CBSE બોર્ડ એક્ઝામ 2026: 43 લાખથી વધુ વિદ્યાર્થીઓ 17 ફેબ્રુઆરીથી આપશે પરીક્ષા, જાણો વિગત
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)ની 10મા અને 12મા ધોરણની બોર્ડ પરીક્ષાઓ 17 ફેબ્રુઆરી 2026થી શરૂ થઈ રહી છે. આ વર્ષે 43 લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યા છે. CBSEએ પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે એડવાઈઝરી જાહેર કરી છે, જેમાં તેઓને ખોટા સમાચાર અને ગેરમાર્ગે દોરતી માહિતીથી સાવધ રહેવાની સલાહ આપી છે. વિદ્યાર્થીઓને સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચવાની સૂચના પણ આપવામાં આવી છે. ધોરણ 10 અને 12 માટે પરીક્ષા વિગતો *ધોરણ 10: કુલ 2,508,319 વિદ્યાર્થીઓ નોંધાયેલા છે (પુરુષ: 1,408,546, સ્ત્રી: 1,099,773). – પરીક્ષામાં 83 વિષયો આવરી લેવામાં આવ્યા છે. – કુલ 8,075 પરીક્ષા કેન્દ્રો સ્થાપિત. *ધોરણ 12: કુલ 1,859,551 વિદ્યાર્થીઓ નોંધાયેલા છે (પુરુષ: 1,027,552, સ્ત્રી: 831,999). – પરીક્ષા 120 વિષયો માટે લેવામાં આવશે.…
ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતા દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પરીક્ષામાં મોટી રાહત, જાણો વિગત
રાજ્યના શિક્ષણ વિભાગે ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતા દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પરીક્ષાના નિયમોમાં મહત્વપૂર્ણ રાહત જાહેર કરી છે. સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા નવા પરિપત્ર અનુસાર, હવે દિવ્યાંગ વિદ્યાર્થીઓને પરીક્ષાના પ્રશ્નપત્રો પૂર્ણ કરવા માટે સામાન્ય વિદ્યાર્થીઓની તુલનામાં વધારાનો સમય આપવામાં આવશે. આ નિર્ણયથી ખાસ જરૂરિયાત ધરાવતા વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન વધુ સુવિધા અને ન્યાય મળશે. નવા નિયમો મુજબ, 1 કલાકની પરીક્ષા માટે દિવ્યાંગ વિદ્યાર્થીઓને વધારાના 20 મિનિટ મળશે. જ્યારે 3 કલાકના મુખ્ય પેપર માટે તેમને લગભગ 1 કલાકનો વધારાનો સમય આપવામાં આવશે. આ વ્યવસ્થાથી લખવામાં, વાંચવામાં અથવા સમજવામાં મુશ્કેલી અનુભવતા વિદ્યાર્થીઓને શાંતિપૂર્વક અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા પૂર્ણ કરવામાં મદદ મળશે. ખાસ કરીને દ્રષ્ટિહીન અથવા દ્રષ્ટિની ખામી ધરાવતા વિદ્યાર્થીઓ માટે નકશા પૂરાં કરવા કે આકૃતિ દોરવાના પ્રશ્નો…








