ઉત્તરાખંડઃ ઉત્તરકાશીમાં મોટો અકસ્માત, ગંગોત્રી જઈ રહેલું હેલિકોપ્ટર ક્રેશ, 5 લોકોના મોત
–:ગુરુવારે સવારે ઉત્તરાખંડના ઉત્તરકાશી નજીક હેલિકોપ્ટર ક્રેશ થતાં ચાર પ્રવાસીઓના મોત:- ગુરુવારે સવારે ઉત્તરાખંડના ઉત્તરકાશી નજીક હેલિકોપ્ટર ક્રેશ થતાં ચાર પ્રવાસીઓના મોત થયા. હેલિકોપ્ટરમાં લગભગ છ લોકો સવાર હતા જેમાંથી ચારના મોત અને બે ઘાયલ થયા હોવાનું જાણવા મળે છે.ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ સોશિયલ મીડિયા પર આ સમાચાર શેર કર્યા અને મૃતકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. તેમણે લખ્યું, “ભગવાન અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના આત્માને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવારોને આ અપાર નુકસાન સહન કરવાની શક્તિ આપે.” શ્રી ધામીએ કહ્યું કે તેમણે વહીવટીતંત્રને ઘાયલોને શક્ય તમામ મદદ પૂરી પાડવા અને અકસ્માતની તપાસ કરવા સૂચના આપી છે. “હું આ સંદર્ભમાં અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છું અને દરેક પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે,”…







