ધોરણ 9માં ત્રણ ભાષાની નીતિ ફરજિયાત ન બનાવવાની માંગ, CBSEની પોલિસી સામે સુપ્રીમ કોર્ટમાં અરજી

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) દ્વારા ધોરણ-9ના વિદ્યાર્થીઓ માટે ત્રણ ભાષાની નીતિને ફરજિયાત બનાવવાના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીઓ પર સુનાવણી દરમિયાન મહત્વપૂર્ણ દલીલો રજૂ કરવામાં આવી હતી. અરજદારો તરફથી રજૂઆત કરવામાં આવી કે દેશની અનેક શાળાઓમાં જરૂરી શિક્ષકો, પાઠ્યપુસ્તકો અને અન્ય શૈક્ષણિક સુવિધાઓના અભાવે વિદ્યાર્થીઓને એવી ભાષા ભણવાની ફરજ પડી રહી છે, જેના માટે પૂરતી વ્યવસ્થા જ ઉપલબ્ધ નથી. મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાન્તની અધ્યક્ષતાવાળી પીઠ સમક્ષ અરજદારોના વરિષ્ઠ વકીલ ગોપાલ શંકર નારાયણે તાત્કાલિક સુનાવણીની માંગ કરતાં જણાવ્યું કે આ મુદ્દો હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે સીધો જોડાયેલો છે. તાત્કાલિક સુનાવણીની કોર્ટમાં માંગ સુનાવણી દરમિયાન વકીલ ગોપાલ શંકર નારાયણે જણાવ્યું કે આ મામલો અગાઉ સુનાવણી માટે સૂચિબદ્ધ કરવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં તેને યાદીમાંથી…

ટ્રમ્પના ટેરિફ કેસ પર યુએસ સુપ્રીમ કોર્ટમાં થઇ ઐતિહાસિક સુનાવણી, જાણો વિગત

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા વિવાદાસ્પદ ટેરિફ્સ હવે યુએસના સર્વોચ્ચ ન્યાયાલય સુધી પહોંચી ગયા છે. સુપ્રીમ કોર્ટમાં આજે યોજાયેલી આ ઐતિહાસિક સુનાવણી અમેરિકન બંધારણ હેઠળ રાષ્ટ્રપતિ અને કોંગ્રેસ વચ્ચેની આર્થિક સત્તાઓના સંતુલનને પુનઃપરિભાષિત કરી શકે છે. આ કેસ 1977ના ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ (IEEPA) હેઠળ ટ્રમ્પે લાદેલા ટેરિફ્સને લઈને છે. આ કાયદો રાષ્ટ્રપતિને રાષ્ટ્રીય કટોકટી દરમિયાન આર્થિક પગલાં લેવાની મંજૂરી આપે છે, પરંતુ પ્રશ્ન એ છે કે શું ટ્રમ્પે તેની મર્યાદા લાંઘી? ન્યાયાધીશોના કડક પ્રશ્નો સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જ્હોન રોબર્ટ્સ અને અન્ય ન્યાયાધીશો દ્વારા સરકારના વકીલોને કડક પ્રશ્નો પૂછવામાં આવ્યા. રોબર્ટ્સે પૂછ્યું — “શું રાષ્ટ્રપતિ કોંગ્રેસની મંજૂરી વિના ટેરિફ લાદી શકે છે, જ્યારે કરવેરાની સત્તા સ્પષ્ટ રીતે કોંગ્રેસને આપવામાં આવી છે?”…

વકફ સુધારા કાયદાને પડકાર: સુપ્રીમ કોર્ટમાં આજથી સુનાવણી શરૂ

વિરોધ પક્ષોના ભારે વિરોધ છતાં, વકફ (સુધારા) અધિનિયમ, 2025 સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યો છે અને હવે તેને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. આજથી મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાની આગેવાની હેઠળની ત્રણ ન્યાયાધીશોની બેન્ચ આ કેસની સુનાવણી શરૂ કરશે. અત્યાર સુધીમાં 73 અરજીઓ દાખલ કરવામાં આવી છે, જેમાંથી 10 અરજીઓ સૂચિબદ્ધ થઈ ગઈ છે. અરજીકર્તાઓમાં AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસી, ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB), જમિયત ઉલેમા-એ-હિંદ, DMK અને કોંગ્રેસના સાંસદ ઈમરાન પ્રતાપગઢી અને મોહમ્મદ જાવેદનો સમાવેશ થાય છે. આ નેતાઓ વકફ કાયદાને પડકારી રહ્યા છે, અને કહી રહ્યા છે કે તે બંધારણની કલમ 14 અને 15નું ઉલ્લંઘન કરે છે. કેન્દ્રનો જવાબ: સુનાવણી પહેલાં કોર્ટે ચેતવણી આપી કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ દાખલ કરી છે જેથી…