જળસંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ મહીસાગર જિલ્લાની મુલાકતે
મહીસાગર જિલ્લામાં જળસંપત્તિ અને પીવાના પાણીની સુવિધાઓને વધુ મજબૂત બનાવવા રાજ્યના જળસંપત્તિ તથા પાણી પુરવઠા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે ખાનપુર અને કડાણા તાલુકાના વિવિધ ગામોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે ચાલી રહેલી સિંચાઈ અને પાણી પુરવઠા યોજનાઓનું સ્થળ નિરીક્ષણ કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. મંત્રીએ ખાનપુર–પાદેડી ઉદવહન સિંચાઈ યોજનાની ખાસ મુલાકાત લીધી હતી. રૂ. 54 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલી આ યોજના 46 કિલોમીટર લંબાઈ ધરાવે છે. આ યોજનાના પૂર્ણ થવાથી 25 તળાવો ભરાશે તેમજ આશરે 800 હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે, જેના કારણે ખેડૂતોને ખેતીમાં મોટી રાહત મળશે. આ ઉપરાંત બામરોડા ગામે કારંટા જૂથ પાણી પુરવઠા યોજનાનું પણ મંત્રીએ નિરીક્ષણ કર્યું હતું. આ યોજનામાં 43 લાખ લિટર ક્ષમતા ધરાવતો સંપ તથા આધુનિક…
પાકિસ્તાને UNમાં પાણી માટે માંગી ભીખ, ભારતના સખ્ત વલણ સામે થયું લાચાર
પાકિસ્તાનના કાયમી પ્રતિનિધિ અસીમ ઇફ્તિખાર અહેમદે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં ભારત પર ગંભીર આરોપો લગાવતા કહ્યું છે કે, ભારત દ્વારા સિંધુ જળ સંધિનું એકપક્ષીય સસ્પેન્શન “લાખો લોકોના જીવન અને પર્યાવરણને જોખમમાં મુકતું” પગલું છે. પાકિસ્તાનની અપીલ: પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના તરત પછી ભારતે પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિનું નિષ્ફળ કરવા અને પાણી વહેંચણને સસ્પેન્ડ કરવા નિર્ણય લીધો હતો. આ પગલાથી પાકિસ્તાનમાં વહેતી નદીઓ સુકાઈ ગઈ હોવાનું નોંધાયું છે. શાહબાઝ શરીફના દેશના નેતાઓનો દાવો છે કે, દેશમાં પાણીની દરેક ટીપા માટે તરસ અનુભવાઇ રહી છે. પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રમાં ભારતને સિંધુ જળ સંધિ પુનઃસ્થાપિત કરવાની અપીલ કરી છે. લોકો અને પર્યાવરણ જોખમમાં: અસીમ ઇફ્તિખાર અહેમદે જણાવ્યું કે, ભારતનું આ પગલું માત્ર સંધિના અક્ષર અને ભાવનાનું ઉલ્લંઘન નથી, પરંતુ…








