પોપ ફ્રાન્સિસના નિધનથી સમગ્ર વિશ્વમાં શોકનું મોજું, ભારતમાં ત્રણ દિવસ રાજકીય શોક

ખ્રિસ્તીઓના સર્વોચ્ચ ધાર્મિક નેતા પોપ ફ્રાન્સિસનું સોમવારે સવારે અવસાન થયું. તેમના નિધનના સમાચારથી સમગ્ર વિશ્વમાં શોકનું મોજું ફરી વળ્યું. ભારતમાં પણ તમામ રાજકીય અને સામાજિક આગેવાનોએ ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. ભારત સરકારે પોપ ફ્રાન્સિસના માનમાં ત્રણ દિવસના રાજકીય શોકની જાહેરાત કરી છે. ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ, આ સમયગાળા દરમિયાન સમગ્ર દેશમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ રહેશે અને કોઈ પણ સત્તાવાર મનોરંજન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે નહીં. 22 થી 24 એપ્રિલ રાજકીય શોક ત્રણ દિવસનો શોક સમયગાળો મંગળવાર, 22 એપ્રિલથી શરૂ થશે અને 24 એપ્રિલ સુધી ચાલશે. પૂર્વનિર્ધારિત રાજ્ય શોક 22 અને 23 એપ્રિલના રોજ મનાવવામાં આવશે, જ્યારે પોપ ફ્રાન્સિસના અંતિમ સંસ્કારના દિવસે શોકનો એક વધારાનો દિવસ ઉમેરવામાં આવશે. આ નિર્ણય તેમના અને તેમના…