ગુજરાતમાં જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા શરુ, ઉમેદવારોને અપાશે નિમણૂંક પત્ર

ગુજરાતમાં આજથી જૂના શિક્ષકો શાળા ફાળવણીની શરુઆત કરવામાં આવી છે. ત્યારે 9 માર્ચે ઉમેદવારોને નિમણૂક હુકમ આપવામાં આવશે. તાજેતરમાં ભરતી માટે 4532 અરજી મળ્યા બાદ મેરિટ જાહેર કરાયું હતું. જેમાં 9 માર્ચના રોજ જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે. મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યા બાદ 12 ફેબ્રુઆરીથી 19 ફેબ્રુઆરી દરમિયાન શાળા પસંદગીનો તબક્કો હાથ ધરવામાં આવ્યો હતો. આ પણ વાંચો :- GPSCની ભરતી પરીક્ષા માટે આજથી ફોર્મ ભરવાની શરુઆત, ઉમેદવારો 15 માર્ચ સુધી ભરી શકશે ફોર્મ -> જૂના શિક્ષકોની ભરતી :- રાજ્યની બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં 2 હજાર અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 2 હજાર મળી કુલ 4 હજાર જૂના શિક્ષકોની ભરતીની જાહેરાત 1 સપ્ટેમ્બર, 2024ના રોજ આપવામાં આવી હતી. આ જાહેરાત અન્વયે ઉમેદવારો દ્વારા ભરતી માટે…

રાજકોટ ST વિભાગ સજ્જ , બોર્ડની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓ માટે કરી આવી વ્યવસ્થા

પરીક્ષાને ધ્યાને લઈને રાજકોટ ST વિભાગ સજ્જ બન્યું છે. રાજકોટ એસટી વિભાગે ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ માટે વિશેષ વ્યવસ્થા કરી છે. એક્સ્ટ્રા બસ ફાળવવામાં આવશે અને વિદ્યાર્થીઓ હોલ ટિકિટ બતાવીને એક્સપ્રેસ બસમાં મુસાફરી કરી શકશે જેથી વિદ્યાર્થીઓને સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચી શકશે. રાજકોટ એસટી વિભાગના ડિવિઝનલ ટ્રાફિક ઓફિસર વી.બી.ડાંગરે જણાવ્યું કે, બોર્ડની પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓને કોઈ પ્રકારની હાલાકી ન પડે તે માટે એસટી વિભાગ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જે શાળાઓને એક્સ્ટ્રા બસની જરૂરિયાત હશે, તેમને પણ બસ ફાળવવામાં આવશે. ગુજરાત રાજ્યમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ નજીક આવી રહી છે. આ મહત્વપૂર્ણ પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે રાજકોટ એસટી વિભાગે આ વિશેષ વ્યવસ્થા કરી છે.