એ ગરીબ માણસનું જીવન…’, સૈફ અલી ખાને હુમલાખોર વિશે શું કહ્યું? કહ્યું- સુરક્ષા કેમ રાખવામાં ન આવી

16જાન્યુઆરીની તે રાત, જે સૈફ અલી ખાન અને તેના પરિવાર માટે દુઃસ્વપ્ન બની ગઈ. મધ્યરાત્રિએ, એક માણસ સૈફ અને કરીનાના ઘરમાં ચોરી કરવાના ઇરાદે ઘૂસ્યો અને પોતાના પરિવારની સુરક્ષા માટે, અભિનેતાએ ચોર સાથે લડાઈ કરી. ઝપાઝપી દરમિયાન સૈફ અલી ખાનના શરીર પર અનેક ઈજાઓ થઈ હતી. એટલું જ નહીં, અભિનેતાએ લીલાવતી હોસ્પિટલમાં સર્જરી પણ કરાવી. ચોર પોલીસ કસ્ટડીમાં છે અને સૈફ સ્વસ્થ થઈને ઘરે પાછો ફર્યો છે. હુમલા બાદ લોકો સૈફ માટે ચિંતિત છે, તો બીજી તરફ અભિનેતા હુમલાખોર માટે ચિંતિત છે. -> સૈફ અલી ખાને ચોરી પર વાત કરી :- હા, હુમલાખોર પર ગુસ્સે થવાને બદલે, સૈફ અલી ખાન તેના પર દયા અનુભવી રહ્યો છે. દિલ્હી ટાઈમ્સ સાથેની વાતચીતમાં, જ્વેલ થીફ અભિનેતાએ કહ્યું, “આનાથી મારું…