ભારત-બાંગ્લાદેશ તણાવ: હાઇ કમિશને વિઝા સેવાઓ અસ્થાયી રીતે કરી સ્થગિત

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વધતા તણાવને લીધે, બાંગ્લાદેશ હાઇ કમિશને ભારતીયો માટે વિઝા સેવાઓ અસ્થાયી રીતે બંધ કરી દીધી છે. દિલ્હીમાં કોન્સ્યુલર અને વિઝા સેવાઓ, તેમજ ખુલના, રાજશાહી અને ચિત્તાગોંગમાં પણ આ સેવાઓ સ્થગિત કરવામાં આવી છે. ચિત્તાગોંગમાં વિઝા ઓફિસ પર વિરુદ્ધ પ્રદર્શન હિંસક બન્યું હતું અને પ્રદર્શનકારો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ પગલું, ભારત દ્વારા વિઝા સેવાઓ સ્થગિત કરવાના પ્રતિસાદ તરીકે લેવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે. જોકે, બાંગ્લાદેશની મુલાકાત લેતા ભારતીયોની સંખ્યા નાની છે, જેમાં મુખ્યત્વે પત્રકારો અને થોડા ઉદ્યોગપતિઓ જ આવે છે. હાદીની હત્યા: બાંગ્લાદેશના યુવા નેતા શરીફ ઉસ્માન હાદીને 12 ડિસેમ્બરના રોજ ઢાકાના વિજયનગર વિસ્તારમાં ચૂંટણી રેલી દરમિયાન માસ્ક પહેરેલા હુમલાખોરોએ ગોળી મારી હતી. ગંભીર સ્થિતિમાં તેમને સિંગાપોર લઈ જવામાં આવ્યા…

કંગાળ પાકિસ્તાન માટે વિશ્વ બેંક બની ‘તારણહાર’: ₹6270 કરોડનું પેકેજ, શું જનતાના દિવસો બદલાશે?

ભયાનક આર્થિક સંકટ અને મોંઘવારીના જોરદાર દબાણમાં ઘેરાયેલા પાકિસ્તાન માટે રાહતના સમાચાર આવ્યા છે. વિશ્વ બેંકે શનિવારે (20 ડિસેમ્બર) પાકિસ્તાનની સુસ્ત અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે $700 મિલિયન (આશરે ₹62,70,41,45,000)ની લોન મંજૂર કરી છે. આ સહાય PRID (Public Resources for Inclusive Development) પ્રોગ્રામ હેઠળ આપવામાં આવી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય પાકિસ્તાનમાં જાહેર સેવાઓ અને નાણાકીય માળખું મજબૂત બનાવવાનો છે. લોનના મહત્વપૂર્ણ હિસ્સા – $600 મિલિયન ફેડરલ (કેન્દ્રીય) કાર્યક્રમો માટે ફાળવવામાં આવ્યા. – બાકીના $100 મિલિયન સિંધ પ્રાંતમાં વિકાસલક્ષી યોજનાઓ માટે. – શાળાઓ, ક્લિનિક્સ અને સામાજિક સુરક્ષા ક્ષેત્રોમાં રોકાણ વધારવાની આશા. વિશ્વ બેંકનો મેસેજ વિશ્વ બેંકના પાકિસ્તાન ડાયરેક્ટર બોલોર્મા અમગાબઝારે જણાવ્યું કે, પાકિસ્તાને આર્થિક વિકાસ માટે સ્થાનિક સંસાધનોનો વધુ સારો ઉપયોગ કરવો પડશે. લોન માત્ર નાણાકીય સહાય નથી,…

દિલ્હી બની ‘ગેસ ચેમ્બર’: GRAP-4 ના કડક પ્રતિબંધ છતાં હવામાં ઝેર, શું સરકારના પ્રયાસો નિષ્ફળ?

દિલ્લી-NCRમાં હવામાં પ્રદૂષણનું સ્તર અત્યંત ખતરનાક સપાટીએ પહોંચી ગયું છે. એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 400 ને પાર કરી જતા સ્થાનિક પ્રશાસન દ્વારા GRAP-4 (Graded Response Action Plan)ના સૌથી કડક તબક્કા અમલમાં મૂકવામાં આવ્યા છે. આમ છતાં, દિલ્હીની હવા ‘ઝેરી’ bani રહી છે અને સામાન્ય લોકો માટે શ્વાસ લેવો પણ મુશ્કેલ બની ગયો છે. GRAP-4 હેઠળ કરવામાં આવેલા પગલાં જૂના ડીઝલ અને પેટ્રોલ વાહનો પર પૂર્ણ પ્રતિબંધ. – ભારે ટ્રકો માટે દિલ્હીમાં પ્રવેશ પર મનાઈ; માત્ર જીવનજરૂરી સામાન લાવતા વાહનોને છૂટ. – સરકારી અને ખાનગી ઓફિસોમાં 50% કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ કરવાની સૂચના. – માન્ય PUC (Pollution Certificate) વગર પેટ્રોલ પંપ પર ઇંધણ પૂરૂ પાડવા પર રોક. સ્થિતિ સુધરી નથી? નિષ્ણાતો મુજબ, માર્ગ પરની ધૂળ, લેન્ડફિલ સાઈટ…

ગાઝામાં શાંતિ સ્થાપવા પાકિસ્તાની સૈનિકો જશે? અમેરિકાએ કહ્યું ‘પાકિસ્તાનનો ખૂબ આભાર’

ગાઝામાં લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષને શાંત કરવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે નવી કવાયત શરૂ થઈ છે. મીડિયા અહેવાલો મુજબ, અમેરિકા દ્વારા પ્રસ્તાવિત International Stabilization Forceમાં પાકિસ્તાન પોતાની ભૂમિકા ભજવવા તૈયાર હોવાનું સંકેત મળ્યું છે. આ મુદ્દે અમેરિકી અધિકારીઓએ જાહેર રીતે પાકિસ્તાનનો આભાર વ્યક્ત કર્યો હોવાનું જણાવાય છે. અમેરિકાના એક ઉચ્ચ સ્તરીય નિવેદન અનુસાર, ગાઝામાં યુદ્ધવિરામ બાદ સ્થિરતા જાળવવા માટે એવા દેશોની જરૂર છે જે બંને પક્ષોને સ્વીકાર્ય હોય. આ સંદર્ભમાં પાકિસ્તાનનું નામ મહત્વપૂર્ણ રીતે સામે આવ્યું છે. ટ્રમ્પની ‘બોર્ડ ઓફ પીસ’ યોજના શું છે? અહેવાલો મુજબ, પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટીમ ગાઝામાં યુદ્ધ બાદની સ્થિતિ સંભાળવા માટે ‘બોર્ડ ઓફ પીસ’ નામની એક સંભવિત વ્યવસ્થા પર વિચાર કરી રહી છે. આ યોજના હેઠળ આંતરરાષ્ટ્રીય શાંતિ દળ બનાવવાનો…

PM મોદીને મળ્યા બાદ રશિયન PM પુતિને પાકિસ્તાનના PMને કર્યા ઇગ્નોર, જાણો સમગ્ર વાત

તુર્કમેનિસ્તાનની રાજધાની અશ્કાબાતમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય શાંતિ અને વિશ્વાસ મંચના ઉદ્ઘાટન પહેલા જ પાકિસ્તાન માટે ભારે ઘટના બની. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનએ પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાઝ શરીફને જાહેર રીતે અવગણતા ઇગ્નોર કર્યા. આ મંચમાં રશિયા, તુર્કી, ઈરાન, પાકિસ્તાન અને અન્ય ઘણા દેશોના વડાઓ હાજર રહ્યા હતા. શહબાઝ શરીફની હાસ્યસ્પદ સ્થિતિ મંચ પર લેવામાં આવેલ ગ્રુપ ફોટોમાં જોવા મળે છે કે પુતિન સીધા શહબાઝ શરીફના આગળ ઊભા થઈ ગયા. શહબાઝ હળવી સ્મિત સાથે વાત કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ પુતિન તેમને અવગણતા આગળ ઊભા રહ્યા. વિડિયોમાં શહબાઝના ચહેરા પરની શરમ્યુક્ત ભાવનાઓ સ્પષ્ટ દેખાઈ રહી છે. આ ઘટના સોશિયલ મીડિયા પર તરંગો ઊભા કરી રહી છે. આંતરરાષ્ટ્રીય નેતાઓનું હાજર જથ્થું આ ફોરમમાં હાજર હતા: – રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન –…

રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન ટ્રમ્પની ગંભીર ચેતવણી, જાણો શું કહ્યું?

યુએસાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલુ યુદ્ધને લઈને ગંભીર ચેતાવણી આપી છે. ટ્રમ્પનું માનવું છે કે હાલનો દ્રશ્ય “ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થવાનો ભય” ઉભો કરી શકે છે જો પરિસ્થિતિને સમય રાખી રોકવામાં ન આવે. વ્હાઈટ હાઉસ ખાતે પત્રકારો સાથે વાતચીત દરમ્યાન ટ્રમ્પે જણાવ્યું કે ગયા મહિને યુદ્ધમાં અંદાજે 25,000 લોકોનાં મોત થયા છે, જેમાં સૈનિકો અને સામાન્ય નાગરિકો બંનેનો સમાવેશ છે. તેમણે કહ્યું છે કે તેમનું પ્રથમ લક્ષ્ય આ હિંસાને રોકવું અને યુદ્ધને સમાપ્ત કરવું છે. ટ્રમ્પે શું કહ્યું? ટ્રમ્પે જણાવ્યું “હું માનું છું કે હત્યા અટકવી જોઈએ. અત્યાર સુધીમાં લાખો લોકો પરિસ્થિતિથી પ્રભાવિત થયા છે. જ્યારે આપણે આવી હિંસા જોઈ રહ્યા છે, ત્યારે આ ત્રીજા વિશ્વયુદ્ધમાં ફેરવાઈ શકે છે.” તેમણે નોંધ્યું છે…

રશિયા-યુરોપ તણાવ ચરમસીમાએ, પુતિનએ આપ્યો કડક ચેતાવણીભર્યો સંદેશ

રશિયા અને યુરોપ વચ્ચેનો તણાવ હવે નવા શિખરે પહોંચ્યો છે. ભારતની 4 થી 5 ડિસેમ્બરની મુલાકાત પહેલાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુરોપને સીધો અને કડક સંદેશ આપ્યો છે. પુતિને જણાવ્યું કે રશિયા યુદ્ધ શરૂ કરવા માંગતું નથી, પરંતુ જો યુરોપ સંઘર્ષ ઇચ્છે, તો રશિયા સંપૂર્ણપણે તૈયાર છે. યુરોપ પર પુતિનની સીધી ટીકા પુતિને યુક્રેનને લઈને યુરોપ દ્વારા મૂકવામાં આવી રહેલી “અસ્વીકાર્ય અને અયોગ્ય માંગણીઓ” પર નિશાન સાધ્યું. યુરોપિયન યુનિયન યુક્રેનને સતત લશ્કરી મદદ આપી રહ્યું છે, જેના કારણે રશિયા-યુરોપ વચ્ચેનો તણાવ સતત વધી રહ્યો છે. પુતિનના કહેવા પ્રમાણે, – યુરોપ રશિયા સાથેની શાંતિ વાટાઘાટોમાં અવરોધ ઊભો કરી રહ્યું છે. – યુરોપે રશિયા સાથેનો સંપર્ક તોડી પોતાને શાંતિ પ્રક્રિયાથી દૂર કર્યું છે. – ટ્રમ્પ પ્રસ્તાવિત શાંતિ કરારનો…

ઇઝરાયલ લાવે છે લેસર હવાઈ સંરક્ષણ ‘આયર્ન બીમ’, જાણો વિગત

ઇઝરાયલ પોતાની હવાઈ સંરક્ષણ પ્રણાલી ‘આયર્ન બીમ’ 30 ડિસેમ્બરે સક્રિય કરવા જઈ રહ્યું છે. ઇઝરાયલની સેના હવે લેસર-સક્ષમ આ સિસ્ટમ સાથે સજ્જ રહેશે, જે દેશના સુરક્ષા કવચને વધુ મજબૂત બનાવશે. ઇઝરાયલી અધિકારીઓએ શું કહ્યું? ઇઝરાયલી સંરક્ષણ મંત્રાલયના સંશોધન અને વિકાસ વિભાગના વડા, બ્રિગેડિયર જનરલ (નિવૃત્ત) ડેનિયલ ગોલ્ડે જણાવ્યું કે વિકાસ કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે અને પરીક્ષણો સફળ રહ્યા છે. તેઓએ કહ્યુ કે, “અમે 30 ડિસેમ્બરે આ સિસ્ટમને ઇઝરાયલના સેના માટે તૈયાર કરી રહ્યા છીએ.” ‘આયર્ન બીમ’ લેસર સિસ્ટમ વિશે: – હવાઈ જોખમો જેવી કે રોકેટ, મોર્ટાર અને ડ્રોન સામે રક્ષણ પ્રદાન કરે છે. – યુદ્ધના મેદાનમાં મોટું ફેરફાર લાવી શકે છે. – ઇઝરાયલે એક દાયકાથી વધુ સમયથી આ સિસ્ટમ વિકસાવી છે. ભવિષ્યની યોજના: ઇઝરાયલ અવકાશ…

પેરુમાં ભયાનક માર્ગ અકસ્માત : પેસેન્જર બસ ખીણમાં ખાબકી, 37 ના મોત

દક્ષિણ પેરુમાંથી એક દિલ દહોળી દેતી ઘટના સામે આવી છે. બુધવારે વહેલી સવારે એક પેસેન્જર બસ 200 મીટર ઊંડી ખીણમાં ખાબકી, જેમાં ઓછામાં ઓછા 37 લોકોનાં મોત થયા છે અને 13 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સ્થાનિક રેડિયો RPP મુજબ, બસ એક પિકઅપ ટ્રક સાથે અથડાયા પછી વળાંક પરનો કાબૂ ગુમાવી બેસી હતી અને સીધી ઓકોના નદીની ખીણમાં ખાબકી ગઈ હતી. બસ ચલા શહેર (ખાણકામ વિસ્તાર)થી અરેક્વિપા તરફ જઈ રહી હતી. પેરુમાં આવા માર્ગ અકસ્માતો નવી બાબત નથી. ગયા થોડા મહિનાઓમાં જ આવા અનેક અકસ્માતો થયા છે. – ઓગસ્ટમાં હાઇવે પર બસ પલટી જતાં 10 લોકોના મોત થયા હતા. – જુલાઈમાં, લીમાથી એમેઝોન વિસ્તાર જતી બસના અકસ્માતમાં 18 લોકોના મોત અને 48 લોકો ઘાયલ થયા…

દોહા વિશ્વ શિખર સંમેલનમાં ભારતની પાકિસ્તાનને કડક ચેતાવણી, “આંતરરાષ્ટ્રીય મંચનો ખોટો ઉપયોગ બંધ કરો”

દોહામાં યોજાયેલા સામાજિક વિકાસ માટેના બીજા વિશ્વ શિખર સંમેલનમાં ભારતે પાકિસ્તાનને તીખો જવાબ આપ્યો છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પાકિસ્તાનના ભારત વિરોધી નિવેદનોનો કડક વિરોધ કરતાં કહ્યું કે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય મંચનો ઉપયોગ ખોટી માહિતી ફેલાવવા માટે કરી રહ્યું છે. તેમણે જણાવ્યું કે પાકિસ્તાનને ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરવાનો કોઈ અધિકાર નથી. “જમ્મૂ અને કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ છે, અને તેના સંબંધમાં કોઈપણ પ્રકારની ટિપ્પણી સંપૂર્ણપણે અયોગ્ય છે,” એમ માંડવિયાએ સ્પષ્ટ કર્યું. તેમણે આગળ કહ્યું કે પાકિસ્તાન સિંધુ જળ સંધિની ભાવનાને કમજોર કરી રહ્યું છે અને વારંવાર સંધિનો દુરૂપયોગ કરીને ભારતના કાયદેસર પ્રોજેક્ટ્સને અવરોધવાનો પ્રયાસ કરે છે. કેન્દ્રીય મંત્રીએ પાકિસ્તાનને સલાહ આપતાં કહ્યું કે તે આત્મચિંતન કરે અને આતંકવાદ તથા વિકાસ સંબંધિત ગંભીર પડકારોનું સમાધાન કરે. “પાકિસ્તાનને…