સુરતમાં રેલવેની બહારનો બસ ડેપો અન્ય જગ્યાએ ખસેડાયો, નાગરિકોને ટ્રાફિકમાંથી મળશે મુકિત
B INDIA સુરત : સુરતમાં લોકોને ટ્રાફિકમાંથી મુકિત મળશે. રેલવે સ્ટેશન પર રહેલો જુનો સીટી બસ ડેપો અન્ય જગ્યાએ ખસેડવામાં આવ્યો છે. જેમાં દિલ્હી ગેટમાં સીટી બસ ડેપોનું લોકાર્પણ હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું છે. જેમાં હવેથી સુરતની તમામ સીટી બસ દિલ્હી ગેટથી ઉપડશે. અને પાંચ હજાર ચોરસ મીટરમાં આ સીટી બસ ડેપોને બનાવવામાં આવ્યો છે. સુરત રેલવે સ્ટેશન દેશનું સૌથી અદ્યતન રેલવે સ્ટેશન બનશે. સુરત રેલવે સ્ટેશન વર્લ્ડ ક્લાસ મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટેશન હબ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. રૂ. 1476 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી રહ્યું છે. દેશમાં પ્રથમ વખત રેલવે ઓથોરિટી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકારના GSRTC સાથે મળી પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. રેલવે સ્ટેશનની સાથે બસ સ્ટેશન અને મેટ્રો સ્ટેશન પણ જોડવામાં આવશે.…







