મહાકુંભ દુર્ઘટનાની ટ્રાવેલ્સ એજન્સીઓ પર અસર, અમદાવાદમાં બુકિંગ કરાયું બંધ

મહાકુંભમાં દુર્ઘટના બાદ અમદાવાદમાં ટ્રાવેલ એજન્સીઓએ બુકિંગ બંધ કર્યા છે. તેમજ દુર્ઘટનાના સમાચાર બાદ શ્રદ્ધાળુઓની ડિમાન્ડ પણ ઘટી છે. તેમજ પ્રયાગરાજ જવા માટે કરાવેલ બુકિંગ પણ કેટલાક યાત્રીઓએ કેન્સલ કરાવ્યા છે. 28 જાન્યુઆરીએ મોડી રાતે પ્રયાગરાજના સંગમ નોઝ પર થયેલી નાસભાગમાં 30થી વધુ લોકો માર્યાં હોવાનું મેળા પ્રશાસને જાહેર કર્યું છે. મહાકુંભ મેળા પ્રશાસને એવું પણ કહ્યું કે, નાસભાગમાં 60થી વધુ લોકો ઘાયલ થયાં છે. જોકે આતો સત્તાવાર આંકડો છે પરંતુ મોત તેનાથી પણ વધારે હોઈ શકે છે. પીએમ મોદી અને સીએમ યોગી આદિત્યનાથે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો.

મહાકુંભના ડીઆઈજી વૈભવ કૃષ્ણાએ નાસભાગ કેવી રીતે થઈ? તેનો આખો ચિતાર આપ્યો છે. તેમણે કહ્યું કે બ્રહ્મ મુહૂર્તમા અખરા માર્ગ પર મોટું ટોળું ભેગું થયું હતું. આ ટોળાને કારણે બીજી બાજુએ રહેલી બેરિકેડ તૂટી અને તેઓ બીજી બાજુએ સ્નાનની રાહ જોઈ રહેલા લોકો પર ફરી વળ્યાં હતા જેમાંથી 90 લોકોને હોસ્પિટલ લઈ જવાયાં અને 30 લોકોના મોત થયાં છે અને 60 ઘાયલ થયાં છે. 30માંથી 25 ઓળખ થઈ છે બાકીનાની ઓળખ ચાલુ છે જેમાં 4 કર્ણાટકના, 1 આસામ, 1 ગુજરાતનો છે.

-> અગાઉ પણ મહાકુંભમાં દુર્ઘટના ઘટી હતી :- ઉલ્લેખનીય છે કે મહાકુંભમાં આ બીજી મોટી દુર્ઘટના છે. આ પહેલા મહાકુંભ મેળામાં કેમ્પમાં મોટી આગ લાગી હતી જેમાં ઘણો સામાન બળીને ખાખ થઈ ગયો હતો જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ નહોતી.

Related Posts

અમિત શાહનું મેગા વિઝન: ગાંધીનગર બનશે દેશની પ્રથમ ‘હરિયાળી લોકસભા’, વર્ષ 2026-27માં 1 કરોડથી વધુ વૃક્ષો વાવવાનો ઐતિહાસિક ટાર્ગેટ

અમિત શાહનું મેગા વિઝન: ગાંધીનગર બનશે દેશની પ્રથમ ‘હરિયાળી લોકસભા’, વર્ષ 2026-27માં 1 કરોડથી વધુ વૃક્ષો વાવવાનો ઐતિહાસિક ટાર્ગેટ ગાંધીનગર: ભારતના કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તેમજ ગાંધીનગર લોકસભાના સાંસદ…

#Drugs/ શું ગુજરાતમાં પાંગરી ગયો છે ‘મોતમિત્ર’ સમો ડ્રગ્સનો કાળો કારોબાર?

ગુજરાતનો સાગરકાંઠો ડ્રગ્સ કાર્ટેલ માટે આશીર્વાદ રુપ બનતો દેખાય રહ્યો છે, જ્યારે દેશ માટે યુવા પેઢીને નષ્ટ કરતા ઝેરનાં પ્રવેશદ્વાર સમાન બની રહ્યો છે. વાત વિચાર માંગી લે તેવી છે કે જો આટલા વિપુર જથ્થામાં ડ્રગ્સ પકડાયું હોય અને તે પણ ફક્ત આ માસમાં જ, તો ડ્રગ્સ ટોટલ માત્રામાં ગુજરાતમાં ઠલવાયું કેટલું હશે? વિપુલ અને કરોડોનો જથ્થો પકડાય જવા છતા જો ડ્રગ્સનાં દાનવોને કોઇ ફરક પડતો ન હોય અને ડ્રગ્સ આવીરત રીતે મોકલી રહ્યા હોય તો આવી ગયેલો જથ્થો કેટલો હશે? વળી આ કાળા ઝેરનાં કારોબારમાં કેટલા યુવાનો ખપ્યા હશે? અને ડ્રગ્સ કાર્ટલની કાળા ઝેરની કાળી કમાણી કાટલી હશે? આ કાળી કમાણી ક્યાં વપરાતી હશે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *