મોડીરાત સુધી ઈથોપિયાના જ્વાળામુખીના રાખના વાદળો ગુજરાતમાં પ્રવેશ કરશે, ઉત્તર ભારત સુધી અસરની આશંકા

ઈથોપિયાના હેલી ગુબ્બી જ્વાળામુખીના વિસ્ફોટ બાદ ઉત્પન્ન થયેલું રાખનું વાદળ હવે ભારત તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. હવામાન એજન્સી IndiaMetSky ને ટાંકીને ANIએ જણાવ્યું છે કે આ વાદળ આજે રાત્રે પશ્ચિમ દિશાથી ગુજરાતમાં પ્રવેશ કરશે અને પછી રાત્રે 10 વાગ્યા સુધી રાજસ્થાન, ઉત્તરપશ્ચિમ મહારાષ્ટ્ર, દિલ્હી, હરિયાણા અને પંજાબને અસર કરશે. રાત્રે મોડેથી તેની અસર હિમાલયના વિસ્તારો સુધી પહોંચવાની સંભાવના છે. વિસ્ફોટક પ્રવૃત્તિથી ઉત્પન્ન થયેલો આ પ્લુમ 15,000 થી 25,000 ફૂટની ઊંચાઈએ 100–120 કિમી/કલાકની ઝડપે આગળ વધી રહ્યો છે, જ્યારે કેટલાક ભાગોમાં તે 45,000 ફૂટ સુધી પહોંચે છે. વાદળમાં જ્વાળામુખીની રાખ, સલ્ફર ડાયોક્સાઇડ અને કાચ-ખડકના સૂક્ષ્મ કણો હોય છે, જે આકાશને ધુમ્મસયુક્ત બનાવી શકે છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આ વાદળના કારણે ફ્લાઈટ શિડ્યુલમાં…

ઈથોપિયાના જ્વાળામુખી વિસ્ફોટનો પ્રભાવ ભારત સુધી, દિલ્હી સહિત અનેક શહેરોમાં રાખના વાદળ

ઈથોપિયાના હેલી ગુબ્બી જ્વાળામુખીના શક્તિશાળી વિસ્ફોટનો પ્રભાવ હવે ભારતમાં પણ જોવા મળ્યો છે. હજારો કિલોમીટર દૂર થયેલા આ વિસ્ફોટમાંથી નીકળેલી રાખનો વિશાળ વાદળ ઉત્તર ભારતનાં આકાશમાં પ્રવેશતા ચિંતા વધારાઈ છે. રાખનું આ વાદળ ફ્લાઇટ સલામતી માટે મોટો ખતરો બને એવી સ્થિતિમાં DGCAએ એરલાઇન્સને સતર્કતા સૂચનાઓ જારી કરી છે. ઈથોપિયાની રાખ સીધી ભારત સુધી સોમવારે રાત્રે 11 વાગ્યે ઈથોપિયાના 10,000 વર્ષ જૂના જ્વાળામુખી વિસ્ફોટની રાખ ભારતના હવામંડળમાં પ્રવેશી હતી. આ રાખનો વાદળ: – 130 કિમી પ્રતિ કલાકની ઝડપે લાલ સમુદ્ર પાર કરીને – સૌપ્રથમ જોધપુર અને જેસલમેરમાં દેખાયો – બાદમાં દિલ્હી, હરિયાણા અને રાજસ્થાન સુધી ફેલાઈ ગયો – વિજ્ઞાનીઓ અનુસાર રાખ 25,000 થી 45,000 ફૂટની ઊંચાઈએ છે, એટલે જમીન સ્તરે લોકોના આરોગ્ય પર હાલ કોઈ મોટો ખતરો…