યુએનનો મોટો નિર્ણય: ઉત્તર કોરિયાને પ્રતિબંધો વચ્ચે મળશે માનવતાવાદી સહાય

વર્ષોથી આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો અને પરમાણુ વિવાદોમાં ઘેરાયેલું ઉત્તર કોરિયા હવે યુએન દ્વારા માનવતાવાદી સહાય પ્રાપ્ત કરશે. સંયુક્ત રાષ્ટ્ર (UN) સુરક્ષા પરિષદની પ્રતિબંધ સમિતિએ ઉત્તર કોરિયામાં ચાલી રહેલા માનવતાવાદી પ્રોજેક્ટ્સને પ્રતિબંધોમાંથી મુક્તિ આપવાનો નિર્ણય લીધો છે. શુક્રવારે સિઅલના રાજદ્વારી સૂત્રોએ આ જાણકારી પુષ્ટિ કરી છે. હવે આ ગરીબ દેશમાં જીવનજરૂરી ચીજો પહોંચાડવાનો માર્ગ ખુલ્લો થશે. 17 પ્રોજેક્ટ્સને લીલી ઝંડી માહિતી મુજબ યુનિસેફ (UNICEF) જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ તેમજ દક્ષિણ કોરિયા અને અમેરિકાની એનજીઓ દ્વારા ચલાવવામાં આવતા 17 જેટલા પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ્સ હેઠળ ઉત્તર કોરિયાના બાળકોને પોષણયુક્ત આહાર, તબીબી સાધનો અને સ્વચ્છ પાણી માટે વોટર પ્યુરિફિકેશન સિસ્ટમ પૂરી પાડવામાં આવશે. લાંબા સમય સુધી વોશિંગ્ટન દ્વારા આ સહાય અટકાવવામાં આવી હતી, પરંતુ હવે તેને મંજૂરી મળી…

ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસોમાં વધારો, 1 બાળકનું શંકાસ્પદ મોત

ગાંધીનગર શહેરમાં ટાઈફોઈડના કેસોમાં ચિંતાજનક રીતે વધારો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં શહેરમાં ટાઈફોઈડના કુલ 152 કેસ નોંધાયા છે, જ્યારે એક બાળકનું શંકાસ્પદ મોત થયાની ચર્ચાએ રાજકીય અને વહીવટી સ્તરે ગરમાવો સર્જ્યો છે. કોંગ્રેસ દ્વારા ટાઈફોઈડના કારણે બાળકનું મોત થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જોકે ગાંધીનગર સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ મીતી પરીખે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે બાળકનું મોત ટાઈફોઈડથી થયું નથી. આ મુદ્દે કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. જો કાર્યવાહી ન થાય તો ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનો ઘેરાવ કરવાની ચીમકી પણ આપવામાં આવી છે. પાણીના સેમ્પલમાં કોઈ વાંધાજનક તત્વ નથી: કમિશનર કોંગ્રેસના દાવા પર પ્રતિક્રિયા આપતા મનપા કમિશનર જે.એન. વાઘેલાએ જણાવ્યું હતું કે ટાઈફોઈડથી કોઈ મૃત્યુ થયું નથી.…