ગુજરાત: SIR પ્રક્રિયામાં 14.70 લાખ ફોર્મ મળ્યા, વાંધા-દાવાની સમયમર્યાદા 30 જાન્યુઆરીએ પૂર્ણ

ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) હાથ ધરવામાં આવી છે. ગત તા. 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) ઝુંબેશની ગણતરીના તબક્કાની અસરકારક કામગીરી બાદ 19 ડિસેમ્બર 2025ના રોજ મુસદ્દા મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવી હતી. મુસદ્દા યાદીમાં નાગરિકો પોતાના દાવાઓ અને વાંધાઓ રજૂ કરી શકે તે માટે અગાઉ તા. 18.01.2026ની સમયસીમા રખાઈ હતી જે બાદમાં ભારતના ચૂંટણીપંચે 30.01.2026 નિર્ધારીત કરી હતી. આ સમયગાળા દરમિયાન રાજ્યભરમાંથી નાગરિકો તરફથી કુલ 14,70,125 ફોર્મ્સ મળ્યા છે. જેમાં ફોર્મ નં 6ની કુલ સંખ્યા 7,25,920 છે, ફોર્મ નં 7ની કુલ સંખ્યા 1,83,235 છે જ્યારે ફોર્મ નં 8ની કુલ સંખ્યા 5,60,970 છે. જિલ્લાવાર મળેલા ફોર્મ્સની યાદી નીચે પ્રમાણે છે. જિલ્લાવાર મળેલા…

SIR પ્રક્રિયા બાદ ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર: 3 રાજ્ય અને 1 સંઘપ્રદેશમાં 1 કરોડથી વધુ નામ કરાયા દૂર

ચૂંટણી પંચ દ્વારા પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, ગોવા અને લક્ષદ્વીપમાં સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા બાદ ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. આ સુધારા દરમિયાન કુલ 1 કરોડથી વધુ મતદારોના નામ યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળ – SIR પ્રક્રિયા દરમિયાન 58,20,898 નામ ડ્રાફ્ટ યાદીમાંથી દૂર થયા. – રાજ્યના કુલ મતદારો 7,66,37,529માંથી ઘટીને 7,08,16,630 થયા. – મોટાભાગના નામ દૂર થતા લોકોના મૃત્યુ પામવું અથવા સ્થળાંતર થયા હોવાનું કારણ છે. – આશરે 30 લાખ મતદારોની વિગતો જૂની યાદી સાથે મેળ ખાતી નથી; તેમને સુનાવણીમાં ભાગ લઇ દસ્તાવેજો દ્વારા પાત્રતા સાબિત કરવાની તક આપવામાં આવશે. રાજસ્થાન – કુલ મતદારો 5,46,56,215માંથી 42 લાખના નામ દૂર થયા. – ફોર્મ જમા કરાવનાર મતદારો: 5,04,71,396. – 8.75 લાખ લોકો મૃત્યુ પામેલા…

પશ્ચિમ બંગાળમાં ભૂલમુક્ત મતદાર યાદી માટે ECIની કડક તૈયારી, 5 નવા સ્પેશિયલ રોલ ઓબ્ઝર્વર્સની નિમણૂક

ભારતીય ચૂંટણી પંચ (ECI) પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયાને વધુ સક્ષમ બનાવવા માટે એક ગંભીર પગલાં તરીકે 5 નવા IAS અધિકારીઓને સ્પેશિયલ રોલ ઓબ્ઝર્વર્સ (SRO) તરીકે નિમણૂંક કરી છે. આ ટીમ SIR પ્રક્રિયાનું બીજું તબક્કું, જે 16 ડિસેમ્બરે ડ્રાફ્ટ રોલ પ્રકાશિત થયા બાદ શરૂ થશે, મજબૂત નિરીક્ષણ માટે કામગીરી કરશે. નવા નિરીક્ષકો અને તેમની જવાબદારીઓ નવી નિમણૂક થયેલા અધિકારીઓમાં નીરજ કુમાર બાંસોર, કુમાર રવિકાંત સિંહ, આલોક તિવારી, પંકજ યાદવ અને કૃષ્ણ કુમાર નિરાલા શામેલ છે. તેઓ રાજ્યના પાંચ મુખ્ય વિભાગોમાં માઇક્રો-ઓબ્ઝર્વર તરીકે કાર્ય કરશે: – મિદનાપુર – પ્રેસિડેન્સી – માલદા – જલપાઇગુડી – બર્ધમાન કાર્યનો હેતુ: આ ટીમ એ સુનિશ્ચિત કરશે કે કોઈ સાચા મતદારનું નામ ભૂલથી યાદીમાંથી કટ ન થાય અને…

ગુજરાતમાં 2025ની મતદાર યાદી: 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ પૂર્ણ

ગુજરાતમાં 2025ની મતદાર યાદી માટેની ખાસ સઘન સુધારણા ઝુંબેશ પૂરજોશમાં ચાલી રહી છે. ભારતના ચૂંટણીપંચના માર્ગદર્શન હેઠળ અને મુખ્ય નિર્વાચન અધિકારી હારીત શુક્લાની આગેવાનીમાં CEO કચેરીની ટીમ આ પ્રક્રિયાને વેગ આપી રહી છે. ઝુંબેશનો ગણતરીનો તબક્કો 4 ડિસેમ્બર સુધી ચાલવાના છે. ઝુંબેશના ભાગરૂપે, 2025ની મતદાર યાદીમાં નોંધાયેલા 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ પૂર્ણ કરવામાં આવ્યું છે. મોટાભાગના જિલ્લાઓએ 100% ફોર્મ વિતરણનું લક્ષ્ય સિદ્ધ કર્યું છે. વિતરણ કરાયેલા ફોર્મમાંથી પરત મળેલા ફોર્મના ડિજિટાઇઝેશનનું કાર્ય પણ ઝડપથી ચાલી રહ્યું છે. રાજ્યમાં 81%થી વધુ ફોર્મ ડિજિટાઇઝ થઈ ચૂક્યા છે. ડાંગ જિલ્લો 89.61% ડિજિટાઇઝેશન સાથે મોખરે છે. અન્ય ટોચના જિલ્લાઓમાં બનાસકાંઠા (84.99%) અને સાબરકાંઠા (84.18%)નો સમાવેશ થાય છે. ગણતરી દરમિયાન નોંધાયેલી મહત્વપૂર્ણ વિગતો: – 13.1 લાખથી વધુ અવસાન…

ગુજરાત : 99% મતદારોને SIR ફોર્મનું વિતરણ પૂર્ણ, આખરી યાદી ફેબ્રુઆરીમાં

ગુજરાતમાં ચાલી રહેલી સ્પેશ્યલ સમરી રીવિઝન (SSR) પ્રક્રિયા અંતિમ તબક્કામાં પહોંચી છે. રાજ્યમાં મતદાર યાદી સુધારણાનું કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે અને અત્યાર સુધીમાં 99 ટકા મતદારોને ફોર્મનું વિતરણ પૂર્ણ થઈ ચૂક્યું છે. મુખ્ય ચૂંટણી અધિકારી હરિત શુક્લાના જણાવ્યા મુજબ, ચૂંટણી પંચ દ્વારા નક્કી કરાયેલ સમયમર્યાદામાં તમામ કામગીરી પૂર્ણ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. 4 ડિસેમ્બર સુધી ફોર્મ પરત, 9 ડિસેમ્બરે ડ્રાફ્ટ યાદી ચૂંટણી અધિકારીઓ મુજબ મતદારોએ કરવામાં આવેલી નોંધણી અથવા સુધારણાં અંગેના ફોર્મ 4 ડિસેમ્બર સુધી પરત કરાવી શકાશે. રાજ્યમાં 9 ડિસેમ્બરે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવશે, જેથી મતદારોને પોતાના નામ, સરનામા અને અન્ય વિગતો ચકાસવાની તક મળશે. 8 જાન્યુઆરી સુધી નવો મતદાર બનવાની તક નવો મતદાર બનવા ઇચ્છુક નાગરિકો કે પોતાના નામમાં…