અમદાવાદ શહેર પોલીસ કમિશનરે અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા 28 પીઆઈની આંતરિક બદલી કરી છે. તેમજ 4 પીઆઈને પોસ્ટિંગ આપવામા આવ્યા છે.અચાનક બદલી થતાની સાથે જ શહેર પોલીસમાં ખળભળાટ મચ્યો છે. છેલ્લા લાંબા સમયથી અમદાવાદમાં પીઆઈઓની બદલી આવશે એવી ચર્ચાએ જોર પકડયું હતુ આખરે બદલીઓ થતા અમદાવાદ શહેરના 28 પોલીસ સ્ટેશનને નવા પીઆઈ મળશે.
આ પણ વાંચો :- Dhoraji : ધોરાજી ન.પા. પ્રમુખ સંગીતા બારોટનું રાજીનામું આપી દેતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા
રામોલમાં અસામાજિક તત્વોએ આતંક મચાવતા અમદાવાદ પોલીસનું નાક કપાયું હતું. ત્યારે રામોલ પીઆઈ ચૌધરીને કંટ્રોલ રૂમમાં મૂકી દેવામાં આવ્યા છે. તો બાપુનગર પીઆઈને એસઓજીમાં મૂકવામાં આવ્યા છે.વસ્ત્રાલમાં અસામાજિક તત્વોના આતંક બાદ પોલીસ કમિશનર એકશનમાં આવ્યા છે. અને અચાનક બદલીઓ કરી દીધી છે.અન્ય ચાર પોલીસ ઈન્સ્પેકટરોને પોસ્ટિંગ અપાયું છે.
આ પણ વાંચો :- Gandhinagar : ગુજરાત વિધાનસભામા ગૃહમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું એલાન, 1900થી વધુ ડૉક્ટર્સની કરાશે ભરતી
અમદાવાદ સાયબર ક્રાઈમમાં 6 પોલીસ ઈન્સપેક્ટરોની બદલી કરવામા આવી છે. સેકન્ડ પીઆઈ જે પણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા તેમાના મોટાભાગના પીઆઈને સાયબર ક્રાઈમમાં મૂકવામાં આવ્યા છે. તો ઘણા પીઆઈ જિલ્લામાંથી અમદાવાદ હાજર થયા છે તો તે પીઆઈ હજુ પોલીસ કંટ્રોલ રૂમ,લીવ રિઝર્વમાં ફરજ બજાવી રહ્યાં છે. તેમને પણ પોલીસ સ્ટેશન જોઈએ છે પંરતુ આ બદલીમાં તેમનો પણ નિકાલ થયો નથી. એવી માહિતી સૂત્રો તરફથી સામે આવી રહી છે.
Follow us On Social Media
🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I








