ખેડૂતો માટે રાહતના સમાચાર: ગુજરાતમાં આગામી 6 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિ બાદ હવે હવામાનમાં રાહત જોવા મળી રહી છે. સતત વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં જનજીવન પ્રભાવિત થયું હતું, નદીઓમાં નવા નીર આવ્યા હતા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. હવે હવામાન વિભાગે રાજ્ય માટે રાહતના સમાચાર આપ્યા છે. ગુજરાતમાં ભારતીય હવામાન વિભાગ (IMD)ના અનુમાન મુજબ, 3 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદની શક્યતા ઓછી છે. આગામી છ દિવસ દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં માત્ર હળવાથી મધ્યમ વરસાદ અને છૂટાછવાયા ઝાપટાં પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ આગાહી ખેડૂતો માટે ખાસ કરીને રાહતરૂપ માનવામાં આવી રહી છે, કારણ કે સતત ભારે વરસાદના કારણે ખેતીના પાકને નુકસાન થવાની આશંકા…

જમ્મુ-કાશ્મીરમાં આકાશી આફત: 24 લોકોના મોત, અમરનાથ અને વૈષ્ણોદેવી યાત્રા સ્થગિત

જમ્મુ-કાશ્મીરમાં સતત બીજા દિવસે પણ ભારે વરસાદ અને ખરાબ હવામાને ભારે તબાહી મચાવી છે. રાજ્યના અનેક પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન, મકાનો ધરાશાયી થવા અને પૂર જેવી સ્થિતિ સર્જાતા જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. છેલ્લા બે દિવસમાં હવામાન સંબંધિત દુર્ઘટનાઓમાં અત્યાર સુધી 24 લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો હજુ પણ લાપતા હોવાનું જાણવા મળી રહ્યું છે. સૌથી વધુ અસર જમ્મુ-કાશ્મીરના પૂંછ અને રાજૌરી જિલ્લામાં જોવા મળી છે. ભારે વરસાદના કારણે પહાડ પરથી કાદવ અને મલબો ધસી પડતાં અનેક ઘરોને નુકસાન થયું છે. પૂંછ જિલ્લાના સુરનકોટ વિસ્તારના લોરન ગામમાં એક કાચા મકાન પર પહાડ પરથી ભારે મલબો પડતાં એક જ પરિવારના સાત સભ્યોના મોત થયા છે. મૃતકોમાં ચાર મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં…

હિમાચલ પ્રદેશ: બે જગ્યાએ વાદળ ફાટ્યા, 18 મકાનો દટાયા, 150 રસ્તા બંધ

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદે ફરી એકવાર તબાહી મચાવી છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા રેડ એલર્ટ વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ, ભૂસ્ખલન અને વાદળ ફાટવાની ઘટનાઓ સામે આવી છે. કાંગડા અને કિન્નૌર જિલ્લામાં વાદળ ફાટવાના કારણે ભારે નુકસાન થયું છે. અનેક મકાનો, રસ્તાઓ અને સરકારી યોજનાઓને નુકસાન પહોંચ્યું છે, જ્યારે રાજ્યમાં 150 જેટલા રસ્તાઓ બંધ થઈ ગયા છે. હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાના શાહપુર સબડિવિઝનની બોહ ખીણમાં મંગળવારે સવારે વાદળ ફાટવાથી ભારે વિનાશ સર્જાયો હતો. વાદળ ફાટ્યા બાદ આવેલા અચાનક પૂરમાં રુલેહાડ, બાંગર, ગઢગુન અને સ્પડા ગામોમાં ભારે નુકસાન થયું છે. વરસાદ અને કાટમાળના કારણે 18 ઘરો જમીનમાં દટાઈ ગયા છે. આ ઉપરાંત નવ ગૌશાળાઓ અને એક પ્રાથમિક શાળા પણ કાટમાળમાં દબાઈ ગઈ છે. હિમાચલ…

હવામાન વિભાગની મોટી આગાહી : ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ: હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી, જાણો ક્યાં પડશે સૌથી વધુ વરસાદ દેશભરમાં ચોમાસું હવે સંપૂર્ણ રીતે સક્રિય બન્યું છે અને અનેક રાજ્યોમાં સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ભારતના હવામાન વિભાગ (IMD)એ ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કેરળ, મધ્ય પ્રદેશ, ગોવા, કર્ણાટક સહિત અનેક રાજ્યો માટે ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. આગામી 48થી 72 કલાક દરમિયાન કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ, ગાજવીજ, વીજળીના કડાકા અને તેજ પવનની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સક્રિય ચોમાસાની સિસ્ટમ તેમજ લો-પ્રેશર એરિયાના કારણે દેશના પશ્ચિમ, મધ્ય અને દક્ષિણ ભાગોમાં વરસાદની તીવ્રતા વધવાની શક્યતા છે. ગુજરાતમાં ક્યાં રહેશે ભારે વરસાદ? ગુજરાતમાં છેલ્લા…

ગુજરાતમાં ઉનાળે વધશે ગરમી, હવામાન વિભાગની આગાહી: તાપમાન 3-5 ડિગ્રી વધે તેવો સંકેત

માર્ચ મહીનાની શરૂઆત સાથે ગુજરાતમાં ગરમીનો અહેસાસ વધી રહ્યો છે. હવામાન વિભાગે કહ્યું છે કે આ વર્ષે ઉનાળો સામાન્ય કરતાં વધુ તીવ્ર અને ગરમ રહી શકે છે. હવામાન નિષ્ણાતોનું માનવું છે કે, રાજ્યમાં અપર એર સર્ક્યુલેશન સક્રિય થઈ રહ્યા છે, જેના પરિણામે તાપમાનમાં 3 થી 5 ડિગ્રી સુધીનો વધારો જોવા મળી શકે છે. અમદાવાદ અને ડીસામાં વધતું તાપમાન અવળ અમદાવાદમાં તાપમાન 34.2 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું, જે સામાન્ય કરતાં વધારે ગણાય છે. ત્યારબાદ, ડીસામાં રાજ્યનું સૌથી વધુ 36 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. કુલ મળી, તાપમાન સામાન્ય કરતાં 3.5 ડિગ્રી વધુ રહેવું એવી આગાહી છે. માર્ચમાં જ ગરમીનો ત્રાસ હવામાન વિભાગે પૂર્વાનુમાન કર્યો છે કે, 4થી 6 માર્ચ દરમિયાન ભેજના પ્રમાણમાં વધારો થવાથી, લોકો ગરમી અને…

ઠંડી વિદાય લઈ રહી છતાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણની આગાહી, તાપમાનમાં પણ આવશે ફેરફાર

ઠંડી ધીમે-ધીમે વિદાય લઈ રહી છે, પરંતુ તે વચ્ચે ગુજરાતના હવામાનમાં ફરી એકવાર બદલાવ જોવા મળી શકે છે. રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં હવામાનમાં મોટો પલટો આવવાની આગાહી કરી છે, જેને લઈને ખેડૂતોમાં ચિંતા વધી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 8 ફેબ્રુઆરીથી પશ્ચિમ વિક્ષેપોની અસર શરૂ થશે. જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં હવામાન બદલાઈ શકે છે અને વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. 10 ફેબ્રુઆરીથી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ હવામાન નિષ્ણાતના અનુમાન મુજબ 10 ફેબ્રુઆરીથી ગુજરાતના ઘણા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાઈ શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં 8થી 11 ફેબ્રુઆરી દરમિયાન તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા છે. આ સ્થિતિ ખેતી પર અસર કરી શકે હોવાથી ખેડૂતોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. તાપમાન રહેશે…

ગુજરાતમાં આ તારીખથી ઠંડી સાથે માવઠાની સંભાવના, અંબાલાલ પટેલની મોટી આગાહી

ગુજરાતના હવામાનમાં આગામી દિવસોમાં અચાનક ફેરફારની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની તાજી આગાહી મુજબ, રાજ્યના કેટલાક વિસ્તારોમાં 22 જાન્યુઆરીથી ઠંડી સાથે કમોસમી વરસાદ અને કરા પડવાની શક્યતા છે. હવામાનની વિગતવાર સ્થિતિ હાલ બેવડી ઋતુમાં વહેલી સવારે ઠંડી અને બપોરે ગરમી અનુભવાઈ રહી છે. ઉત્તર ભારતમાં સક્રિય પશ્ચિમી વિક્ષેપની અસર ગુજરાત પર જોવા મળશે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો અને ઠંડા પવનનું પ્રભાવ રહેશે. 22 થી 26 જાન્યુઆરી દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં કરા સાથે હળવો વરસાદ પડી શકે છે. 30 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી દરમિયાન ફરી હવામાનમાં ફેરફારની અને 13 ફેબ્રુઆરી આસપાસ પણ વાતાવરણ બદલાવાની શક્યતા છે. ખેડૂતો માટે ચેતવણી આગાહી મુજબ, રવિ પાકોની…

ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ પર પવન રહેશે અનુકૂળ, અંબાલાલ પટેલની આગાહી

ગુજરાતીઓ માટેનો પ્રિય તહેવાર ઉત્તરાયણ આજે મનાવવામાં આવશે, અને આ સમયે રંગબેરંગી પતંગોથી આકાશ સૌંદર્યથી ભરાઈ જશે. પતંગોત્સવ માટે પવનનું માહોલ સૌથી મહત્વપૂર્ણ હોય છે, અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી આપી છે કે આ વર્ષના ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસોમાં પવન પતંગ ચગાવવા માટે અનુકૂળ રહેશે. અંબાલાલ પટેલની આગાહી: – પવનની ઝડપ સામાન્ય રીતે 6 થી 15 કિલોમીટર પ્રતિ કલાકની વચ્ચે રહેશે. – ઉત્તર ગુજરાતમાં પવન નરમ, 6 થી 9 કિ.મી/કલાક રહેશે. – કચ્છ, દરિયાકાંઠા અને સુરત વિસ્તારમાં પવન થોડી વધારે તીવ્રતા ધરાવશે. – દિવસ અને સાંજ દરમિયાન પવન અનુકૂળ રહેશે, જે પતંગ ઉત્સાહીઓ માટે આદર્શ રહેશે. – 15 જાન્યુઆરીના દિવસે પવનમાં થોડી વધઘટ જોવા મળી શકે, પરંતુ આ બે દિવસ પતંગ ચગાવનારા માટે આનંદદાયક…

ઉત્તરાયણ પહેલા અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો

ગુજરાતમાં હાલ હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના હવામાનને લઈને મહત્વની આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ પવનની ગતિ અને ઉત્તર પર્વતીય વિસ્તારોમાંથી આવતાં ઠંડા પવનના કારણે હાલ રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે ન્યુક્લિયર એનર્જીના પ્રયોગો, માનવસર્જિત કારણો તેમજ કુદરતી ફેરફારોના કારણે પશ્ચિમી વિક્ષેપ (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ) પર અસર પડી રહી છે. એટલાન્ટિક મહાસાગરથી લઈને સહરાના રણ અને આરબ દેશો સુધીના વાતાવરણમાં થતા ફેરફારોની અસર ભારત સુધી જોવા મળી રહી છે. તેમના અનુમાન મુજબ 18 જાન્યુઆરી આસપાસ એક નવો પશ્ચિમી વિક્ષેપ સક્રિય થશે. જેના પરિણામે ગુજરાતમાં 18 થી 23 જાન્યુઆરી દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન લઘુતમ તાપમાનમાં થોડો વધારો થવાથી…

દક્ષિણમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, ઉત્તર ભારતમાં ઠંડી અને ધુમ્મસનું એલર્ટ

હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી કેટલાક દિવસોમાં ઉત્તર અને દક્ષિણ ભારતમાં હવામાન પર મોટો પ્રભાવ જોવા મળશે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ, બિહાર, મધ્યપ્રદેશ સહિતના રાજ્યો માટે શીત લહેર અને ગાઢ ધુમ્મસનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દિલ્હી અને એનસીઆરમાં હવા ગુણવત્તા (AQI) ગંભીર સ્તરે પહોંચીને 400થી ઉપર પહોંચી ગઈ છે, જેનાથી ધુમ્મસ અને પ્રદૂષણ વધુ પ્રભાવશાળી બનશે. IMD એ આ સપ્તાહના શનિવાર અને રવિવારે લઘુત્તમ તાપમાન લગભગ 10°C રહેવાની આગાહી કરી છે. દિવસ દરમિયાન વાતાવરણ સુખદ રહેશે, જ્યારે રાત અને સવારમાં ઠંડી વધી શકે છે. મેદાની વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ રહેશે, જે યાત્રાઓ પર અસર કરી શકે છે. દક્ષિણ ભારતમાં કેરળ, તમિલનાડુ, આંદામાન-નિકોબાર ટાપુઓ અને કર્ણાટક માટે ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જાહેર…