રાજકોટ મનપાના આસિસ્ટન્ટ એન્જિનિયરને કોન્ટ્રાક્ટરે લાફો મારતા વિવાદ, એન્જિનિયરિંગ એસોસિએશન હડતાળ પર
રાજકોટ મહાનગરપાલિકા (RMC)માં ફરજ બજાવતા કર્મચારીઓની સુરક્ષાને લઈને ચકચાર મચાવી દેતી ઘટના સામે આવી છે. વોર્ડ નં. 18માં પેવિંગ બ્લોકના કામ દરમિયાન એક પેટા કોન્ટ્રાક્ટરે ફરજ પરના આસિસ્ટન્ટ એન્જિનિયરને લાફો માર્યો, જેના પગલે મનપાના ઇજનેરોમાં રોષ ફેલાયો છે. મામલામાં જણાવાયું છે કે, રાજકોટ મનપાના ઇસ્ટ ઝોનમાં આસિસ્ટન્ટ ઇજનેર તરીકે ફરજ બજાવતા ધવલભાઈ ગોલાણીયાને પેવિંગ બ્લોકના પેટા કોન્ટ્રાક્ટર મનીષ વેકરિયાએ બોલચાલી બાદ લાફો માર્યો હતો. પેવિંગ બ્લોકના કામ અંગે કોન્ટ્રાક્ટરને મળવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ ‘વાયબ્રન્ટ ગુજરાત’ કાર્યક્રમમાં વ્યસ્ત હોવાને કારણે અધિકારીઓ તેની સાથે મળવા ગયા નહોતા. આ વાતને લઈને કોન્ટ્રાક્ટરે ગુસ્સો કર્યો અને હુમલો કરી દીધો. હડતાળની જાહેરાત ધવલભાઈ પર થયેલા આ હુમલાના વિરોધમાં RMC એન્જિનિયરિંગ એસોસિએશન દ્વારા તાત્કાલિક અસરથી કામકાજ ઠપ્પ કરવામાં આવ્યું છે…
28 એપ્રિલે વિશ્વ કાર્યસ્થળ સલામતી અને આરોગ્ય દિવસ કેમ ઉજવવામાં આવે છે, જાણો તેના મહત્વ વિષે
દર વર્ષે 28 એપ્રિલના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ કાર્યસ્થળ સલામતી અને આરોગ્ય દિવસ (World Day for Safety and Health at Work) તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસનો ઉદ્દેશ છે કાર્યસ્થળે સલામત અને સ્વસ્થ વાતાવરણ સુનિશ્ચિત કરવાનો અને કર્મચારીઓના જીવન અને આરોગ્ય માટે જાગૃતિ ફેલાવવાની. કેમ ઉજવાય છે આ દિવસ? આ દિવસ એ યાદ અપાવે છે કે દરેક વ્યક્તિને એવી કામકાજની જગ્યા મળવી જોઈએ જ્યાં તે નિર્ભય રીતે કામ કરી શકે અને જ્યાં સલામતીના પૂરતા ઉપાયો હોય. ઘણી વખત, નાની બેદરકારી જીવલેણ બની શકે છે. આ દિવસ એ સમજાવે છે કે “સલામતીમાં કોઈ પણ સમાધાન ચાલશે નહીં.” ઇતિહાસ આ દિવસની શરૂઆત આંતરરાષ્ટ્રીય શ્રમ સંસ્થા (ILO) દ્વારા વર્ષ 2003માં કરવામાં આવી હતી. જોકે, 28 એપ્રિલની તારીખ પસંદ કરવાનું…








