શ્રેયસ ઐયરને હોસ્પિટલમાંથી આપવામાં આવી રજા, જાણો હવે કેવી છે તેમની તબિયત ?

ભારતીય બેટ્સમેન શ્રેયસ ઐયરને શનિવારે સિડનીની હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આ સમાચારની પુષ્ટિ કરી અને તેના હાલના સ્વાસ્થ્ય વિશે વિગતો આપી. ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ODI દરમિયાન કેચ પકડવા માટે પાછળની તરફ દોડતી વખતે શ્રેયસને પાંસળીમાં ઈજા થઈ હતી. શ્રેયસ ઐયરને ICU માં એડમિટ કરવામાં આવ્યો હતો. ત્યારે બીજી તરફ BCCI એ પુષ્ટિ કરી છે કે, શ્રેયસ ઐયર હવે સ્વસ્થ છે અને તેને રજા આપવામાં આવી છે.

શ્રેયસ ઈજાને કારણે આંતરિક રક્તસ્ત્રાવથી પીડાઈ રહ્યો હતો જેના કારણે તેને ICUમાં રાખવામાં આવ્યો હતો. જોકે, તેને ટૂંક સમયમાં ICUમાંથી રજા આપવામાં આવી હતી પરંતુ તેની સારવાર ચાલુ હતી. સિડનીમાં રમાયેલી ત્રીજી વનડે મેચમાં ઓસ્ટ્રેલિયન બેટ્સમેન એલેક્સ કેરીનો કેચ લેતી વખતે ઐયર ઇજાગ્રસર થયો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે ઓસ્ટ્રેલિયન ઇનિંગ્સ દરમિયાન કેરીએ હર્ષિત રાણાના બોલ પર ઊંચો શોટ રમ્યો. બેકવર્ડ પોઈન્ટ પર ઉભેલા ઐયર ઝડપથી દોડ્યા અને સફળતાપૂર્વક કેચ પકડ્યો, પરંતુ જમીન પર પડતાં તેને ડાબી પાંસળીમાં જોરદાર ફટકો પડ્યો. આ પછી, તેને મેદાનની બહાર જવું પડ્યું.

શ્રેયસના મેડિકલ રિપોર્ટ અંગે અપડેટ આપતા BCCI એ જણાવ્યું હતું કે, “25 ઓક્ટોબરના રોજ ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ODIમાં કેચ લેતી વખતે શ્રેયસ ઐયરને ગંભીર ઈજા થઈ હતી, જેના કારણે તેના બરોળમાં ઉઝરડો થયો હતો અને આંતરિક રક્તસ્ત્રાવ થયો હતો. નાના ઓપરેશન પછી રક્તસ્ત્રાવ બંધ થઈ ગયો હતો. તેને યોગ્ય તબીબી સારવાર મળી છે.”

શ્રેયસ હાલ સિડનીમાં જ રહેશે
BCCIએ વધુમાં જણાવ્યું હતું કે, “શ્રેયસની હાલત હવે સ્થિર છે અને તે સ્વસ્થ થઈ રહ્યો છે. BCCIની મેડિકલ ટીમ, સિડની અને ભારતના નિષ્ણાતો સાથે, તેની રિકવરીથી સંતુષ્ટ છે અને તેને આજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. BCCI સિડનીમાં ડૉ. કૌરુશ હઘિઘી અને તેમની ટીમ તેમજ ભારતમાં ડૉ. દિનશા પારડીવાલાનો હૃદયપૂર્વક આભાર માને છે, જેમણે શ્રેયસને તેની ઈજા માટે શ્રેષ્ઠ શક્ય સારવાર મળે તે સુનિશ્ચિત કર્યું. શ્રેયસ વધુ સારવાર માટે સિડનીમાં જ રહેશે અને જ્યારે તે ઉડાન ભરવા માટે યોગ્ય થઈ જશે ત્યારે ભારત પાછો ફરશે.”

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

રાજકોટમાં ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા 6 વર્ષીય બાળકનું મોત

રાજકોટમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતા 6 વર્ષીય બાળકના મોતથી આરોગ્ય તંત્રમાં ચિંતા વધી છે. ધ્રોલ પંથકના આ બાળકની રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર ચાલી રહી હતી. જોકે, સારવાર દરમિયાન જ બાળકનું મોત થતાં પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. મળતી માહિતી અનુસાર, બાળકમાં ચાંદીપુરા વાયરસ જેવા લક્ષણો જોવા મળ્યા બાદ તેને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બાળકની સ્થિતિ ગંભીર હોવાથી તબીબોની ટીમ દ્વારા સતત દેખરેખ હેઠળ સારવાર આપવામાં આવી રહી હતી. ચાંદીપુરાનો લેબ રિપોર્ટ આવે તે પહેલાં જ બાળકનું મોત આરોગ્ય વિભાગ દ્વારા ચાંદીપુરા વાયરસની શક્યતાને ધ્યાનમાં રાખીને બાળકના જરૂરી સેમ્પલ લેવામાં આવ્યા હતા. લોહીના નમૂના સહિતના સેમ્પલ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જોકે, ચકાસણીના રિપોર્ટ આવે…

મક્કામાં પાકિસ્તાન, તુર્કીયે અને સાઉદી અરેબિયા વચ્ચે ઐતિહાસિક સંરક્ષણ કરાર, NATO જેવી ગઠબંધનની ચર્ચા તેજ

પશ્ચિમ એશિયામાં વધતા સુરક્ષા પડકારો અને આંતરરાષ્ટ્રીય રાજકીય ફેરફારો વચ્ચે સાઉદી અરેબિયા, તુર્કીયે અને પાકિસ્તાને એક મહત્વપૂર્ણ સંરક્ષણ કરાર કર્યો છે. મક્કામાં થયેલા આ કરારને ત્રણેય દેશો વચ્ચેના સૈન્ય અને વ્યૂહાત્મક સંબંધોને નવી દિશા આપનાર પગલું માનવામાં આવી રહ્યું છે. આ કરાર એવા સમયે થયો છે જ્યારે મધ્ય પૂર્વમાં વિવિધ સંઘર્ષો, સુરક્ષા જોખમો અને પ્રાદેશિક તણાવ સતત વધી રહ્યા છે. ત્રણેય દેશોએ પોતાની સંરક્ષણ ક્ષમતાઓને મજબૂત કરવા અને એકબીજા સાથે સહયોગ વધારવા માટે આ કરાર પર સહમતિ વ્યક્ત કરી છે. આ મહત્વપૂર્ણ બેઠકમાં સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન, તુર્કીયેના રાષ્ટ્રપતિ રજબ તૈયપ એર્દોગન, પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ અને પાકિસ્તાનના સેના પ્રમુખ અસીમ મુનીર સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. સંયુક્ત રક્ષણનો સંકલ્પ, એક પર હુમલો…