ક્ષેત્રમાં કાયદાનું શાસન સુશાસન અને સામાજિક પ્રગતિના ધોરણ તરીકે…








