ગુજરાતમાં આજે એક જ દિવસમાં અનુભવાયા 6 ભૂકંપના આંચકા, લોકોમાં ભયનો માહોલ

રાજ્યમાં ભૂકંપની ઘટનાઓ સતત વધી રહી છે. આ દરમિયાન આજે એક જ દિવસમાં ભૂકંપના 6 આંચકા અનુભવાયા છે. જેમાં આજે પોરબંદર અને તાલાલા વિસ્તારમાં ધરતી ભૂકંપથી ધણધણી ઉઠી હતી. પોરબંદરમાં રાત્રે 1.11થી 1.28 સુધીમાં 5 ભૂકંપના આંચકા અનુભવાયા. ગુજરાતમાં ભૂકંપની ઘટનાઓ સતત વધી રહી છે. આ દરમિયાન આજે મોડી રાતથી અત્યાર સુધીમાં કુલ 6 ભૂકંપના આંચકા અનુભવાયા છે. બીજી તરફ રાત્રિના સમયે આવેલ આંચકાને લઈ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અને લોકો ઘરની બહાર આવી ગયા હતા. બીજી તરફ રાહતની વાતએ છે કે, હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. પોરબંદરમાં અનુભવાયા 6 આંચકા ISRના ડેટા મુજબ જો ભૂકંપની તીવ્રતાની વાત કરવામાં આવે તો તાલાલામાં આજે સવારે 10.51 કલાકે આવેલ ભૂકંપની તીવ્રતા 3.1…

Earthquake: તાલાલામાં ફરી ધ્રુજી ધરા, રિક્ટર સ્કેલ પર નોંધાઈ 2.1 ની તીવ્રતા

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ભૂકંપના આંચકાનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આ દરમિયાન એપ્રિલ મહિનાના શરૂઆતથી જ ભૂકંપના આંચકા અનુભવાયો છે. તાલાલામાં બપોરના 1:33 કલાકે ભૂંકપનો આંચકો અનુભવાયો ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR) અનુસાર, ભૂકંપની તીવ્રતા 2.1 માપવામાં આવી હતી. ગાંધીનગર સ્થિત ISRએ જણાવ્યું હતું કે ભૂકંપનો આંચકો બપોરના 1.33 કલાકે અનુભવાયો હતો. તેનું કેન્દ્ર તાલાલાથી 12 કિલોમીટર નોંધાયું હતું. ભૂકંપથી લોકોમાં ભયનો માહોલ છવાયો છે. ભૂકંપના આંચકાથી લોકો ઘરની બહાર આવી ગયા હતા. જોકે રાહતની વાત તો એ છે કે, હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. રાજ્યમાં ભૂકંપના આંચકા સતત અનુભવાઈ રહ્યા છે. આ દરમિયાન માર્ચ મહિના દરમિયાન ગુજરાતમાં કુલ 4 ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ત્યારે હવે એપ્રિલ મહિનાની શરૂઆત માંજ ભૂકંપનો એક…