ISROનું EOS-09 મિશન રહ્યું અધૂરું, ટેકનિકલ ખામીને કારણે…
ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) ના પીએસએલવી-સી61 રોકેટનું લોન્ચ મિશન સફળ રહ્યું ન હતું. લોન્ચ પછી, ત્રીજા તબક્કા દરમિયાન ટેકનિકલ ખામી જોવા મળી, જેના પરિણામે મિશન અધૂરું રહી ગયું. આ માહિતી ખુદ ISROના વડા વી. નારાયણને આપી હતી. ઈસરોના વડાએ જણાવ્યું હતું કે ઉપગ્રહ પ્રક્ષેપણનો પહેલો અને બીજો તબક્કો સામાન્ય હતો પરંતુ ત્રીજો તબક્કો પૂર્ણ થઈ શક્યો નહીં અને ખામીને કારણે મિશન સફળ થયું નહીં. તેમણે કહ્યું, “…ઓપરેશનના ત્રીજા તબક્કા દરમિયાન અમને એક અવરોધનો સામનો કરવો પડ્યો અને મિશન પૂર્ણ થઈ શક્યું નહીં. હવે અમે આ ડેટાનું વિશ્લેષણ કરીશું અને પછી મિશન પર પાછા ફરીશું.” આ મિશન હેઠળ, EOS-09 (પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ-09) ને પૃથ્વીના સૂર્ય સિંક્રનસ ભ્રમણકક્ષા (SSPO) માં મૂકવાનું હતું. આ ઉપગ્રહ EOS-04 નું પુનરાવર્તિત…







