ગોંડલની ઘટનાને લઈ અમિત ચાવડાએ ગૃહ રાજ્ય મંત્રીને કર્યા સવાલ, જાણો શું કહ્યું

ગઈ કાલે ગોંડલમાં ગણેશ જાડેજા અને અલ્પેશ કથીરિયા વચ્ચેનો વિવાદ જાહેરમાં આવ્યો હતો. ગણેશ જાડેજાના પડકાર બાદ પાટીદાર આગેવાન અલ્પેશ અને તેના સાથીદારો કાલે ગોંડલ પહોંચ્યા હતા. જેમાં અલ્પેશ કથીરિયાના કાફલાની કારના કાચ તોડવામાં આવ્યા હતા અને ત્યાર બાદ સામસામે ફરિયાદ નોંધવામાં આવી હતી. અને જયરાજસિંહ જાડેજાએ કોંગ્રેસ પર ગંભીર આરોપ લગાવ્યો હતો. જેને લઈને અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ભાજપની આંતરિક લડાઈ ખૂલ્લી પડી

ગોંડલમાં અલ્પેશ કથીરિયાની મુલાકાત બાદ સર્જાયેલ વિવાદને લઈને કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ભાજપ પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું હતું કે, ભાજપની આંતરિક લડાઈ ખૂલ્લી પડી ગઈ છે. ગોંડલમાં યૂપી-બિહાર જેવા દ્રશ્યો જોવા મળ્યા. જાહેરમાં ગાડીના કાચ તૂટ્યા. ગુંડાગીરી કરવામાં આવી. જે બતાવે છે કે ગુજરાતમાં કાયદાનું શાસન નથી. સાથે તેમણે ગૃહપ્રધાનને સવાલ કર્યો કે સામાન્ય આરોપીનો વરઘોડો કાઢતી પોલીસ શું ગોંડલમાં બબાલ કરાનારા લોકો સામે કાર્યવાહી કરશે?

આ પણ વાંચો: પાકિસ્તાનની સેનામાં પડી રહ્યા છે ધડાધડ રાજીનામાં ! હર્ષ સંઘવીએ કર્યું મહત્વનું ટ્વિટ

શું કહ્યું હતું જયરાજસિંહ જાડેજાએ
જયરાજસિંહ જાડેજાએ કોંગ્રેસ પર ગંભીર આક્ષેપ લગાવતા કહ્યું હતું કે, કોંગ્રેસ પ્રેરીત ષડયંત્ર છે. લેઉવા પટેલ અમારી સાથે છે. ગોંડલની જનતાએ જવાબ આપી દીધો છે. ગોંડલની જનતા ગણેશને પોતાનો દીકરો માને છે. પાસના નાપાસ થયેલા લોકો આવ્યા હતા. હું ભાજપ હાઈકમાન્ડને આ બાબતે ફરિયાદ કરીશ.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

જનરલ નરવણેનું પબ્લીશ ન થયેલ પુસ્તક રાહુલ ગાંધી સુધી કેવી રીતે પહોંચ્યું? ઉઠયા અનેક સવાલો

રાહુલ ગાંધીએ જનરલ એમએમ નરવણેનું અપ્રકાશિત પુસ્તક કેવી રીતે મેળવ્યું? આ પ્રશ્ન 2026 માં રાજકારણ અને મીડિયામાં ચર્ચાનો મુખ્ય વિષય બન્યો છે. ભૂતપૂર્વ આર્મી ચીફનું સંસ્મરણ, “ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટિની”,…

અંક જ્યોતિષ/08 ફેબ્રુઆરી 2026: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *