Surat : સુરતમાં ક્રેન તૂટી પડતા દુર્ઘટનાં સર્જાઈ, એક શ્રમિકનું મોત, 1ની હાલત ગંભીર

સુરતના ઉધનામાં ક્રેન તૂટી પડવાતા એક શ્રમિકનું મોત થયું છે. ખાડી બ્રિજ નજીક કામીગીર કરતાં અચાનક ક્રેન તૂટી પડ્યું. આ ઘટનામાં એક વ્યકિતનું મોત નિપજયું અને એક વ્યક્તિની ગંભીર ઇજાઓ પંહોચી છે. સમગ્ર મામલે પોલીસ તપાસ હાથ ધરી છે.ઉધનામાં ખાડી બ્રિજ નજીક સફાઈ કામગીરી હાથ ધરાઈ છે. ખાડીની સફાઈ કરવા ક્રેન જેવા મોટા મોટા સાધનો મંગાવવામાં આવ્યા હતા. આ દરમિયાન આજે ખાડીની સફાઈ કામગીરી કરતાં અચાનક ક્રેનનો ભાગ તૂટી પડ્યો હતો.

આ પણ વાંચો :- Ahmedabad : અમદાવાદમાં પોલીસ ઈન્સ્પેક્ટરોની કરાઈ આતંરિક બદલી, પોલીસ બેડામાં મચ્યો ખળભળાટ

ક્રેનનો ભાગ તૂટતા ત્યાં કામ કરનાર શ્રમિકો દુર્ઘટનાનો ભોગ બન્યા હતા. ક્રેન તૂટતા બે શ્રમિકોને વધુ અસર થઈ. દુર્ઘટનામાં એક શ્રમિકનું ઘટનાસ્થળ પર જ મોત નિપજયું છે. જ્યારે એક વ્યક્તિને ગંભીર ઇજા પંહોચતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. તંત્ર દ્વારા સફાઈની કામગીરી હાથ ધરાય છે પરંતુ ક્રેન જેવા મશીનમાં કોઈ ખામી છે કે તેને લઈને કોઈ તપાસ થતી નથી.

અગાઉ પણ થોડા સમય પહેલા જ માંગરોળમાં એક ક્રેન બીજી ક્રેન પર પડવાથી ચાલકનું મોત નિપજયું હતું. આ ઘટનાના સામે આવેલ CCTV ફૂટેજ જોઈ તમામનું હૃદય કંપી ઉઠયું હતું. આ દુર્ઘટનામાં કોસંબા પોલીસે તપાસ હાથ ધરી હતી કે એક ક્રેન કેવી રીતે બીજી ક્રેન પર કેવી રીતે પડ્યું. તપાસમાં જાણવા મળ્યું કે ક્રેન ઓવરલોડ થવાના કારણે સમતોલન ગુમાવ્યુ અને બીજા ક્રેન પર પડ્યું. અગાઉ પણ ક્ષમતા કરતાં વધુ વજનના કારણે હોનારત સર્જાયાના કિસ્સા સામે આવેલા છે. મોરબી પુલ અને હરણીકાંડ આજે પણ લોકોને યાદ છે.

આ પણ વાંચો :- Gandhinagar : ગુજરાત વિધાનસભામા ગૃહમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું એલાન, 1900થી વધુ ડૉક્ટર્સની કરાશે ભરતી

ઉધનામાં ક્રેન તૂટવાના કારણે એક વ્યક્તિના મોતની ઘટનામાં પોલીસે તપાસ કરશે કે મશીનની ખામીના કારણે દુર્ઘટના સર્જાઈ છે કે પછી શ્રમિકોને બેદરકારીના કારણે આ દુર્ઘટના બનવા પામી છે. હાલમાં પોલીસે મૃત્યુ પામનાર શ્રમિકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આણંદની અમૂલ ડેરી ખાતે “અમૂલ AI”નો શુભારંભ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આણંદની અમૂલ ડેરી ખાતે યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે તેમણે નવીનતમ ટેક્નોલોજીના ઉપયોગથી સહકારી ચળવળને વધુ સુદ્રઢ બનાવવાના ભાગરૂપે “અમૂલ AI”નું વિધિવત્ લોન્ચિંગ કર્યું.…

ગુજરાત લોકભવનમાં રાજ્યપાલ સાથે ત્રણ રાજ્યોના વિધાનસભા અધ્યક્ષોની મુલાકાત, થઈ આ મુદે ચર્ચા

ગુજરાત લોકભવન ખાતે આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચોધરી, હરિયાણા વિધાનસભાના અધ્યક્ષ હરવિંદર કલ્યાણ તેમજ મહારાષ્ટ્ર વિધાન પરિષદના અધ્યક્ષ રામ શિંદેએ શુભેચ્છા મુલાકાત યોજી. રાજ્યપાલ એ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *