મહાકુંભ દુર્ઘટનાની ટ્રાવેલ્સ એજન્સીઓ પર અસર, અમદાવાદમાં બુકિંગ કરાયું બંધ

મહાકુંભમાં દુર્ઘટના બાદ અમદાવાદમાં ટ્રાવેલ એજન્સીઓએ બુકિંગ બંધ કર્યા છે. તેમજ દુર્ઘટનાના સમાચાર બાદ શ્રદ્ધાળુઓની ડિમાન્ડ પણ ઘટી છે. તેમજ પ્રયાગરાજ જવા માટે કરાવેલ બુકિંગ પણ કેટલાક યાત્રીઓએ કેન્સલ કરાવ્યા છે. 28 જાન્યુઆરીએ મોડી રાતે પ્રયાગરાજના સંગમ નોઝ પર થયેલી નાસભાગમાં 30થી વધુ લોકો માર્યાં હોવાનું મેળા પ્રશાસને જાહેર કર્યું છે. મહાકુંભ મેળા પ્રશાસને એવું પણ કહ્યું કે, નાસભાગમાં 60થી વધુ લોકો ઘાયલ થયાં છે. જોકે આતો સત્તાવાર આંકડો છે પરંતુ મોત તેનાથી પણ વધારે હોઈ શકે છે. પીએમ મોદી અને સીએમ યોગી આદિત્યનાથે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો.

મહાકુંભના ડીઆઈજી વૈભવ કૃષ્ણાએ નાસભાગ કેવી રીતે થઈ? તેનો આખો ચિતાર આપ્યો છે. તેમણે કહ્યું કે બ્રહ્મ મુહૂર્તમા અખરા માર્ગ પર મોટું ટોળું ભેગું થયું હતું. આ ટોળાને કારણે બીજી બાજુએ રહેલી બેરિકેડ તૂટી અને તેઓ બીજી બાજુએ સ્નાનની રાહ જોઈ રહેલા લોકો પર ફરી વળ્યાં હતા જેમાંથી 90 લોકોને હોસ્પિટલ લઈ જવાયાં અને 30 લોકોના મોત થયાં છે અને 60 ઘાયલ થયાં છે. 30માંથી 25 ઓળખ થઈ છે બાકીનાની ઓળખ ચાલુ છે જેમાં 4 કર્ણાટકના, 1 આસામ, 1 ગુજરાતનો છે.

-> અગાઉ પણ મહાકુંભમાં દુર્ઘટના ઘટી હતી :- ઉલ્લેખનીય છે કે મહાકુંભમાં આ બીજી મોટી દુર્ઘટના છે. આ પહેલા મહાકુંભ મેળામાં કેમ્પમાં મોટી આગ લાગી હતી જેમાં ઘણો સામાન બળીને ખાખ થઈ ગયો હતો જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ નહોતી.

Related Posts

યુરોપના જંગલોમાં લાગેલી આગનો ફેલાવો: બચાવ કામગીરી શરૂ, હજારો લોકોનું સ્થળાંતર

યુરોપના અનેક દેશોમાં ઉનાળાની તીવ્ર ગરમી અને સૂકા હવામાન વચ્ચે જંગલની આગ (Wildfire) ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે. ખાસ કરીને ફ્રાન્સ, સ્પેન અને અન્ય કેટલાક યુરોપીયન વિસ્તારોમાં વાઇલ્ડફાયર ઝડપથી…

દૈનિક જીવન અને કામમાં AI ના જાદુઈ ઉપયોગો: પ્રોડક્ટિવિટી વધારવાની નવી રીત

છેલ્લા કેટલાક વર્ષોમાં Artificial Intelligence (AI) ટેક્નોલોજીએ સમગ્ર વિશ્વમાં કામ કરવાની રીત બદલી નાખી છે. એક સમય હતો જ્યારે AI માત્ર વૈજ્ઞાનિકો અને મોટી ટેક કંપનીઓ સુધી મર્યાદિત હતું, પરંતુ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *