રાજકોટ રેન્જના આઈજી નિર્લિપ્ત રાયની નિમણૂક પર રાજકીય ચર્ચા, જયરાજસિંહ જાડેજાનું સ્પષ્ટ નિવેદન

રાજકોટ રેન્જના આઈજી તરીકે નિર્લિપ્ત રાયની નિમણૂકને લઇને સૌરાષ્ટ્રના રાજકારણમાં તંગદિલી સર્જાઈ છે. આ મામલે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ જાહેર નિવેદન આપીને અફવાઓનો જવાબ આપ્યો છે. સોશિયલ મીડિયા પોસ્ટથી ચર્ચા તેજ થઈ તાજેતરમાં નિખિલ દોંગાએ સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી, જેમાં નિર્લિપ્ત રાયની નિમણૂકને લઈને કેટલાક આક્ષેપો કરવામાં આવ્યા હતા. પોસ્ટમાં દાવો કર્યો હતો કે એક શક્તિશાળી નેતાએ તેમની બદલી અટકાવવા માટે પ્રયત્ન કર્યો, પરંતુ સફળ રહ્યા નહોતાં. આ પોસ્ટ વાયરલ થતા જ રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની ગઈ. જયરાજસિંહ જાડેજાનું નિવેદન જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે, નિર્લિપ્ત રાયને આઈજી તરીકે મુકવાની ભલામણ તેમણે જ ગૃહમંત્રી સમક્ષ કરી હતી. તેમના મતે, ગોંડલ અને આસપાસના વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત રહે તે માટે કડક અને…

રણવીર સિંહને મળી ધમકી: વોઈસ નોટમાં કરોડો રૂપિયાની માંગી ખંડણી, ઘરની સુરક્ષા વધારાઈ

બોલિવૂડ અભિનેતા રણવીર સિંહને તાજેતરમાં ધમકીભર્યો સંદેશ મળ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, વોટ્સએપ વોઇસ નોટ દ્વારા કોઈ અજાણ્યા શખ્સે રણવીરને કરોડો રૂપિયાની માંગણી કરી છે. આની જાણ મુંબઈ પોલીસને તરત કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસએ અભિનેતાના ઘરની બહાર સુરક્ષા વધારી દીધી છે અને સાવચેતીના પગલાં લીધાં છે. ધમકી આપનાર વ્યક્તિએ એમ પણ જણાવ્યું છે કે તે લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલો છે. તાજેતરમાં ફિલ્મ નિર્દેશક રોહિત શેટ્ટીના મુંબઈમાં ઘરની બહાર ગોળીબારની ઘટના બની હતી, જેના કારણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગયો હતો. હુમલામાં રોહિત શેટ્ટીને કોઈ ઈજા પહોંચી નહોતી, પરંતુ સુરક્ષા એજન્સીઓએ એલર્ટ રાખ્યો છે અને વિસ્તારની સુરક્ષા વધારી છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ થઈ હતી જેમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા…

પ્રજાસત્તાક દિવસ પહેલાં કઠુઆમાં પાકિસ્તાની જૈશ આતંકવાદી ઠાર, સુરક્ષા દળોને મળી મોટી સફળતા

પ્રજાસત્તાક દિવસની ઉજવણી પહેલાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. ભારતીય સેના, CRPF અને જમ્મુ-કાશ્મીર પોલીસના સંયુક્ત ઓપરેશનમાં કઠુઆ જિલ્લાના બિલ્લાવર વિસ્તારમાં પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે સંકળાયેલા આતંકવાદી ઉસ્માનને ઠાર કરવામાં આવ્યો છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઓપરેશન ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે હાથ ધરવામાં આવ્યું હતું. સુરક્ષા દળોએ પહેલા સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો અને ત્યારબાદ સચોટ કાર્યવાહી કરીને આતંકવાદીને નિષ્ક્રિય કર્યો હતો. હાલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે, કારણ કે બે થી ત્રણ વધુ આતંકવાદીઓ છુપાયેલા હોવાની આશંકા છે. સંયુક્ત ઓપરેશનમાં સફળતા જમ્મુ અને કાશ્મીર પોલીસના મહાનિરીક્ષક બીએસ તુતીએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે, “જમ્મુ અને કાશ્મીર પોલીસની નાની ટીમે ભારતીય સેના અને CRPF સાથે મળીને કઠુઆ જિલ્લામાં આતંકવાદીને ઠાર કર્યો…

LoC પર નાપાક હરકત: કેમેરા લગાવતી વખતે પાકિસ્તાન દ્વારા ફાયરિંગ, ભારતે આપ્યો જડબાતોડ જવાબ

20-21 જાન્યુઆરીની રાત્રે ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લાના કેરન સેક્ટરમાં લાઇન ઓફ કંટ્રોલ (LoC) પર ભારતીય અને પાકિસ્તાની સૈનિકો વચ્ચે ગોળીબારની ઘટના સર્જાઈ. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર આ અથડામણ ત્યારે થઇ જ્યારે ભારતીય સેનાના 6 નેશનલ રાઇફલ્સના સૈનિક સરહદ પર હાઇ-ટેક સર્વેલન્સ કેમેરા ઇન્સ્ટોલ કરી રહ્યા હતા, જેથી બ્લાઇન્ડ સ્પોટ્સ પર નજર રાખી શકાય. પાકિસ્તાની સૈનિકોએ ઇન્સ્ટોલેશનને ડીસ્ટર્બ કરવા માટે નાના હથિયારથી બે રાઉન્ડ ફાયરિંગ કર્યું, જેના જવાબમાં ભારતીય સૈનિકોએ જડબાતોડ ગોળીબાર કર્યો. આ ઘટનામાં બંને પક્ષમાંથી કોઈ જાનહાનીની જાણ નહીં થઈ. જોકે, ભારતીય સેનાએ તાત્કાલિક કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું અને શંકા વ્યક્ત કરી છે કે પાકિસ્તાની ફાયરિંગનો ઉદ્દેશ ઘૂસણખોરીના પ્રયાસ પરથી સેનાની નજર હટાવવા માટે થઈ શકે છે. શિયાળાના મહિનાઓમાં સુરક્ષા વધારી: LoC પરની…

જમ્મુ-કાશ્મીરમાં LoC પર પાકિસ્તાની ડ્રોન દેખાયા, સુરક્ષા દળો હાઇ એલર્ટ પર

જમ્મુ અને કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સરહદ અને લાઈન ઓફ કન્ટ્રોલ (LoC) નજીક ફરીથી પાકિસ્તાની ડ્રોન પ્રવૃત્તિ નોંધાઈ છે. પ્રજાસત્તાક દિવસને ધ્યાનમાં રાખીને પાકિસ્તાને ભારતીય સરહદો નજીક શંકાસ્પદ ડ્રોન ઉતારવાની હરકત કરી છે, જેના કારણે ભારતીય સુરક્ષા દળો હાઇ એલર્ટ પર છે. રવિવારે સાંજે જમ્મુ અને કાશ્મીરના સાંબા, રાજૌરી અને પૂંછ જિલ્લાના LoC નજીક શંકાસ્પદ ડ્રોનની ગતિવિધિ જોવા મળી. ભારતીય સુરક્ષા દળોએ તાત્કાલિક જવાબ આપ્યો અને કેટલાક ડ્રોન પર મશીનગન દ્વારા ગોળીબાર પણ કર્યો. સ્થળ પર તાકીદે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. મહત્વપૂર્ણ વિસ્તારોમાં ડ્રોન પ્રવૃત્તિ: – રાજૌરી: નૌશેરા સેક્ટરમાં 6:35 વાગ્યે ગણિયા-કલસિયન ગામ ઉપર શંકાસ્પદ ડ્રોન જોઈ, મધ્યમ અને હળવા મશીનગનથી તેના પર ગોળીબાર કરવામાં આવ્યો. – સાંબા: રામગઢ સેક્ટરમાં ચક બબ્રાલ ગામ પર 7:15 વાગ્યે…

ઇઝરાયલ લાવે છે લેસર હવાઈ સંરક્ષણ ‘આયર્ન બીમ’, જાણો વિગત

ઇઝરાયલ પોતાની હવાઈ સંરક્ષણ પ્રણાલી ‘આયર્ન બીમ’ 30 ડિસેમ્બરે સક્રિય કરવા જઈ રહ્યું છે. ઇઝરાયલની સેના હવે લેસર-સક્ષમ આ સિસ્ટમ સાથે સજ્જ રહેશે, જે દેશના સુરક્ષા કવચને વધુ મજબૂત બનાવશે. ઇઝરાયલી અધિકારીઓએ શું કહ્યું? ઇઝરાયલી સંરક્ષણ મંત્રાલયના સંશોધન અને વિકાસ વિભાગના વડા, બ્રિગેડિયર જનરલ (નિવૃત્ત) ડેનિયલ ગોલ્ડે જણાવ્યું કે વિકાસ કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે અને પરીક્ષણો સફળ રહ્યા છે. તેઓએ કહ્યુ કે, “અમે 30 ડિસેમ્બરે આ સિસ્ટમને ઇઝરાયલના સેના માટે તૈયાર કરી રહ્યા છીએ.” ‘આયર્ન બીમ’ લેસર સિસ્ટમ વિશે: – હવાઈ જોખમો જેવી કે રોકેટ, મોર્ટાર અને ડ્રોન સામે રક્ષણ પ્રદાન કરે છે. – યુદ્ધના મેદાનમાં મોટું ફેરફાર લાવી શકે છે. – ઇઝરાયલે એક દાયકાથી વધુ સમયથી આ સિસ્ટમ વિકસાવી છે. ભવિષ્યની યોજના: ઇઝરાયલ અવકાશ…

દિલ્હી બ્લાસ્ટ કેસ: 4 આરોપીઓને NIA કોર્ટએ 10 દિવસના રિમાન્ડ પર મોકલ્યા, જુઓ વીડિયો

દિલ્હીના લાલ કિલ્લા કાર બ્લાસ્ટ કેસની તપાસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ વધુ એક મહત્વપૂર્ણ પગલું લીધું છે. એજન્સીએ તાજેતરમાં શ્રીનગરમાંથી 4 નવા આરોપીઓની ધરપકડ કરી હતી, જેને આજે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પટિયાલા હાઉસ કોર્ટએ ડૉ. મુઝમ્મિલ, આદિલ, શાહીન અને મૌલવી ઇરફાનને 10 દિવસની NIA કસ્ટડી મંજૂર કરી છે, જેથી તેમને વધુ પૂછપરછ કરી શકાય. હુમલાના આયોજનમાં મુખ્ય ભૂમિકા NIA તપાસ મુજબ, આ ચારેય આરોપીઓએ લાલ કિલ્લા કાર વિસ્ફોટની યોજનામાંથી લઈને અમલ સુધી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ હુમલામાં અનેક નિર્દોષ લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતાં, જેના કારણે દેશવ્યાપી ચિંતા ફેલાઈ હતી. એજન્સીએ અગાઉ અમીર રાશિદ અલી અને જસીર બિલાલ વાની ઉર્ફે દાનિશને પણ ધરપકડ કરી હતી.…

દિલ્હી બ્લાસ્ટ: આત્મઘાતી હુમલાખોરના ફોનમાંથી મળ્યો શહીદી અભિયાનનો વીડિયો

પોલીસને કાર બોમ્બ વિસ્ફોટ કરનાર આત્મઘાતી હુમલાખોર ડૉ. ઓમર નબીના મોબાઇલમાંથી આત્મઘાતી હુમલાઓનું મહિમા કરતો વીડિયો મળ્યો છે. જમ્મુ અને કાશ્મીર પોલીસે ઓમરના ફોનને જપ્ત કરી ફોરેન્સિક તપાસ હાથ ધરી છે. તપાસમાં સામે આવ્યું છે કે ઓમરે આત્મઘાતી હુમલાઓને ધર્મમાં સૌથી પ્રશંસનીય કર્મ ગણતો હતો અને આવા કૃત્યોને શહીદી અભિયાન માનતો હતો. એક બે મિનિટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં ઓમર ખુરશી પર બેઠો પોતાની વિચારધારા વ્યક્ત કરે છે. ઓમરના ભાઈ ઝહૂર ઈલાહીની અટકાયત બાદ આ મહત્વપૂર્ણ પુરાવા સામે આવ્યો. ફ્લોન ફેંકી દેવામાં આવ્યો હતો, પરંતુ ફોરેન્સિક નિષ્ણાતો મહત્વપૂર્ણ માહિતી પુનઃપ્રાપ્ત કરવામાં સફળ રહ્યા. તપાસ અનુસાર, ઓમર ઇસ્લામિક સ્ટેટ (IS) અને અલ-કાયદા દ્વારા બનાવેલા આત્મઘાતી બોમ્બ વિસ્ફોટના કટ્ટરપંથી વીડિયો જોતો હતો અને તેના…

લદાખમાં હિંસા બાદ સરકારની કડક કાર્યવાહી, કેન્દ્રિય ગૃહ મંત્રાલય કરશે પ્રતિનિધિમંડળ સાથે બેઠક

લદાખમાં રાજ્યનો દરજ્જો આપવામાં અને બંધારણીની છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવા માટે ચાલી રહેલા આંદોલન વચ્ચે મંગળવારે ભારે હિંસા ફાટી ઉઠી, જેમાં ચાર લોકોના મોત થયા અને 70થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ હિંસક ઘટનાઓ બાદ સરકારએ તાત્કાલિક કડક પગલાં ભર્યા છે. લેહના જિલ્લા મેજિસ્ટ્રેટ રોમિલ સિંહ ડોંકે તાત્કાલિક અસરથી પાંચ કે તેથી વધુ લોકોના એકઠા થવા, રેલી અને વિરોધ પ્રદર્શન પર પ્રતિબંધ લાગુ કર્યો છે. આ પ્રતિબંધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ 163 હેઠળ જારી કરવામાં આવ્યો છે અને ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. વિરોધ દરમિયાન કેટલાક યુવાનો દ્વારા પથ્થરમારો અને BJP કાર્યાલયમાં આગ લગાવવાની ઘટના બની હતી. પોલીસએ ટીયર ગેસ અને લાઠીચાર્જનો ઉપયોગ કરી ટોળાને વિખેરવાનો પ્રયાસ કર્યો છે. પરિસ્થિતિને નિયંત્રિત કરવા…