શ્રેયસ ઐયર પાસે ઇતિહાસ રચવાની મોટી તક, 34 રન બનાવતાજ…
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ODI સીરિઝની બીજી મેચ 14 જાન્યુઆરીએ રાજકોટમાં રમાશે. પહેલી ODI જીતીને, ટીમ ઈન્ડિયા હાલમાં સીરિઝ માં 1-0થી આગળ છે. દરમિયાન, બીજી ODIમાં, ટીમ ઈન્ડિયાના મધ્યમ ક્રમના બેટ્સમેન શ્રેયસ ઐયર પાસે ઇતિહાસ રચવાની તક હશે. જો શ્રેયસ ઐયર આ મેચમાં 34 રન બનાવે છે, તો તે ODIમાં ભારત માટે સૌથી ઝડપી 3,000 રન બનાવનાર બેટ્સમેન બની જશે. તે આ સંદર્ભમાં શિખર ધવનનો રેકોર્ડ તોડી નાખશે. ભૂતપૂર્વ ભારતીય ઓપનર શિખર ધવનના નામે સૌથી ઝડપી 3,000 ODI રન પૂરા કરવાનો રેકોર્ડ છે. ધવને આ સિદ્ધિ 72 ઇનિંગ્સમાં હાંસલ કરી હતી, જ્યારે વિરાટ કોહલીએ 75 ઇનિંગ્સમાં 3,000 રન પૂરા કર્યા હતા. હવે, શ્રેયસ પાસે આ બંને ખેલાડીઓને પાછળ છોડી દેવાની તક હશે. જો શ્રેયસ આગામી મેચમાં…
શ્રેયસ ઐયરને હોસ્પિટલમાંથી આપવામાં આવી રજા, જાણો હવે કેવી છે તેમની તબિયત ?
ભારતીય બેટ્સમેન શ્રેયસ ઐયરને શનિવારે સિડનીની હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આ સમાચારની પુષ્ટિ કરી અને તેના હાલના સ્વાસ્થ્ય વિશે વિગતો આપી. ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ODI દરમિયાન કેચ પકડવા માટે પાછળની તરફ દોડતી વખતે શ્રેયસને પાંસળીમાં ઈજા થઈ હતી. શ્રેયસ ઐયરને ICU માં એડમિટ કરવામાં આવ્યો હતો. ત્યારે બીજી તરફ BCCI એ પુષ્ટિ કરી છે કે, શ્રેયસ ઐયર હવે સ્વસ્થ છે અને તેને રજા આપવામાં આવી છે. શ્રેયસ ઈજાને કારણે આંતરિક રક્તસ્ત્રાવથી પીડાઈ રહ્યો હતો જેના કારણે તેને ICUમાં રાખવામાં આવ્યો હતો. જોકે, તેને ટૂંક સમયમાં ICUમાંથી રજા આપવામાં આવી હતી પરંતુ તેની સારવાર ચાલુ હતી. સિડનીમાં રમાયેલી ત્રીજી વનડે મેચમાં ઓસ્ટ્રેલિયન બેટ્સમેન એલેક્સ કેરીનો કેચ લેતી વખતે ઐયર ઇજાગ્રસર…
BCCI એ 2024-25 માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ જાહેર કર્યો, રોહિત-કોહલી ટોપ ગ્રેડમાં યથાવત
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ 2024-25 સીઝન માટે તેના વાર્ષિક કેન્દ્રીય કરારની જાહેરાત કરી છે. આ વખતે કોન્ટ્રાક્ટ લિસ્ટમાં કુલ 34 ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે. આ કરાર 1 ઓક્ટોબર, 2024 થી 30 સપ્ટેમ્બર, 2025 સુધી અમલમાં રહેશે. ખેલાડીઓને ચાર શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવ્યા છે – A+, A, B અને C. આ યાદીમાં ચેમ્પિયન્સ ટ્રોફી 2025 વિજેતા ભારતીય ટીમના ઘણા સભ્યોનો પણ સમાવેશ થાય છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીને A+ ગ્રેડમાં સામેલ કર્યા:- BCCI એ ચાર ખેલાડીઓને A+ ગ્રેડમાં રાખ્યા છે: રોહિત શર્મા, વિરાટ કોહલી, રવિન્દ્ર જાડેજા અને જસપ્રીત બુમરાહ. તે બધાને વાર્ષિક 7 કરોડ રૂપિયા મળશે. રોહિત, કોહલી અને જાડેજા પહેલાથી જ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે અને હાલમાં ટેસ્ટ…









